![]()
અમદાવાદ : ભારતીય રિફાઇનર્સ તેમની ક્ડ ઓઇલ આયાત વ્યૂહરચનાનું પુનર્ગઠન કરી રહ્યા છે. ટોચના આયાતકાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી રહ્યા છે અને પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઇલની આયાત વધારી રહ્યા છે. આ વ્યૂહરચના ભારતને અમેરિકા સાથે વેપાર કરાર સુરક્ષિત કરવામાં અને ટેરિફ ઘટાડવામાં મદદ કરી શકે છે.
યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી, ભારત દરિયાઈ માર્ગે રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો આયાતકાર બન્યો હતો. જોકે, યુદ્ધ શરૂ થયા પછી, પશ્ચિમી દેશોએ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લાદ્યા હતા. પશ્ચિમી દેશોએ દલીલ કરી હતી કે રશિયા ક્રૂડ ઓઇલ વેચીને યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. ભારતે રશિયાને બદલે પશ્ચિમી તેલ ઉત્પાદકો પાસેથી ખરીદી શરૂ કરી હતી. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠને (ઓપેક) ઉચ્ચ ઉત્પાદન દ્વારા વૈશ્વિક બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખ્યો. આનાથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવામાં પણ મદદ મળી.
ત્રણ રિફાઇનિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ-ભારત વેપાર કરારને ઝડપી બનાવવા માટે સરકારી બેઠકમાં ચર્ચા બાદ ભારતીય રિફાઇનર્સે રશિયન તેલની ખરીદી ઘટાડવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે રશિયન ક્રૂડ ઓઇલની ભારે ખરીદીને કારણે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર બમણી ૫૦ ટકા આયાત ડયુટી લાદી હતી.
સરકારી માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ અને ખાનગી રિફાઇનરી HPCL-મિત્તલ એનર્જી લિમિટેડે રશિયન તેલની ખરીદી પહેલાથી જ બંધ કરી દીધી હતી.















