Jamnagar Theft Case : જામનગરના મોહન નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને સોનાના દાગીના, રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.2,60,500 ના મુદામાલ સાથે એલ.સી.બીની ટુકડીએ બે આરોપીને ઝડપી લીધા છે.
જામનગરના મોહનનગર વિસ્તારમાં જય જલારામ નામના મકાનમાં રહેતા વર્ષાબેન પ્રભુદાસ રતીલાલ લુકકાના રહેણાંક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં લાકડાના કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂપીયા 40,000મળી કુલ રૂ.1,10,000 ની ચોરી કરી લઇ જતાં અજાણયા ચોર ઇસમો વિરુધ્ધમાં સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટુકડીએ તપાસમાં ઝૂકાવ્યું હતું, અને ચોરીનો ભેદ ઉકેલી નાખી બે તસ્કરોને ઝડપી લીધા છે. એલ.સી.બી. પોલીસેની અલગ અલગ ટીમો બનાવી ચોરીઓ ડીટેકટ કરવા કમાન્ડ કંટ્રોલમાં (નેત્રમ) સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ હતુ. દરમ્યાન એલ.સી.બી.ની ટુકડીએ ચોરીનો ભેદ પેલી નાખી બે આરોપીઓ પ્રદિપભાઇ ઉર્ફે પદીયો કારૂભાઇ કેશુભાઇ પઢારીયા (રહે. ગોંડલ ચોકડી પાસે, રાજકોટ) અને જગદીશભાઇ ઉર્ફે જગો ગુણવંતભાઈ નિમાવત (રહે. સોલવંત કોઠારીયા, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર રાજકોટ) ને ઝડપી લીધા છે. જેઓ પાસેથી ચોરાઉ સોનાના દાગીના, રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.2,50,500 નો મુદામાલ કબજે કરી લીધો છે. અને તેઓને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.















