![]()
વડોદરા,પાવાગઢ સાસરીમાં ગયેલા યુવકને સ્ટ્રોક આવતા તેની તબિયત બગડી હતી. ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીનું મોત થતા પરિવારે હોસ્પિટલની નિષ્કાળજીનો આક્ષેપ કર્યો હતો.
શહેર નજીકના અણખોલ ગામે રહેતો અને પ્લમ્બિંગનું કામ કરતો રણજીત નાયક નામનો યુવક તેની પત્ની સાથે સાસરીમાં પાવાગઢ ગયો હતો. ત્યાં તેને સ્ટ્રોક આવતા હાલોલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સારવારનો ખર્ચ વધુ હોઇ તેને ગોત્રી હોસ્પિટલમાં પરિવારજનો લઇ આવ્યા હતા. દર્દીના પરિવારનો આક્ષેપ છે કે, અમે ફાઇલ લઇને ડોક્ટરો પાસે દોડતા રહ્યા પણ કોઇએ સારવાર ના કરી. જેથી, દર્દીનું મોત થયું છે. આ અંગે ગોત્રી હોસ્પિટલના આર.એમ.ઓ. એ જણાવ્યું હતું કે, દર્દીને સિવિયર સ્ટ્રોક આવ્યો હતો. અમે અહીંયા એમ.આર.આઇ. અને સીટી સ્કેન પણ કરાવ્યું હતું. દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. દર્દીના પરિવારજનોના આક્ષેપ ખોટા છે.















