![]()
ઈરાન અને ઇઝરાઇલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ભારત પર પણ તેની અસર પડી રહી છે. પ્રાથમિક દિવસોમાં એલપીજી સિલિન્ડર અને ત્યારબાદ તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ માટે પેટ્રોલ પંપો પર સતત બે દિવસ સુધી લોકોમાં પેનિકને કારણે ભારે ઘસારો રહ્યા બાદ સ્થિતિ યથાવત થઈ હતી. જ્યારે બીજી બાજુ પાલિકાના પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો સામાન્ય કરતા થોડા વિલંબથી મળતો હોવાના કારણે તંત્ર દ્વારા અગત્યની હોય તેવી કામગીરીને પ્રાધાન્ય અપાય છે. સામાન્ય રીતે આઈઓસીએલ દ્વારા પાલિકાને અપાતા ડીઝલના જથ્થામાં કોઈ કપાત કરવામાં આવી નથી. ડીઝલનો જથ્થો ક્યારેક મોડો જરૂર મળે છે પરંતુ જથ્થામાં કોઈ પણ જાતની કપાત આજની સુધી કરાઈ નથી. ક્યારેક નિયત સમય કરતા ડીઝલનો જથ્થો મોડો જરૂર મળે છે. તેમ છતાં પણ પાલિકાની કામગીરીમાં હાલ કોઈ વિલંબ થતો નથી.
પ્રત્યેક વોર્ડમાં ફાળવાયેલી ગાડીઓમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. અગાઉના રાબેતા મુજબ તમામ ગાડીઓ ચાલી રહી છે. હવે જો ડીઝલના જથ્થામાં ક્યારેક ભવિષ્યમાં કાપ આવશે તો પણ તંત્રની જે અગત્યની કામગીરી છે એને પ્રાધાન્ય અપાશે તેમ પાલિકા વ્હીકલ પુલ દ્વારા જણાવ્યું હતું.















