![]()
Mehsana News : મહેસાણા જિલ્લામાં જમીન સંપાદન કેસ મામલે ખેડૂતોના હક માટે કોર્ટે મોટો નિર્ણય લીધો છે. જેમાં સંપાદનનું વળતર ન ચૂકવતા કોર્ટે અરજદારના પક્ષમાં ચુકાદો આપી લાખોનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ સાથે જમીન સંપાદન અધિકારી નર્મદા યોજનાની કચેરીને સીલ મારવામાં આવ્યું છે.
મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સીલ
મળતી માહિતી મુજબ, મહેસાણાના મુખ્ય સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલતા LAR નં.17/2015 થી 26/2015 કેસમાં અરજદાર પી.એસ. પટેલને રાહત મળી છે. જમીન સંપાદન કેસને લઈને કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવી રૂ.35થી 40 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
જમીન સંપાદન કેસ મામલે અરજદારે નાયબ કલેક્ટર અને નર્મદા યોજના હેઠળના ખાસ જમીન સંપાદન અધિકારી સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેસને લઈને કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, ‘નિર્ધારિત સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં નહીં આવે તો વ્યાજ સાથે ચુકવણી કરવી પડશે.’ આ નિર્ણયથી અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો: સાબરકાંઠામાં તમાકુની ખરીદીનો પ્રારંભ: 3 દિવસમાં 8 હજાર બોરીની આવક, ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
મહેસાણા કલેક્ટર કચેરી બહુમાળીમાં આવેલા નાયબ કલેક્ટર સ્વપ્નિલ વાળંદના હસ્તક આવેલા ખાસ જમીન સંપાદન અધિકારી નર્મદા યોજનાની કચેરીને કોર્ટના હુકમથી ફર્નિચરને કોમ્પ્યુટર સરકારી રો મટીરીયલની જપ્તી કરીને રૂમને સીલ મારવામાં આવ્યું છે.















