![]()
નવી દિલ્હી,૧૨ ફેબુ્આરી,૨૦૨૬,ગુરુવાર
ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમના ૫ યુનિટની ખરીદી કરવાની ડીલ ૨૦૧૮માં થઇ હતી. મૂળ સોદો ૪૦૦૦ કરોડ રુપિયાનો હતો. ભારતને આ પ્રકારના એડવાંસ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની જરુરિયાત દુશ્મનોના આધુનિક ફાયટર જેટ,ક્રુઝ મિસાઇલો અને બેલેસ્ટિક મિસાઇલોને નિષ્ફળ બનાવવા માટે ઉભી થઇ હતી. આ ડિફેન્સ સિસ્ટમની ૩ સ્કવાડ્રન (યુનિટ) રશિયાએ આપી હતી જયારે બે બાકી હતી.યુક્રેન યુધ્ધના પગલે રશિયા પાસે લાંબા સમયથી વિલંબિત થયેલી એસ ૪૦૦ ડિફેન્સ સિસ્ટમ ભારતને મોકલવાનું રશિયા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે.
બાકી બે સિસ્ટમમાંથી એક જુલાઇ આસપાસ જયારે બીજી ડિસેમ્બર ૨૦૨૬ સુધી મળી શકે છે. એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારતીય એરફોર્સના મહત્વકાંક્ષી મિશન સુદર્શન ચક્રનો એક હિસ્સો છે. સુદર્શન નામધારી આ ડિફેન્સ સિસ્ટમે દુનિયાની શ્રેષ્ઠ સિસ્ટમ તરીકે ઓળખ ઉભી કરી છે. ભારતે ગત મે મહિનામાં પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કરી ત્યારે એર ડિફેન્સ સિસ્ટમ ખૂબજ પ્રભાવી સાબીત થઇ હતી. ભારતનું સૈન્ય એસ -૪૦૦ની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહયું છે ત્યારે યુનિટ નંબર ૪ મે અથવા જુન જયારે યુનિટ નંબર ૫ વર્ષન અંત સુધીમાં ભારતીય વાયુસેનાને મળી જશે એમ ડિફેન્સ ડૉટના અહેવાલમાં જાણવા મળે છે. ગત વર્ષ રશિયાના રાષ્ટ્રપતિ ભારત-રશિયા શિખર સંમેલન માટે દિલ્હી આવ્યા ત્યારે આ બાહેધરી આપવામાં આવી હતી.















