• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

satyasamachar by satyasamachar
January 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Kutch Earthquake 25 Years: 26 જાન્યુઆરીના રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન-5માંથી આગળ વધારીને ઝોન-6માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેવા કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના કુલ 32 ભૂકંપ નોંધાયા છે, જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે.

સૌરાષ્ટ્ર પણ હવે હાઈ-રિસ્ક ઝોનમાં

ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR)માં વર્ષ 2012થી નોંધાયેલા મોટા ભૂકંપોની વિગત અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 5.3ની તીવ્રતાનો ધરતીકંપ 14 જૂન, 2020ના રોજ નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2018 અને 2020માં 4.8ની તીવ્રતાના આંચકા પણ અંકિત થયા છે, જ્યારે ચાલુ વર્ષમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર આંચકો નોંધાયો છે. બીજી તરફ, નવા નિર્ધારિત ધોરણો મુજબ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ ભૂકંપ સંભવિત ઝોન-4 અને ઝોન-5માં સમાવેશ થાય છે.

સમાન તીવ્રતાના આંચકાની હારમાળા

સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો મોટાભાગે ‘સ્વાર્મ’ પ્રકારના હોય છે; જેનો અર્થ એ છે કે, કચ્છની જેમ એક મોટા ભૂકંપ બાદ અનેક આફ્ટર-શોક આવવાને બદલે અહીં ટૂંકા સમયગાળામાં ઉપરાઉપરી લગભગ સમાન તીવ્રતાના ભૂકંપોની હારમાળા સર્જાય છે. તાજેતરમાં જ ઉપલેટા અને તાલાલા પંથકમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જો કે, રાજકોટ, ઉપલેટા, ઉના અને તાલાલા જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં 4થી વધુ તીવ્રતાના ભૂકંપો પણ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સમાચાર આર્કાઈવ: જ્યારે ધરતી કંપી અને કલમ રડી, કચ્છ ભૂકંપના 25 વર્ષ પછી પણ જીવંત થતી વેદના

લેન્ડસ્કેપમાં મોટા ભૌગોલિક પરિવર્તનો

કચ્છમાં આવતા ભૂકંપો માત્ર સામાન્ય નથી પરંતુ અત્યંત જટિલ પણ છે; જ્યાં અગાઉથી જ KMF, KHF, સાઉથ વાગડ, ગેડી ફોલ્ટ અને આઈલેન્ડ બેલ્ટ જેવી ફોલ્ટલાઈનો ભૂકંપીય ગતિવિધિની દ્રષ્ટિએ સક્રિય છે. આ ઉપરાંત, હવે કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે ‘ઉલટ કોટડા’ તરીકે ઓળખાતી નવી ફોલ્ટલાઈન પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે કચ્છના ભૌગોલિક લેન્ડસ્કેપમાં મોટા પરિવર્તનો નોંધાયા છે. 

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 2 - image

આ પણ વાંચો: ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદના

ભય નહીં, જાપાન જેવી સજ્જતાની જરૂર

જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપની આગાહી વરસાદની જેમ શક્ય નથી, તેથી તેનો વ્યર્થ ભય રાખવાને બદલે જાપાનની જેમ સજ્જતા કેળવવી જરૂરી છે. જાપાનમાં જે રીતે સતત તીવ્ર ભૂકંપો વચ્ચે પણ સ્કૂલ, હોસ્પિટલ અને ફ્લેટમાં પૂર્વ તૈયારીની ટેવ વિકસાવવામાં આવી છે, તેમ આપણે પણ બાંધકામોને વધુ મજબૂત કરવા સાથે ભૂકંપ સુરક્ષાની આદત કેળવવાની જરૂર છે.

વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશ હોવા છતાં, જાપાનના લોકો કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર જીવે છે અને ત્યાં સરેરાશ આયુષ્ય 80 વર્ષથી પણ વધુ છે. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ જાપાન પાસેથી આ જીવનશૈલી અને સજ્જતા શીખવા જેવી છે.

4.0નો ભૂકંપ એટલે કેટલો શક્તિશાળી?

ભૂકંપનું માપન મેગ્નિટ્યુડમાં કરવામાં આવે છે, જેમાં તીવ્રતાનો વધારો સીધો(Linear) નથી હોતો. દાખલા તરીકે, 3.0ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ એ માત્ર 25 ટકાનો વધારો નથી, પરંતુ તે ધરતીને 10 ગણી વધુ શક્તિથી ધરતીને હલબલાવે છે અને તેનાથી 32 ગણી(આશરે 3200 ટકા) વધુ એનર્જી મુક્ત થાય છે. એ જ રીતે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા 2.5ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ આશરે 178 ગણો વધુ શક્તિશાળી હોય છે, જે લગભગ 6 ટન ટીએનટી(TNT) જેટલી પ્રચંડ ઊર્જા છોડે છે.


કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 3 - image



Kutch Earthquake 25 Years: 26 જાન્યુઆરીના રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન-5માંથી આગળ વધારીને ઝોન-6માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેવા કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના કુલ 32 ભૂકંપ નોંધાયા છે, જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે.

સૌરાષ્ટ્ર પણ હવે હાઈ-રિસ્ક ઝોનમાં

ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR)માં વર્ષ 2012થી નોંધાયેલા મોટા ભૂકંપોની વિગત અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 5.3ની તીવ્રતાનો ધરતીકંપ 14 જૂન, 2020ના રોજ નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2018 અને 2020માં 4.8ની તીવ્રતાના આંચકા પણ અંકિત થયા છે, જ્યારે ચાલુ વર્ષમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર આંચકો નોંધાયો છે. બીજી તરફ, નવા નિર્ધારિત ધોરણો મુજબ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ ભૂકંપ સંભવિત ઝોન-4 અને ઝોન-5માં સમાવેશ થાય છે.

સમાન તીવ્રતાના આંચકાની હારમાળા

સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો મોટાભાગે ‘સ્વાર્મ’ પ્રકારના હોય છે; જેનો અર્થ એ છે કે, કચ્છની જેમ એક મોટા ભૂકંપ બાદ અનેક આફ્ટર-શોક આવવાને બદલે અહીં ટૂંકા સમયગાળામાં ઉપરાઉપરી લગભગ સમાન તીવ્રતાના ભૂકંપોની હારમાળા સર્જાય છે. તાજેતરમાં જ ઉપલેટા અને તાલાલા પંથકમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જો કે, રાજકોટ, ઉપલેટા, ઉના અને તાલાલા જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં 4થી વધુ તીવ્રતાના ભૂકંપો પણ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સમાચાર આર્કાઈવ: જ્યારે ધરતી કંપી અને કલમ રડી, કચ્છ ભૂકંપના 25 વર્ષ પછી પણ જીવંત થતી વેદના

લેન્ડસ્કેપમાં મોટા ભૌગોલિક પરિવર્તનો

કચ્છમાં આવતા ભૂકંપો માત્ર સામાન્ય નથી પરંતુ અત્યંત જટિલ પણ છે; જ્યાં અગાઉથી જ KMF, KHF, સાઉથ વાગડ, ગેડી ફોલ્ટ અને આઈલેન્ડ બેલ્ટ જેવી ફોલ્ટલાઈનો ભૂકંપીય ગતિવિધિની દ્રષ્ટિએ સક્રિય છે. આ ઉપરાંત, હવે કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે ‘ઉલટ કોટડા’ તરીકે ઓળખાતી નવી ફોલ્ટલાઈન પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે કચ્છના ભૌગોલિક લેન્ડસ્કેપમાં મોટા પરિવર્તનો નોંધાયા છે. 

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 2 - image

આ પણ વાંચો: ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદના

ભય નહીં, જાપાન જેવી સજ્જતાની જરૂર

જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપની આગાહી વરસાદની જેમ શક્ય નથી, તેથી તેનો વ્યર્થ ભય રાખવાને બદલે જાપાનની જેમ સજ્જતા કેળવવી જરૂરી છે. જાપાનમાં જે રીતે સતત તીવ્ર ભૂકંપો વચ્ચે પણ સ્કૂલ, હોસ્પિટલ અને ફ્લેટમાં પૂર્વ તૈયારીની ટેવ વિકસાવવામાં આવી છે, તેમ આપણે પણ બાંધકામોને વધુ મજબૂત કરવા સાથે ભૂકંપ સુરક્ષાની આદત કેળવવાની જરૂર છે.

વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશ હોવા છતાં, જાપાનના લોકો કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર જીવે છે અને ત્યાં સરેરાશ આયુષ્ય 80 વર્ષથી પણ વધુ છે. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ જાપાન પાસેથી આ જીવનશૈલી અને સજ્જતા શીખવા જેવી છે.

4.0નો ભૂકંપ એટલે કેટલો શક્તિશાળી?

ભૂકંપનું માપન મેગ્નિટ્યુડમાં કરવામાં આવે છે, જેમાં તીવ્રતાનો વધારો સીધો(Linear) નથી હોતો. દાખલા તરીકે, 3.0ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ એ માત્ર 25 ટકાનો વધારો નથી, પરંતુ તે ધરતીને 10 ગણી વધુ શક્તિથી ધરતીને હલબલાવે છે અને તેનાથી 32 ગણી(આશરે 3200 ટકા) વધુ એનર્જી મુક્ત થાય છે. એ જ રીતે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા 2.5ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ આશરે 178 ગણો વધુ શક્તિશાળી હોય છે, જે લગભગ 6 ટન ટીએનટી(TNT) જેટલી પ્રચંડ ઊર્જા છોડે છે.


કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 3 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



Kutch Earthquake 25 Years: 26 જાન્યુઆરીના રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન-5માંથી આગળ વધારીને ઝોન-6માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેવા કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના કુલ 32 ભૂકંપ નોંધાયા છે, જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે.

સૌરાષ્ટ્ર પણ હવે હાઈ-રિસ્ક ઝોનમાં

ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR)માં વર્ષ 2012થી નોંધાયેલા મોટા ભૂકંપોની વિગત અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 5.3ની તીવ્રતાનો ધરતીકંપ 14 જૂન, 2020ના રોજ નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2018 અને 2020માં 4.8ની તીવ્રતાના આંચકા પણ અંકિત થયા છે, જ્યારે ચાલુ વર્ષમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર આંચકો નોંધાયો છે. બીજી તરફ, નવા નિર્ધારિત ધોરણો મુજબ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ ભૂકંપ સંભવિત ઝોન-4 અને ઝોન-5માં સમાવેશ થાય છે.

સમાન તીવ્રતાના આંચકાની હારમાળા

સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો મોટાભાગે ‘સ્વાર્મ’ પ્રકારના હોય છે; જેનો અર્થ એ છે કે, કચ્છની જેમ એક મોટા ભૂકંપ બાદ અનેક આફ્ટર-શોક આવવાને બદલે અહીં ટૂંકા સમયગાળામાં ઉપરાઉપરી લગભગ સમાન તીવ્રતાના ભૂકંપોની હારમાળા સર્જાય છે. તાજેતરમાં જ ઉપલેટા અને તાલાલા પંથકમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જો કે, રાજકોટ, ઉપલેટા, ઉના અને તાલાલા જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં 4થી વધુ તીવ્રતાના ભૂકંપો પણ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સમાચાર આર્કાઈવ: જ્યારે ધરતી કંપી અને કલમ રડી, કચ્છ ભૂકંપના 25 વર્ષ પછી પણ જીવંત થતી વેદના

લેન્ડસ્કેપમાં મોટા ભૌગોલિક પરિવર્તનો

કચ્છમાં આવતા ભૂકંપો માત્ર સામાન્ય નથી પરંતુ અત્યંત જટિલ પણ છે; જ્યાં અગાઉથી જ KMF, KHF, સાઉથ વાગડ, ગેડી ફોલ્ટ અને આઈલેન્ડ બેલ્ટ જેવી ફોલ્ટલાઈનો ભૂકંપીય ગતિવિધિની દ્રષ્ટિએ સક્રિય છે. આ ઉપરાંત, હવે કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે ‘ઉલટ કોટડા’ તરીકે ઓળખાતી નવી ફોલ્ટલાઈન પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે કચ્છના ભૌગોલિક લેન્ડસ્કેપમાં મોટા પરિવર્તનો નોંધાયા છે. 

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 2 - image

આ પણ વાંચો: ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદના

ભય નહીં, જાપાન જેવી સજ્જતાની જરૂર

જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપની આગાહી વરસાદની જેમ શક્ય નથી, તેથી તેનો વ્યર્થ ભય રાખવાને બદલે જાપાનની જેમ સજ્જતા કેળવવી જરૂરી છે. જાપાનમાં જે રીતે સતત તીવ્ર ભૂકંપો વચ્ચે પણ સ્કૂલ, હોસ્પિટલ અને ફ્લેટમાં પૂર્વ તૈયારીની ટેવ વિકસાવવામાં આવી છે, તેમ આપણે પણ બાંધકામોને વધુ મજબૂત કરવા સાથે ભૂકંપ સુરક્ષાની આદત કેળવવાની જરૂર છે.

વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશ હોવા છતાં, જાપાનના લોકો કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર જીવે છે અને ત્યાં સરેરાશ આયુષ્ય 80 વર્ષથી પણ વધુ છે. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ જાપાન પાસેથી આ જીવનશૈલી અને સજ્જતા શીખવા જેવી છે.

4.0નો ભૂકંપ એટલે કેટલો શક્તિશાળી?

ભૂકંપનું માપન મેગ્નિટ્યુડમાં કરવામાં આવે છે, જેમાં તીવ્રતાનો વધારો સીધો(Linear) નથી હોતો. દાખલા તરીકે, 3.0ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ એ માત્ર 25 ટકાનો વધારો નથી, પરંતુ તે ધરતીને 10 ગણી વધુ શક્તિથી ધરતીને હલબલાવે છે અને તેનાથી 32 ગણી(આશરે 3200 ટકા) વધુ એનર્જી મુક્ત થાય છે. એ જ રીતે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા 2.5ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ આશરે 178 ગણો વધુ શક્તિશાળી હોય છે, જે લગભગ 6 ટન ટીએનટી(TNT) જેટલી પ્રચંડ ઊર્જા છોડે છે.


કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 3 - image



Kutch Earthquake 25 Years: 26 જાન્યુઆરીના રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન-5માંથી આગળ વધારીને ઝોન-6માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેવા કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના કુલ 32 ભૂકંપ નોંધાયા છે, જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે.

સૌરાષ્ટ્ર પણ હવે હાઈ-રિસ્ક ઝોનમાં

ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR)માં વર્ષ 2012થી નોંધાયેલા મોટા ભૂકંપોની વિગત અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 5.3ની તીવ્રતાનો ધરતીકંપ 14 જૂન, 2020ના રોજ નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2018 અને 2020માં 4.8ની તીવ્રતાના આંચકા પણ અંકિત થયા છે, જ્યારે ચાલુ વર્ષમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર આંચકો નોંધાયો છે. બીજી તરફ, નવા નિર્ધારિત ધોરણો મુજબ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ ભૂકંપ સંભવિત ઝોન-4 અને ઝોન-5માં સમાવેશ થાય છે.

સમાન તીવ્રતાના આંચકાની હારમાળા

સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો મોટાભાગે ‘સ્વાર્મ’ પ્રકારના હોય છે; જેનો અર્થ એ છે કે, કચ્છની જેમ એક મોટા ભૂકંપ બાદ અનેક આફ્ટર-શોક આવવાને બદલે અહીં ટૂંકા સમયગાળામાં ઉપરાઉપરી લગભગ સમાન તીવ્રતાના ભૂકંપોની હારમાળા સર્જાય છે. તાજેતરમાં જ ઉપલેટા અને તાલાલા પંથકમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જો કે, રાજકોટ, ઉપલેટા, ઉના અને તાલાલા જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં 4થી વધુ તીવ્રતાના ભૂકંપો પણ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સમાચાર આર્કાઈવ: જ્યારે ધરતી કંપી અને કલમ રડી, કચ્છ ભૂકંપના 25 વર્ષ પછી પણ જીવંત થતી વેદના

લેન્ડસ્કેપમાં મોટા ભૌગોલિક પરિવર્તનો

કચ્છમાં આવતા ભૂકંપો માત્ર સામાન્ય નથી પરંતુ અત્યંત જટિલ પણ છે; જ્યાં અગાઉથી જ KMF, KHF, સાઉથ વાગડ, ગેડી ફોલ્ટ અને આઈલેન્ડ બેલ્ટ જેવી ફોલ્ટલાઈનો ભૂકંપીય ગતિવિધિની દ્રષ્ટિએ સક્રિય છે. આ ઉપરાંત, હવે કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે ‘ઉલટ કોટડા’ તરીકે ઓળખાતી નવી ફોલ્ટલાઈન પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે કચ્છના ભૌગોલિક લેન્ડસ્કેપમાં મોટા પરિવર્તનો નોંધાયા છે. 

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 2 - image

આ પણ વાંચો: ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદના

ભય નહીં, જાપાન જેવી સજ્જતાની જરૂર

જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપની આગાહી વરસાદની જેમ શક્ય નથી, તેથી તેનો વ્યર્થ ભય રાખવાને બદલે જાપાનની જેમ સજ્જતા કેળવવી જરૂરી છે. જાપાનમાં જે રીતે સતત તીવ્ર ભૂકંપો વચ્ચે પણ સ્કૂલ, હોસ્પિટલ અને ફ્લેટમાં પૂર્વ તૈયારીની ટેવ વિકસાવવામાં આવી છે, તેમ આપણે પણ બાંધકામોને વધુ મજબૂત કરવા સાથે ભૂકંપ સુરક્ષાની આદત કેળવવાની જરૂર છે.

વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશ હોવા છતાં, જાપાનના લોકો કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર જીવે છે અને ત્યાં સરેરાશ આયુષ્ય 80 વર્ષથી પણ વધુ છે. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ જાપાન પાસેથી આ જીવનશૈલી અને સજ્જતા શીખવા જેવી છે.

4.0નો ભૂકંપ એટલે કેટલો શક્તિશાળી?

ભૂકંપનું માપન મેગ્નિટ્યુડમાં કરવામાં આવે છે, જેમાં તીવ્રતાનો વધારો સીધો(Linear) નથી હોતો. દાખલા તરીકે, 3.0ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ એ માત્ર 25 ટકાનો વધારો નથી, પરંતુ તે ધરતીને 10 ગણી વધુ શક્તિથી ધરતીને હલબલાવે છે અને તેનાથી 32 ગણી(આશરે 3200 ટકા) વધુ એનર્જી મુક્ત થાય છે. એ જ રીતે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા 2.5ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ આશરે 178 ગણો વધુ શક્તિશાળી હોય છે, જે લગભગ 6 ટન ટીએનટી(TNT) જેટલી પ્રચંડ ઊર્જા છોડે છે.


કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 3 - image

Next Post
ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ…

ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

Recent News

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…
GUJARAT

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

Today Gold And Silver Rate : મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદ સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ...

Read more

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In