• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી | Holi Ignited Onl…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી | Holi Ignited Onl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

Load More


Surat News : સુરત સહિત સમગ્ર દેશમાં હોળીકા દહનની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શાસ્ત્રોક્ત મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે સદીઓથી એક અનોખી પરંપરા અખંડ રીતે નિભાવવામાં આવી રહી છે. અહીં ગામમાં હોળી પ્રગટાવવા પહેલાં નૃસિંહ ભગવાનના મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે.  

અહીં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી

ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા અડધા મનુષ્ય અને અડધા સિંહ સ્વરૂપ ધરાવતા નૃસિંહ ભગવાનના 500 વર્ષથી વધુ પ્રાચીન મંદિર સાંધીએર ગામે આવેલું છે. મંદિર ભક્તોની ગાઢ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. મંદિરમાં આવેલી પ્રતિમા અત્યંત દુર્લભ ગણાય છે, જેમાં ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદ બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે નૃસિંહ ભગવાનની ઉગ્ર મુદ્રાવાળી પ્રતિમા જોવા મળે છે, જ્યારે અહીંનું સ્વરૂપ રક્ષક અને કરુણા ભર્યું છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવે છે.  

મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું?

મંદિરના ટ્રસ્ટી ભરત પુરોહિત કહે છે, સાંધીએર ગામમાં આશરે 1500 વર્ષ જૂની વણઝારા વાવ નજીક આ મંદિર આવેલું છે, જે સ્થાનની પ્રાચીનતા અને ઐતિહાસિક મહત્ત્વને ઉજાગર કરે છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નૃસિંહ ભગવાનના ગણતરીના જ મંદિરો આવેલા છે, જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક મંદિર અને સુરત જિલ્લાના સાંધીએર ગામમાં આ પ્રાચીન મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. દેશભરમાં પણ નૃસિંહ ભગવાનના મંદિરો મર્યાદિત સંખ્યામાં હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપિયા

તેઓ વધુમાં કહે છે, આમ તો 365 દિવસ આ મંદિરનું મહત્ત્વ છે પરંતુ હોળીના દિવસે આ મંદિરનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ મંદિર સાથે હોળીની લોકવાયકા પણ જોડાયેલી છે. હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિથી ન બળવાનો વરદાન મળેલો હતો. તે પ્રહલાદને ગોદમાં બેસાડી અગ્નિમાં બેઠી. પરંતુ ભક્તિની શક્તિથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા દહન થઈ ગઈ હતી. ભગવાન નૃસિંહે તેમના ભક્ત પ્રહલાદના દર્શન આપવા સાથે અસુર રાજા હિરણ્ય કશ્યપથી છુટકારો અપાવવા માટે નૃસિંહ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદ હોય તેવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે અને સાંધીએરમા આ પ્રતિમા 500 વર્ષ કરતાં પણ વધુ જૂની છે. 

 ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદની પ્રતિમા

આ મંદિરમાં ભગવાન નૃસિંહના ખોળામાં ભક્ત પ્રહલાદની પ્રતિમા હોય આ મંદિરનું મહત્ત્વ હોળી વખતે અનેકગણું વધી જાય છે. અહીં પહેલા મંદિરમાં પૂજા આરતી થાય છે ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. આધુનિક યુગમાં પણ સાંધીએર ગામે પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને અખંડ રાખી છે. નૃસિંહ ભગવાનના આશીર્વાદથી ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે એવી ગામજનોની અડગ શ્રદ્ધા છે. હોળીના પાવન અવસરે અહીં નિભાવાતી આ પરંપરા સાંધીએરને સમગ્ર ગુજરાતમાં અનોખી ઓળખ અપાવે છે.

આ પણ વાંચો: શું તમારા ઘરમાં પણ ઓપન કિચન છે? જાણો વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાયો

ચુના માટી, પથ્થરથી બનેલું મંદિર 500 વર્ષ અડીખમ

વિષ્ણુ ભગવાનના અવતાર એવા નૃસિંહના મંદિર ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે, તેમાંથી ગુજરાતમાં બે મંદિર છે. જેમાં સુરતના સાંધીએર ગામે ભગવાન નૃસિંહનું મંદિર 500 વર્ષ કરતા વધુ સમયનું હોવાનું કહેવાય છે. આ મંદિરનું નિર્માણ ચુના અને પથ્થરોથી થયું હતું. તેમ છતાં 500 વર્ષ સુધી અડીખમ રહ્યું હતું. આઠેક વર્ષ પહેલાં મંદિરમાંથી કેટલાક પથ્થર પડવાનું શરુ થયું હતું. પ્રતિમા ખંડિત ન થાય તેથી ગામલોકોએ ભેગા મળીને નવા મંદિરનું નિર્માણ કર્યું છે. 

નવા મંદિરમાં લોખંડનો ઉપયોગ ન કરી શિલ્પ શાસ્ત્ર પર બન્યું નવું મંદિર

સાંધીએર 500 વર્ષ કરતાં વધુ જૂનું ભગવાન નૃસિંહ મંદિર આઠેક મહિના પહેલા જર્જરિત થયું હતું, તેથી ગામલોકોએ ફાળો ભેગો કરીને મંદિર બનાવ્યું હતું. ટ્રસ્ટી કહે છે, એવું કહેવાય છે કે મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવાનો હોતો નથી. તેથી આ મંદિર શિલ્પ શાસ્ત્ર પર બનાવ્યું છે અને લોખંડની ખીલીનો પણ ઉપયોગ કર્યો નથી. નૃસિંહ ભગવાન રાજસ્થાનના અનેક સમાજના કુળદેવતા છે પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક રાજસ્થાની વસવાટ કરે છે. તેમના કુળદેવતાના દર્શન માટે રાજસ્થાન જવાનું હોય છે, પરંતુ સમયના અભાવે હવે અનેક રાજસ્થાનીઓ આ મંદિરે તેમના કુળદેવતાના દર્શન માટે આવવા લાગ્યા છે.

Next Post
કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી | Villagers strand…

કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી | Villagers strand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

Recent News

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…
GUJARAT

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

વડોદરા,હોળી ધૂળેટી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ  રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે....

Read more

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In