![]()
અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ
દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ.બસ દોડાવવામા આવે છે. આ બસોમાં છેલ્લા પાંચ વર્ષમાં
૭૯૨૬૩ બ્રેકડાઉન નોંધાયા હોવાનો બજેટ બેઠકમાં ઉલ્લેખ કરાતા મ્યુનિસિપલ કમિશનર પણ
મૂંઝાયેલા જોવા મળ્યા હતા.તેમણે બ્રેકડાઉનની સાચી સંખ્યા તેઓ આપશે તેમ
વિપક્ષનેતાને કહ્યુ હતુ.
અમદાવાદ જનમાર્ગ લિમિટેડને મ્યુનિસિપલ કોર્પોરેશન
બી.આર.ટી.એસ.બસ દોડાવવા માટે દર વર્ષે કરોડો રુપિયા લોન પેટે આપે છે. આમ છતાં
બી.આર.ટી.એસ.માં કયાં -શું ચાલી રહ્યુ છે તે અંગે કોર્પોરેટરોને જાણ થતી નથી તેવી
બોર્ડ બેઠકમાં વિપક્ષ તરફથી રજૂઆત કરાઈ
હતી.દરમિયાન વિપક્ષનેતાએ બી.આર.ટી.એસ.બસોના બ્રેકડાઉનના આંકડા ચકાસવા કમિશનરને
વિનંતી કરતા કમિશનરે કહયુ,આપવામા
આવેલા આંકડા વેરીફાય કરીને તમને અપાશે.વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો હતો કે,બી.આર.ટી.એસ.કયા
અધિકારી સંભાળે છે તે કોઈ જાણતુ નથી.
અમદાવાદની અરબી ઘોડા સાથે સરખામણી કરાઈ
અમદાવાદને વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર
બનવાની તક મળી છે. આ મુદ્દે બોર્ડ બેઠકમાં
વિપક્ષ તરફથી મ્યુનિસિપલ કમિશનરને યજમાની કરવાની દાવેદારીની રેસમા કુલ કેટલા દેશ
હતા તે અંગે પુછતા કમિશનરે પાંચ દેશ હોવાનુ કહ્યુ હતુ. અંતમા અમદાવાદ અને
નાઈજીરીયા વચ્ચે સ્પર્ધા હતી.તે
બાબતને લઈ વિપક્ષનેતાએ અમદાવાદને અરબી
ઘોડા સાથે સરખાવતા ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવતા નેતાએ કહ્યુ, મે અમદાવાદને
અરબી ઘોડા સાથે સરખાવ્યુ છે. ખચ્ચર સાથે નહીં. મને પણ અમદાવાદને યજમાની મળી તેનુ
ગર્વ છે.
















