![]()
અમદાવાદ, શુક્રવાર,20 ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ચાલતા લોલંલોલની
સ્થિતિ બજેટ બેઠકમાં બહાર આવી હતી. છેલ્લા વીસ વર્ષથી શહેરમાં એસ.સી. અને એસ.ટી.ની
કયાં -કેટલી વસ્તી છે તેનો કોઈ સર્વે કરાવ્યા વગર જ બજેટ ફળવાતુ હોવાનો આક્ષેપ કરાયો હતો.વિપક્ષે કહ્યુ, સર્વે જ કરાયો
નથી તેમ છતાં વર્ષ-૨૦૨૬-૨૭ના બજેટમાં રુપિયા ૩૭૬૧ કરોડની ફાળવણી કરી છે પણ
તેને વાપરશો કયાં અને કેવી રીતે.આ મુદ્દે
સત્તાધીશોએ મૌન સેવી લીધુ હતુ.
બજેટ બેઠકમાં વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો કે, વર્ષ-૨૦૦૬-૦૭ના
મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરની ૧૧ ટી.પી.સ્કીમ કે જેમાં એલિસબ્રિજ,દરિયાપુર-કાઝીપુર, સીટી વોલ ઈમ્પ્રુવમેન્ટ, અસારવા,રાજપુર-હીરપુર
ઉપરાંત રખિયાલ,અમરાઈવાડી, બાપુનગર, અસારવા
એકસ્ટેન્શન ઉત્તર અને દક્ષિણ તેમજ શહેરકોટડા,
સારંગપુર, સુએઝ
ફાર્મ, અને
વાડજમાં ચાલીઓ અને ઝૂંપડાવાસીઓનુ પ્રમાણ વધુ હોવાનો ઉલ્લેખ કરાયો હતો.વીસ વર્ષ પછી
વર્ષ-૨૦૨૬-૨૭ના બજેટમા પણ આ જ સ્થિતિ તમે દર્શાવી રહયા છો. તમારે કુલ બજેટની
કેટલીક ચોકકસ રકમ આ બંનેની વસ્તી હોય તેવા વિસ્તારોમાં વિકાસકામો માટે ફાળવવી પડે
એનો પણ તમે કોઈ ઉલ્લેખ કરતા નથી. આ ખુબ ગંભીર બાબત કહી શકાય.
















