![]()
General Anil Chauhan : મહારાષ્ટ્રના પુણેમાં યોજાયેલા એક સેમિનારને સંબોધતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સુરક્ષા અને વિદેશ નીતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી અને ભરોસાપાત્ર નથી. ભારતે તમામ પરિસ્થિતિમાં સ્વતંત્ર કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
રાષ્ટ્રીય હિતો મુજબ નીતિઓ બદલાતી રહે છે : જનરલ ચૌહાણ
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યારે વૈશ્વિક સ્થિતિ બદલાય છે, ત્યારે કોઈપણ દેશ સાથે કાયમી સંબંધ રહેતો નથી. પરિસ્થિતિ અને રાષ્ટ્રીય હિતો મુજબ નીતિઓ બદલાતી રહે છે. આવી સ્થિતિમાં ભારતે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ભારતની સુરક્ષા અને વિદેશ નીતિના આધાર મુજબ રાષ્ટ્રીય હિત સર્વોપરી હોવો જોઈએ. કોઈપણ ગઠબંધન કે ભાગીદારીને આ જ દ્રષ્ટિકોણથી જોવો જોઈએ.’
આ પણ વાંચો : રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? જાણો કોની સાથે કરી મુલાકાત
‘દબાણ લાવવા વેપારનો હથિયાર તરીકે ઉપયોગ’
તેમણે સંકેત આપ્યા છે કે, ‘વિશ્વમાં સુરક્ષાની સ્થિતિ ઝડપી બદલાઈ રહી છે અને અનિશ્ચિતતા વધી રહી છે. આજના સમયમાં વ્યૂહાત્મક દબાણ લાવવા માટે વેપાર, સપ્લાય ચેન, ટેનકોલોજી અને મહત્ત્વના સંશાધનોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. લાંબા અંતરની અને ચોક્કર ટાર્ગેટ કરતા હથિયારોના વિકાસે બળપ્રયોગની સ્થિતિ ઘટાડી દીધી છે.’
પારંપરિક યુદ્ધની વ્યાખ્યા બદલાઈ ગઈ
તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ યુદ્ધ માટે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી, જોકે હવે તેમાં ઘટાડો થયો છે. હાલના સ્પર્ધાત્મક સમયમાં પ્રોક્સી યુદ્ધ, સિમિત ઓપરેશન અને સાઈબર પ્રવૃત્તિઓનો ઉપયોગ તરીકે થઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, ‘માહિતી અને સંજ્ઞાનાત્મક યુદ્ધ (કોગ્નિટિવ વોરફેર) હવે મુખ્ય યુદ્ધક્ષેત્ર બન્યું છે, જ્યાં માત્ર સેના જ નહીં પરંતુ સમગ્ર સમાજને લક્ષ્ય બનાવવામાં આવે છે.’
આ પણ વાંચો : તેલંગાણા ચૂંટણી : કોંગ્રેસે આપ્યો ભાજપ અને BRSને ઝટકો, જાણો પરિણામ
















