• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …
0
VIEWS
Share on FacebookShare on Twitter



72 Tigers Die in Thailand’s Tiger Kingdom: ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ માઈમાં આવેલા લોકપ્રિય ‘ટાઈગર કિંગડમ પાર્ક’ના બે સ્થળે છેલ્લા 12 દિવસમાં જ 72 વાઘ મૃત્યુ પામ્યા. આ પાર્કમાં પર્યટકો વાઘને નજીકથી જોઈ શકે છે, સ્પર્શ કરી શકે છે અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવી શકે છે. આ પાર્કના ‘મે તેગ'(Mae Taeng) સ્થળે 51 વાઘ અને ‘મે રિમ'(Mae Rim) સ્થળે 21 વાઘ મરી ગયા. આ બંને જગ્યા વચ્ચે લગભગ 30 કિલોમીટરનું અંતર છે, જ્યાં કુલ 240 વાઘ છે. ગુજરાત સહિત દુનિયાભરના પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ થોડા જ દિવસોમાં પાર્કના 30 ટકા વાઘ મરી જવા પાછળ કયું કારણ જવાબદાર છે.  

મોતનું કારણ શું હતું?  

મૃત વાઘના પરીક્ષણોમાં ‘બર્ડ ફ્લૂ’(એવિયન ઈન્ફલ્યુએન્ઝા)ના કોઈ પુરાવા નથી મળ્યા. ‘કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ’(CDV) અને માયકોપ્લાઝ્મા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે. CDV એક અત્યંત ચેપી વાઇરસ છે. આ વાઇરસ કૂતરાને અસર કરતો નથી, પણ વાઘ માટે જીવલેણ છે. તે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ વાઇરસે બેક્ટેરિયા સાથે મળીને ગંભીર ન્યુમોનિયા પેદા કર્યો હતો અને તેના કારણે વાઘોનો જીવ ગયો. 

તપાસમાં શું સામે આવ્યું?  

ચિયાંગ માઈના પશુ વિભાગે વાઘના ખોરાક અને આસપાસના વાતાવરણના સેમ્પલ્સ લઈને તપાસ કરી. ‘મે તેગ’ અને ‘મે રિમ’ના તમામ વાઘને ખોરાકમાં કાચું ચિકન અપાય છે, જે એક જ સપ્લાયર પાસેથી મેળવવામાં આવે છે, તેથી કાચું ચિકન દૂષિત હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. CDV કુદરતી રીતે ચિકનમાં હોતો નથી, પણ ચિકન બાહ્ય દૂષણ દ્વારા વાઇરસનું વહન કરી શકે છે. પશુચિકિત્સકો કહે છે કે આ વાઇરસનો ચેપ લાગે તો પણ એના લક્ષણો વાઘમાં મોડા દેખાય છે, તેથી પાર્કના વાઘને ચેપ લાગ્યાની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

72 વાઘના મોત પછી સરકાર સફાળી જાગી 

– પાર્કને 14 દિવસ માટે બંધ કરી દેવાયો છે અને ત્યાં સંપૂર્ણ સફાઈ અને ડિસઇન્ફેક્શન કરાઈ રહ્યું છે. 

– બચેલા વાઘોને વેક્સિન અપાઈ રહી છે. 

– મૃત વાઘોના અવશેષોને પરીક્ષણ કર્યા પછી દફનાવી દેવાયા છે, જેથી તેમના અંગોની તસ્કરી ન થાય. 

– CDVનો ચેપ સ્ટાફને લાગ્યો હોવાની આશંકામાં તમામને 21 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા છે.  

વાઘ પર ત્રાટકેલી આફતના કારણો આ પણ છે  

PETA અને ‘વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન’ના જણાવ્યા મુજબ ઓછી જગ્યામાં વધુ પ્રાણીઓને રાખવાથી અને પર્યટકો સાથે સંપર્કમાં લાવવાને કારણે કોઈપણ પ્રકારના વાઇરસ સરળતાથી ફેલાતા હોય છે. પાર્ક જેવા સ્થળે વાઘ જેવું પ્રાણી સતત તણાવ અનુભવે છે. આ દરમિયાન સગપણના સંબંધમાં રહેલા પ્રાણીઓ(જેમ કે ભાઈ-બહેન, માતા-પિતા અને તેમના બચ્ચાં) વચ્ચે પણ પ્રજનન થાય છે, જેને લીધે નવા જન્મતાં બચ્ચાંની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને તેઓ સરળતાથી વાઇરસનો શિકાર બની જાય છે. પ્રાણી સંસ્થાઓએ પર્યટકોને આવા પાર્કમાં ન જવા અને વન્યજીવોના મનોરંજન માટેના વ્યવસાયને ટેકો ન આપવા અપીલ કરી છે.  

આ પણ વાંચો: હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે  

– 2004માં ચોનબુરી પ્રાંતના એક વાઘ પાર્કમાં કાચા ચિકનથી બર્ડ ફ્લૂ ફેલાતા 147 વાઘ મૃત્યુ પામ્યા હતા. 

– 2016માં વર્લ્ડ એનિમલ પ્રોટેક્શનના અહેવાલમાં થાઈ વાઘ પર્યટનમાં વ્યાપક ક્રૂરતા સામે આવી હતી. ત્યાં આશરે 830 વાઘ કેદમાં હતા અને તેમને ખરાબ સ્થિતિમાં રખાતા હતા. આ ઘટના વાઘ પર્યટન ઉદ્યોગ પર નવા પ્રશ્નો ઉઠાવે છે.  

તાજેતરમાં બનેલી ઘટનાની તપાસ પૂરી થયા પછી વધુ સ્પષ્ટતા મળશે. હાલમાં પાર્ક બંધ છે અને અધિકારીઓ વાઘોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.


વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? 2 - image



72 Tigers Die in Thailand’s Tiger Kingdom: ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ માઈમાં આવેલા લોકપ્રિય ‘ટાઈગર કિંગડમ પાર્ક’ના બે સ્થળે છેલ્લા 12 દિવસમાં જ 72 વાઘ મૃત્યુ પામ્યા. આ પાર્કમાં પર્યટકો વાઘને નજીકથી જોઈ શકે છે, સ્પર્શ કરી શકે છે અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવી શકે છે. આ પાર્કના ‘મે તેગ'(Mae Taeng) સ્થળે 51 વાઘ અને ‘મે રિમ'(Mae Rim) સ્થળે 21 વાઘ મરી ગયા. આ બંને જગ્યા વચ્ચે લગભગ 30 કિલોમીટરનું અંતર છે, જ્યાં કુલ 240 વાઘ છે. ગુજરાત સહિત દુનિયાભરના પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ થોડા જ દિવસોમાં પાર્કના 30 ટકા વાઘ મરી જવા પાછળ કયું કારણ જવાબદાર છે.  

મોતનું કારણ શું હતું?  

મૃત વાઘના પરીક્ષણોમાં ‘બર્ડ ફ્લૂ’(એવિયન ઈન્ફલ્યુએન્ઝા)ના કોઈ પુરાવા નથી મળ્યા. ‘કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ’(CDV) અને માયકોપ્લાઝ્મા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે. CDV એક અત્યંત ચેપી વાઇરસ છે. આ વાઇરસ કૂતરાને અસર કરતો નથી, પણ વાઘ માટે જીવલેણ છે. તે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ વાઇરસે બેક્ટેરિયા સાથે મળીને ગંભીર ન્યુમોનિયા પેદા કર્યો હતો અને તેના કારણે વાઘોનો જીવ ગયો. 

તપાસમાં શું સામે આવ્યું?  

ચિયાંગ માઈના પશુ વિભાગે વાઘના ખોરાક અને આસપાસના વાતાવરણના સેમ્પલ્સ લઈને તપાસ કરી. ‘મે તેગ’ અને ‘મે રિમ’ના તમામ વાઘને ખોરાકમાં કાચું ચિકન અપાય છે, જે એક જ સપ્લાયર પાસેથી મેળવવામાં આવે છે, તેથી કાચું ચિકન દૂષિત હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. CDV કુદરતી રીતે ચિકનમાં હોતો નથી, પણ ચિકન બાહ્ય દૂષણ દ્વારા વાઇરસનું વહન કરી શકે છે. પશુચિકિત્સકો કહે છે કે આ વાઇરસનો ચેપ લાગે તો પણ એના લક્ષણો વાઘમાં મોડા દેખાય છે, તેથી પાર્કના વાઘને ચેપ લાગ્યાની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

72 વાઘના મોત પછી સરકાર સફાળી જાગી 

– પાર્કને 14 દિવસ માટે બંધ કરી દેવાયો છે અને ત્યાં સંપૂર્ણ સફાઈ અને ડિસઇન્ફેક્શન કરાઈ રહ્યું છે. 

– બચેલા વાઘોને વેક્સિન અપાઈ રહી છે. 

– મૃત વાઘોના અવશેષોને પરીક્ષણ કર્યા પછી દફનાવી દેવાયા છે, જેથી તેમના અંગોની તસ્કરી ન થાય. 

– CDVનો ચેપ સ્ટાફને લાગ્યો હોવાની આશંકામાં તમામને 21 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા છે.  

વાઘ પર ત્રાટકેલી આફતના કારણો આ પણ છે  

PETA અને ‘વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન’ના જણાવ્યા મુજબ ઓછી જગ્યામાં વધુ પ્રાણીઓને રાખવાથી અને પર્યટકો સાથે સંપર્કમાં લાવવાને કારણે કોઈપણ પ્રકારના વાઇરસ સરળતાથી ફેલાતા હોય છે. પાર્ક જેવા સ્થળે વાઘ જેવું પ્રાણી સતત તણાવ અનુભવે છે. આ દરમિયાન સગપણના સંબંધમાં રહેલા પ્રાણીઓ(જેમ કે ભાઈ-બહેન, માતા-પિતા અને તેમના બચ્ચાં) વચ્ચે પણ પ્રજનન થાય છે, જેને લીધે નવા જન્મતાં બચ્ચાંની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને તેઓ સરળતાથી વાઇરસનો શિકાર બની જાય છે. પ્રાણી સંસ્થાઓએ પર્યટકોને આવા પાર્કમાં ન જવા અને વન્યજીવોના મનોરંજન માટેના વ્યવસાયને ટેકો ન આપવા અપીલ કરી છે.  

આ પણ વાંચો: હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે  

– 2004માં ચોનબુરી પ્રાંતના એક વાઘ પાર્કમાં કાચા ચિકનથી બર્ડ ફ્લૂ ફેલાતા 147 વાઘ મૃત્યુ પામ્યા હતા. 

– 2016માં વર્લ્ડ એનિમલ પ્રોટેક્શનના અહેવાલમાં થાઈ વાઘ પર્યટનમાં વ્યાપક ક્રૂરતા સામે આવી હતી. ત્યાં આશરે 830 વાઘ કેદમાં હતા અને તેમને ખરાબ સ્થિતિમાં રખાતા હતા. આ ઘટના વાઘ પર્યટન ઉદ્યોગ પર નવા પ્રશ્નો ઉઠાવે છે.  

તાજેતરમાં બનેલી ઘટનાની તપાસ પૂરી થયા પછી વધુ સ્પષ્ટતા મળશે. હાલમાં પાર્ક બંધ છે અને અધિકારીઓ વાઘોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.


વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



72 Tigers Die in Thailand’s Tiger Kingdom: ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ માઈમાં આવેલા લોકપ્રિય ‘ટાઈગર કિંગડમ પાર્ક’ના બે સ્થળે છેલ્લા 12 દિવસમાં જ 72 વાઘ મૃત્યુ પામ્યા. આ પાર્કમાં પર્યટકો વાઘને નજીકથી જોઈ શકે છે, સ્પર્શ કરી શકે છે અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવી શકે છે. આ પાર્કના ‘મે તેગ'(Mae Taeng) સ્થળે 51 વાઘ અને ‘મે રિમ'(Mae Rim) સ્થળે 21 વાઘ મરી ગયા. આ બંને જગ્યા વચ્ચે લગભગ 30 કિલોમીટરનું અંતર છે, જ્યાં કુલ 240 વાઘ છે. ગુજરાત સહિત દુનિયાભરના પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ થોડા જ દિવસોમાં પાર્કના 30 ટકા વાઘ મરી જવા પાછળ કયું કારણ જવાબદાર છે.  

મોતનું કારણ શું હતું?  

મૃત વાઘના પરીક્ષણોમાં ‘બર્ડ ફ્લૂ’(એવિયન ઈન્ફલ્યુએન્ઝા)ના કોઈ પુરાવા નથી મળ્યા. ‘કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ’(CDV) અને માયકોપ્લાઝ્મા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે. CDV એક અત્યંત ચેપી વાઇરસ છે. આ વાઇરસ કૂતરાને અસર કરતો નથી, પણ વાઘ માટે જીવલેણ છે. તે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ વાઇરસે બેક્ટેરિયા સાથે મળીને ગંભીર ન્યુમોનિયા પેદા કર્યો હતો અને તેના કારણે વાઘોનો જીવ ગયો. 

તપાસમાં શું સામે આવ્યું?  

ચિયાંગ માઈના પશુ વિભાગે વાઘના ખોરાક અને આસપાસના વાતાવરણના સેમ્પલ્સ લઈને તપાસ કરી. ‘મે તેગ’ અને ‘મે રિમ’ના તમામ વાઘને ખોરાકમાં કાચું ચિકન અપાય છે, જે એક જ સપ્લાયર પાસેથી મેળવવામાં આવે છે, તેથી કાચું ચિકન દૂષિત હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. CDV કુદરતી રીતે ચિકનમાં હોતો નથી, પણ ચિકન બાહ્ય દૂષણ દ્વારા વાઇરસનું વહન કરી શકે છે. પશુચિકિત્સકો કહે છે કે આ વાઇરસનો ચેપ લાગે તો પણ એના લક્ષણો વાઘમાં મોડા દેખાય છે, તેથી પાર્કના વાઘને ચેપ લાગ્યાની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

72 વાઘના મોત પછી સરકાર સફાળી જાગી 

– પાર્કને 14 દિવસ માટે બંધ કરી દેવાયો છે અને ત્યાં સંપૂર્ણ સફાઈ અને ડિસઇન્ફેક્શન કરાઈ રહ્યું છે. 

– બચેલા વાઘોને વેક્સિન અપાઈ રહી છે. 

– મૃત વાઘોના અવશેષોને પરીક્ષણ કર્યા પછી દફનાવી દેવાયા છે, જેથી તેમના અંગોની તસ્કરી ન થાય. 

– CDVનો ચેપ સ્ટાફને લાગ્યો હોવાની આશંકામાં તમામને 21 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા છે.  

વાઘ પર ત્રાટકેલી આફતના કારણો આ પણ છે  

PETA અને ‘વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન’ના જણાવ્યા મુજબ ઓછી જગ્યામાં વધુ પ્રાણીઓને રાખવાથી અને પર્યટકો સાથે સંપર્કમાં લાવવાને કારણે કોઈપણ પ્રકારના વાઇરસ સરળતાથી ફેલાતા હોય છે. પાર્ક જેવા સ્થળે વાઘ જેવું પ્રાણી સતત તણાવ અનુભવે છે. આ દરમિયાન સગપણના સંબંધમાં રહેલા પ્રાણીઓ(જેમ કે ભાઈ-બહેન, માતા-પિતા અને તેમના બચ્ચાં) વચ્ચે પણ પ્રજનન થાય છે, જેને લીધે નવા જન્મતાં બચ્ચાંની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને તેઓ સરળતાથી વાઇરસનો શિકાર બની જાય છે. પ્રાણી સંસ્થાઓએ પર્યટકોને આવા પાર્કમાં ન જવા અને વન્યજીવોના મનોરંજન માટેના વ્યવસાયને ટેકો ન આપવા અપીલ કરી છે.  

આ પણ વાંચો: હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે  

– 2004માં ચોનબુરી પ્રાંતના એક વાઘ પાર્કમાં કાચા ચિકનથી બર્ડ ફ્લૂ ફેલાતા 147 વાઘ મૃત્યુ પામ્યા હતા. 

– 2016માં વર્લ્ડ એનિમલ પ્રોટેક્શનના અહેવાલમાં થાઈ વાઘ પર્યટનમાં વ્યાપક ક્રૂરતા સામે આવી હતી. ત્યાં આશરે 830 વાઘ કેદમાં હતા અને તેમને ખરાબ સ્થિતિમાં રખાતા હતા. આ ઘટના વાઘ પર્યટન ઉદ્યોગ પર નવા પ્રશ્નો ઉઠાવે છે.  

તાજેતરમાં બનેલી ઘટનાની તપાસ પૂરી થયા પછી વધુ સ્પષ્ટતા મળશે. હાલમાં પાર્ક બંધ છે અને અધિકારીઓ વાઘોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.


વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? 2 - image



72 Tigers Die in Thailand’s Tiger Kingdom: ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ માઈમાં આવેલા લોકપ્રિય ‘ટાઈગર કિંગડમ પાર્ક’ના બે સ્થળે છેલ્લા 12 દિવસમાં જ 72 વાઘ મૃત્યુ પામ્યા. આ પાર્કમાં પર્યટકો વાઘને નજીકથી જોઈ શકે છે, સ્પર્શ કરી શકે છે અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવી શકે છે. આ પાર્કના ‘મે તેગ'(Mae Taeng) સ્થળે 51 વાઘ અને ‘મે રિમ'(Mae Rim) સ્થળે 21 વાઘ મરી ગયા. આ બંને જગ્યા વચ્ચે લગભગ 30 કિલોમીટરનું અંતર છે, જ્યાં કુલ 240 વાઘ છે. ગુજરાત સહિત દુનિયાભરના પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ થોડા જ દિવસોમાં પાર્કના 30 ટકા વાઘ મરી જવા પાછળ કયું કારણ જવાબદાર છે.  

મોતનું કારણ શું હતું?  

મૃત વાઘના પરીક્ષણોમાં ‘બર્ડ ફ્લૂ’(એવિયન ઈન્ફલ્યુએન્ઝા)ના કોઈ પુરાવા નથી મળ્યા. ‘કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ’(CDV) અને માયકોપ્લાઝ્મા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે. CDV એક અત્યંત ચેપી વાઇરસ છે. આ વાઇરસ કૂતરાને અસર કરતો નથી, પણ વાઘ માટે જીવલેણ છે. તે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ વાઇરસે બેક્ટેરિયા સાથે મળીને ગંભીર ન્યુમોનિયા પેદા કર્યો હતો અને તેના કારણે વાઘોનો જીવ ગયો. 

તપાસમાં શું સામે આવ્યું?  

ચિયાંગ માઈના પશુ વિભાગે વાઘના ખોરાક અને આસપાસના વાતાવરણના સેમ્પલ્સ લઈને તપાસ કરી. ‘મે તેગ’ અને ‘મે રિમ’ના તમામ વાઘને ખોરાકમાં કાચું ચિકન અપાય છે, જે એક જ સપ્લાયર પાસેથી મેળવવામાં આવે છે, તેથી કાચું ચિકન દૂષિત હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. CDV કુદરતી રીતે ચિકનમાં હોતો નથી, પણ ચિકન બાહ્ય દૂષણ દ્વારા વાઇરસનું વહન કરી શકે છે. પશુચિકિત્સકો કહે છે કે આ વાઇરસનો ચેપ લાગે તો પણ એના લક્ષણો વાઘમાં મોડા દેખાય છે, તેથી પાર્કના વાઘને ચેપ લાગ્યાની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

72 વાઘના મોત પછી સરકાર સફાળી જાગી 

– પાર્કને 14 દિવસ માટે બંધ કરી દેવાયો છે અને ત્યાં સંપૂર્ણ સફાઈ અને ડિસઇન્ફેક્શન કરાઈ રહ્યું છે. 

– બચેલા વાઘોને વેક્સિન અપાઈ રહી છે. 

– મૃત વાઘોના અવશેષોને પરીક્ષણ કર્યા પછી દફનાવી દેવાયા છે, જેથી તેમના અંગોની તસ્કરી ન થાય. 

– CDVનો ચેપ સ્ટાફને લાગ્યો હોવાની આશંકામાં તમામને 21 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા છે.  

વાઘ પર ત્રાટકેલી આફતના કારણો આ પણ છે  

PETA અને ‘વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન’ના જણાવ્યા મુજબ ઓછી જગ્યામાં વધુ પ્રાણીઓને રાખવાથી અને પર્યટકો સાથે સંપર્કમાં લાવવાને કારણે કોઈપણ પ્રકારના વાઇરસ સરળતાથી ફેલાતા હોય છે. પાર્ક જેવા સ્થળે વાઘ જેવું પ્રાણી સતત તણાવ અનુભવે છે. આ દરમિયાન સગપણના સંબંધમાં રહેલા પ્રાણીઓ(જેમ કે ભાઈ-બહેન, માતા-પિતા અને તેમના બચ્ચાં) વચ્ચે પણ પ્રજનન થાય છે, જેને લીધે નવા જન્મતાં બચ્ચાંની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને તેઓ સરળતાથી વાઇરસનો શિકાર બની જાય છે. પ્રાણી સંસ્થાઓએ પર્યટકોને આવા પાર્કમાં ન જવા અને વન્યજીવોના મનોરંજન માટેના વ્યવસાયને ટેકો ન આપવા અપીલ કરી છે.  

આ પણ વાંચો: હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે  

– 2004માં ચોનબુરી પ્રાંતના એક વાઘ પાર્કમાં કાચા ચિકનથી બર્ડ ફ્લૂ ફેલાતા 147 વાઘ મૃત્યુ પામ્યા હતા. 

– 2016માં વર્લ્ડ એનિમલ પ્રોટેક્શનના અહેવાલમાં થાઈ વાઘ પર્યટનમાં વ્યાપક ક્રૂરતા સામે આવી હતી. ત્યાં આશરે 830 વાઘ કેદમાં હતા અને તેમને ખરાબ સ્થિતિમાં રખાતા હતા. આ ઘટના વાઘ પર્યટન ઉદ્યોગ પર નવા પ્રશ્નો ઉઠાવે છે.  

તાજેતરમાં બનેલી ઘટનાની તપાસ પૂરી થયા પછી વધુ સ્પષ્ટતા મળશે. હાલમાં પાર્ક બંધ છે અને અધિકારીઓ વાઘોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.


વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? 2 - image

Next Post
રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

Recent News

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…
GUJARAT

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

અમદાવાદ,સોમવાર શહેરના વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ ચાર રસ્તા પાસે એક એસયુવી કાર ચાલક યુવતીએ એક કારને અકસ્માત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં...

Read more

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : JEE Main 2026ના પરિણામો જાહેર, આવી રીતે જુઓ રિઝલ્ટ | JEE Main 2026 Resu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In