Ahmedabad News: અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બની ગયું છે. છેલ્લા 10 વર્ષમાં જ 1628 વ્યક્તિએ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો છે.
આપઘાત કરનારામાં 1322 પુરુષ
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છેલ્લા 10 વર્ષમાં આપઘાત કરનારામાં 1322 પુરુષ, 290 મહિલા અને 16 બાળકોનો સમાવેશ થાય છે. જાણકારોના મતે સેલ્ફી લેવાના ચક્કરથી માંડીને બીમારી, પ્રેમ સંબંધો, કુટેવો, ઘરના કંકાસથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમવા બાબતે હિંસક અથડામણ, જાહેરમાં ફાયરિંગ થતા ચકચાર
રિવરફ્રન્ટમાં કોઈ વ્યક્તિ આપઘાત કરી રહી હોવાના ફાયર બ્રિગેડને 10 વર્ષમાં 2044 કોલ્સ મળ્યા છે, આ પૈકી 415નો જીવ બચાવવામાં સફળતા મળી છે. ક્યારેક તો નદીમાં નાખવામાં આવતા કચરાને કારણે રેસ્ક્યુ બોટ સમયસર પહોંચી શકતી નથી અને તેને કારણે નદીમાં આપઘાત કરનારને જીવતા બહાર કાઢી શકતા નથી.















