અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સમાજમાં અનેક વિવિધ કારણોસર ગુનો આચરવામાં આવતા હોય છે પરંતુ ગુના બાદ પોલીસને હાથે ચડતા પોતાના ગુના કરવાનો અફસોસ પણ થાય છે પરંતુ ત્યાં સુધી સમય વીતી ચુક્યો હોય છે. છતાંય પોલીસ તેઓ પોતાની છબી સમાજમાં પુનસ્થાપિત કરે તેવા પ્રયાસો કરે છે.
અમદાવાદ પોલીસના ઝોન-૪ વિસ્તારમાં ગુનેગારો પર લગામ કસવા અને તેઓને ગુનો કરતો અટકાવવા ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. ઝોન 4 ડીસીપી અતુલ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ત્રણ-ચાર વર્ષના ચેઈન સ્નેચિંગના રીઢા ગુનેગારોને પોલીસ સ્ટેશને તેડાવ્યા હતા.
ઝોન 4 માં આવતા સાત પોલીસ સ્ટેશનના આશરે ૨૦ થી ૨૫ આરોપીઓની એકસાથે ઓળખ પરેડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ‘ડોઝિયર’ને સ્થળ પર જ અપડેટ કરાયા હતા. આ આરોપીઓ ફરી ગુનાખોરી તરફ ન વળે તે માટે પોલીસ દ્વારા ખાસ સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક આરોપી પર દેખરેખ રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ‘મેન્ટર’ની નિમણૂક કરાઈ છે જે પોલીસ મેન્ટર હવે સમયાંતરે આરોપીઓને ફોન કરીને કે ઘરે જઈને ચેક કરશે તેઓની તાજા સ્થિતિનો તાગ મેળવશે તેમજ અન્ય વિસ્તારમાં રહેતા આરોપીઓ પર જે-તે સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નજર રાખશે. આ પ્રસંગે પો સ્ટે પીઆઇ સહિત તમામ સાત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના જવાનો આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.
ડીસીપી ઝોન 4 અતુલકુમાર બંસલના જણાવ્યા મુજબ
પોલીસનો મુખ્ય હેતુ શહેરમાં ચેઈન સ્નેચિંગના તેમજ અન્ય બનાવો અટકાવી કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને આ ગુનેગારો ગુનાનો માર્ગ ભૂલી સમાજમાં ફરી સક્ષમ બને અને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવે તે છે.

















