![]()
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં ચાલતી કથાના સ્થળે પરવાનગી વગર રાઇડ્સ રાખવા બદલ સંચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં ૨૪ જણાનો ભોગ લેવાયા બાદ રાજ્યભરમાં ગેમ ઝોન અને રાઇડ્સ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા હતા.જેમાં પોલીસ કમિશનરની પરવાનગીનો પણ ઉલ્લેખ હતો.
ગોત્રી વિસ્તારમાં આવેલા કલાનગરી ગરબા ગ્રાઉન્ડમાં હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જે સ્થળે રાઇડસ પણ રાખવામાં આવી હતી.ગોત્રી પોલીસે તપાસ કરતાં સંચાલક ઘનશ્યામ વાવડિયાએ કોઇ પરવાનગી લીધી નહિ હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.















