• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની | Ajit Paw…

satyasamachar by satyasamachar
January 29, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની | Ajit Paw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Ajit Pawar Death News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના મેદાનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં હજારો સમર્થકો અને દિગ્ગજ નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11:00 વાગ્યે તેમના પૈતૃક ગામ કાટેવાડી ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના નેતાઓએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની 2 - image

દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચના મોત

  • સવારે 08:18થી 08:45 : લેન્ડિંગની તે 27 મિનિટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રિપોર્ટ અનુસાર, અજિત પવારનું ચાર્ટર વિમાન (VT-SSK) મુંબઈથી બારામતી આવવા રવાના થયું હતું.
  • સવારે 08:18 વાગ્યે વિમાને બારામતી એટીસી સાથે સંપર્ક કર્યો. ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી માત્ર 800થી 3000 મીટરની વચ્ચે હતી. પાયલોટે પ્રથમ પ્રયાસમાં રનવે ન દેખાતા લેન્ડિંગ રદ કર્યું હતું.
  • સવારે 08:43 વાગ્યે પાયલોટે બીજા પ્રયાસ કરી રનવે દેખાતો હોવાની પુષ્ટિ કરી અને એટીસીએ મંજૂરી આપી હતી.
  • સવારે 08:44 વાગ્યે વિમાન અચાનક હવામાં ગોથું ખાઈને જમીન પર પટકાયું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શામ્ભવી પાઠક, પીએસઓ વિદીપ જાધવ અને એટેન્ડન્ટ પિંકી માલીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની 3 - image

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન, આવતીકાલે અંતિમ યાત્રા

અજિત પવારના પાર્થિવ દેહને મોડી રાત સુધી વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે, જેથી ગામના લોકો અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કરી શકે. મોટી સંખ્યામાં ભીડ તેમના દર્શન માટે ઉમટી રહી છે. ગુરુવારે સવારે 09:00 વાગ્યે તેમની અંતિમ યાત્રા ગદિમા સભાગૃહથી શરૂ થશે. આ યાત્રા વિદ્યાનગરી ચોક, ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈને મુખ્ય મેદાન સુધી પહોંચશે, જ્યાં સવારે ૧૧:૦૦ વાગ્યે અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે.

VIDEO | Baramati: Ajit Pawar’s wife Sunetra Pawar with daughter-in-law Rutuja Patil at Vidya Pratishthan.#AjitPawarPlaneCrash #BaramatiCrash

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Nh0rqMNlZi

— Press Trust of India (@PTI_News) January 28, 2026

આ પણ વાંચો : VIDEO : અજિત પવારનું નિધન: ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની 4 - image

રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક

અજિત પવારના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. શરદ પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને હસન મુશ્રીફ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ બારામતી પહોંચી સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. અજિત પવારની ઓળખ તેમના કપડાં અને ઘડિયાળ પરથી કરવામાં આવી હતી. તેમના નાના પુત્ર જય પવાર પાર્થિવ દેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. શરદ પવાર, સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર હોસ્પિટલ પહોંચતા જ અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાઈના મોતના સમાચારથી સુપ્રિયા સુલે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

આ પણ વાંચો : બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે ‘કાળ’ સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની 5 - image

અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી : ‘આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.’
  • મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ : ‘દાદા હવે આપણી વચ્ચે નથી રહ્યા. મેં એક વિશાળ હૃદય ધરાવતા સાહસી મિત્રને ગુમાવ્યા છે. આ સમાચાર અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક છે. આ મારી વ્યક્તિગત ક્ષતિ છે જે ક્યારેય ભરી શકાશે નહીં.’
  • શરદ પવાર : ‘અજિત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુઃખી છે. આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે, તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ. મહારાષ્ટ્રએ આજે એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારેય ચૂકવી શકાશે નહીં.’
  • પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી : ‘હું આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ છું. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઈએ.’
  • કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત : ‘એક અકસ્માતમાં આવા નેતાનું અચાનક ચાલ્યા જવું ખૂબ જ દુઃખદ છે. સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ આની તપાસ કરવામાં આવશે. અત્યારે શોકગ્રસ્ત પરિવાર સાથે ઊભા રહેવાનો સમય છે.’
  • કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ : ‘આ ખૂબ જ દુઃખની વાત છે, અમે સ્વીકારી નથી શકતા કે તેઓ હવે નથી રહ્યા. DGCA અને AAIB ને એલર્ટ કરવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.’

બારામતીમાં સ્મારકનું નિર્માણ કરવાની જાહેરાત

નોંધનીય છે કે, તપાસમાં સામે આવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન સંપૂર્ણ રીતે ઉડાન ભરવા સક્ષમ હતું અને તમામ પ્રમાણપત્રો વેલિડ હતા. પાયલોટ સુમિત કપૂર પાસે 15000 કલાકથી વધુનો ઉડાન અનુભવ હતો. વિમાન કેવી રીતે ક્રેશ થયું તેની ઊંડી તપાસ હાલ ચાલી રહી છે. અજિત પવારની યાદમાં બારામતીમાં એક સ્મારકનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Next Post
નારોલ તળાવમાં યુવકનો મૃતદેહ મળ્યો હત્યા કે આત્મહત્યા | Inisin emon aluwol a kuna lon ewe chanpupu

નારોલ તળાવમાં યુવકનો મૃતદેહ મળ્યો હત્યા કે આત્મહત્યા | Inisin emon aluwol a kuna lon ewe chanpupu

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

Recent News

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …
GUJARAT

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

PM Modi On President Murmu West Bengal Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ શનિવારે(7 માર્ચ, 2026) આદિવાસી સમુદાય માટેના એક કાર્યક્રમમાં...

Read more

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું | Gujarat ATS nabbed accuse…

પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In