![]()
પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી
શખ્સની હેરાનગતિથી પરેશાન થતા સગીરાએ પરિવારને જાણ કરી, પોલીસે તપાસ હાથ ધરી
આણંદ: આણંદના બોરસદમાં એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી એક શખ્સે તેણીના ઘરે જઈ મરજી વિરૂદ્ધ અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના બોરસદ ખાતે રહેતા સુજાનખાન સાદીકઉલ્લા ઉર્ફે શેરૂ પઠાણને થોડા માસ અગાઉ બોરસદની જ એક ૧૭ વર્ષીય સગીરા સાથે પરિચય થયો હતો.
દરમિયાન સુજાનખાને સગીરા સાથે મિત્રતા કેળવી તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. દરમિયાન સુજાનખાને વીતેલા છ માસ દરમિયાન સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણીના ઘરે કોઈ ન હોય ત્યારે તકનો લાભ લઇ સગીરાને મળવાના બહાને તેણીના ઘરે જઈ મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, તેવો નોંધાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. જોકે બાદમાં સગીરા સુજાન ખાનની હેરાનગતિથી પરેશાન થઈ ગઈ હતી અને તેણીએ સમગ્ર બાબત અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ચોંકી ઉઠયાં હતા અને બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુજાનખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.















