• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

satyasamachar by satyasamachar
January 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Surendranagar Sub Jail Overcrowded: સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. 1905માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન નિમત આ જેલની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી માળખું અત્યારના વધતા જતા ક્રાઈમ રેટ સામે વામણું પૂરવાર થઈ રહ્યું છે. પ્રથમ વખત જેલમાં કેદીઓની સંખ્યા 300ના આંકડાને સ્પર્શી ગઈ છે, જે જેલ પ્રશાસન માટે ખતરાની ઘંટડી સમાન છે.

જેલમાં કેદીની સંખ્યામાં ત્રણ ગણો વધારો

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર સબજેલની સત્તાવાર ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, પરંતુ હાલમાં અહીં 13 મહિલાઓ અને 287 પુરુષો સહિત કુલ 300 કેદીઓ સજા કાપી રહ્યા છે. આ સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ ધ્રાંગધ્રા સબજેલમાં ચાલી રહેલું રીનોવેશન કામ છે. ધ્રાંગધ્રા જેલ બંધ થતા ત્યાંના 30થી વધુ કેદીઓને પણ સુરેન્દ્રનગર ખસેડાયા છે. જેલમાં કેદીની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થા માટેનો સ્ટાફ અત્યંત મર્યાદિત છે. હાલ માત્ર 21 કર્મચારીઓ 300 કેદીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જેલ અધિક્ષક, સુબેદાર અને હવાલદાર જેવી મુખ્ય વહીવટી જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ

બે કેદીઓએ શેમ્પુ પીને આપઘાતનો પ્રયાસ કર્યો 

અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ બે કેદીઓએ શેમ્પુ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલોએ તંત્રને દોડતું કરી દીધું છે. જેલમાં જગ્યાના અભાવે કેન્ટીન કે અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ પણ શક્ય બની રહી નથી.

120 વર્ષમાં ક્યારેકય કામયી મેડિકલ ઓફિસરની નિમણૂક જ ન થઇ

જેલની ગંભીર પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જેલની સ્થાપનાથી આજ દિન સુધી (120 વર્ષમાં) અહીં ક્યારેય કાયમી મેડિકલ ઓફિસર કે ફિમેલ નર્સની નિમણૂક થઈ નથી. સામાન્ય બીમારીમાં પણ કેદીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે સ્ટાફને દોડધામ કરવી પડે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી સાબિત થઈ શકે છે.

10 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતો સ્ટાફ શંકાના દાયરામાં

જેલના વહીવટમાં બીજી એક મોટી સમસ્યા સ્ટાફની બદલી ન થવાની છે. જેલ સિપાઈ સહિતના 15થી વધુ કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી એક જ જેલમાં ફરજ બજાવી રહ્યા છે. લાંબા સમય સુધી એક જ સ્થળે રહેવાને કારણે કેદીઓ અને સ્ટાફ વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે જેલમાં ગેરકાયદે વસ્તુઓ કે પ્રતિબંધિત ચીજવસ્તુઓ પહોંચવી સરળ બની જાય છે, જે જેલની શિસ્તને નુકસાન પહોંચાડી રહી છે. તંત્ર દ્વારા આ સ્ટાફની તાત્કાલિક બદલી કરી નવા લોહીને સ્થાન આપવું અનિવાર્ય બન્યું છે.

નવી જેલના નિર્માણની તજવીજ

જેલની વણસતી જતી સ્થિતિનું નિરીક્ષણ કરવા એએસપી વેદિકા બિહાની, એલસીબી અને એસઓજી સહિતના કાફલાએ જેલની મુલાકાત લીધી હતી. 125ની ક્ષમતા સામે 300 કેદીઓનો આંકડો જોઈ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે બાકરથળી રોડ ઉપર નવી આધુનિક જેલ બનાવવા માટેની તજવીજ તેજ કરવામાં આવી છે. પોલીસ વિભાગ હાલમાં ન્યુસન્સ ફેલાવતા કેદીઓને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી રહ્યું છે જેથી જેલની સુરક્ષા જળવાઈ રહે.

Next Post
દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું – જેનો ડર હતો એ …

દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું – જેનો ડર હતો એ …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

Recent News

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…
GUJARAT

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

– યુપીના શાહજહાંપુરમાં નીટમાં નિષ્ફળ યુવકનું વિચિત્ર કારસ્તાન – બ્રિગેડિયર જેવો ડ્રેસ-કેપ, વૈભવી કાર, ડ્રાઇવર અને એનએસજી કમાન્ડો જેવા લાગતા...

Read more

આ AI મુઝે માર : ભારતમાં એઆઈને પોતાનું કૌશલ્ય શીખવાડી બેકાર થવાનો અનોખો બિઝનેસ | This AI is killing m…

બહુમત મળે તો ચોમાસુ સત્ર પહેલા જ સિમાંકન બિલ પસાર કરી દેવાશે | If majority is obtained the Delimitat…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In