• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

Load More


(પ્રતિકાત્મક તસ્વીર

)

Gandhinagar News : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં જાણે નિર્ણયશક્તિનો દુકાળ પડ્યો હોય તેમ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના ભાવિ અધ્ધરતાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી (17 ઓગસ્ટ, 2025 થી) કોઈ પણ પ્રકારની જવાબદારી વગર ‘વેઇટિંગ ફોર પોસ્ટિંગ’માં રહેલા 10 જેટલા વરિષ્ઠ IPS અધિકારીઓ પૈકી 6 અધિકારીઓને આજે હંગામી ધોરણે અલગ-અલગ બ્રાન્ચમાં ‘એટેચ’ કરવામાં આવ્યા છે. કાયમી નિમણૂકની આશાએ બેઠેલા આ અધિકારીઓને ફરી એકવાર ‘એટેચમેન્ટ’ના નામે માત્ર હંગામી ઠેકાણું આપી દેવામાં આવ્યું છે.

નિર્ણયશક્તિના અભાવે અધિકારીઓ ‘ખૂણે’ મુકાયા

રાજ્યમાં નવા પોલીસ કમિશનરેટ અને નવી રેન્જ બનાવવાની જોરશોરથી વાતો ચાલતી હતી, પરંતુ સરકારના અકળ કારણોસર આ દિશામાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. પરિણામે, DIG અને SP કક્ષાના અધિકારીઓને પ્રમોશન મળ્યા હોવા છતાં તેઓ લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા. આ અધિકારીઓએ અગાઉ ગૃહમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.

ડીજીપી કક્ષાએ પણ ‘ઈનચાર્જ’નું શાસન

ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદ એવા રાજ્ય પોલીસ વડા (DGP) ની પોસ્ટ પર પણ હાલ સ્થિરતા નથી. ડૉ. કે.એલ.એન. રાવ હાલ ઈનચાર્જ DGP તરીકે કાર્યરત છે. જ્યારે તેમનાથી પણ સિનિયર એવા ડૉ. શમશેર સિંઘ કેન્દ્રમાંથી પરત આવ્યા હોવા છતાં હજુ પણ કાયમી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, ડૉ. શમશેર સિંઘની નિવૃત્તિને હવે માત્ર એક મહિનો બાકી છે, છતાં સરકાર તેમના અનુભવનો ઉપયોગ ક્યાં કરવો તે નક્કી કરી શકી નથી.

આજે કોને ક્યાં એટેચ કરાયા?

ગૃહ વિભાગના તાજેતરના હુકમ મુજબ 6 અધિકારીઓને પોલીસ ભવન, ગાંધીનગર ખાતે એટેચ કરવામાં આવ્યા છે:

તરુણ દુગ્ગલ: CID ક્રાઈમમાં એટેચ

ચૈતન્ય માંડલિક: પોલીસ સુધારણા (Police Reforms) વિભાગમાં

આર. ટી. સુસારા: ટેકનિકલ સર્વિસમાં

સુધા પાંડે અને સુજાતા મજુમદાર: પોલીસ તાલીમ (Police Training) વિભાગમાં

મયુર પાટીલ (SP): કાયદો અને વ્યવસ્થા (Law and Order) શાખામાં

પોલીસ બેડામાં ચર્ચા અને આક્રોશ

ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના છે જ્યાં DIG કક્ષાના 10-10 અધિકારીઓને આટલા લાંબા સમય સુધી વગર પોસ્ટિંગે રાખવામાં આવ્યા હોય. એટેચમેન્ટ પર મુકાયેલા આ અધિકારીઓને હજુ પણ કાયમી ઓફિસ કે સ્વતંત્ર સત્તા મળી નથી. પોલીસ બેડામાં ચર્ચા છે કે, જો રાજ્યમાં મહત્વની જગ્યાઓ ખાલી જ છે, તો આ સક્ષમ અધિકારીઓને કાયમી પોસ્ટિંગ આપવામાં કયું ‘કોકડું’ ગૂંચવાયું છે? આ ઘટનાક્રમ સાબિત કરે છે કે વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ અને અનિર્ણાયકતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓના મોરલ (મનોબળ) પર અસર કરી રહી છે.

ગુજરાત પોલીસમાં 'એટેચમેન્ટ'નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર 2 - image

Next Post
સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

Recent News

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
GUJARAT

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

કલેક્ટર કેતન ઠક્કરે ડીસીસી હાઈસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને મળી શુભકામનાઓ પાઠવી ઉત્સાહ વધાર્યો જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: ગુજરાત માધ્યમિક...

Read more

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો | Surat Fami…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In