![]()
– મૃતકના પત્નીએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– સાળો બનેવી બાઈક લઈને રાણપુર આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : બોટાદના રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અંગે રાણપુર પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ કાનપુરના વતની અને હાલ રાણપુરના આસ્થાપીરની દરગાહ પાસે રહેતા આરતીબેન નરેન્દ્રભાઇ રાજપૂત અને તેમના પતિ નરેન્દ્રભાઇ પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૨૩-ડીસી-૩૫૪૬ લઈને ઉગામેડી ખાતે રહેતા પિતા પર્વતસિંહના ઘરે જવા માટે નિકળ્યા હતા. દરમિયાનમાં નરેન્દ્રભાઇ અને તેમના સાળા નીરજસિંહ પોતાનું બાઈક લઈને રાણપુર ગામે જવા માટે નિકળ્યા હતા. તેવામાં રાણપુર બોટાદ રોડ મિલિટ્રી રોડ પર સામેથી આવી રહેલ કાર નંબર જીજે-૩૩-બી-૯૧૭૧ સાથે અથડાતા બાઇક પર જઇ રહેલા સાળા બનેવીને ગંભીર ઇજા થઈ હતી. બન્ને ઈજાગ્રસ્તને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સ્થિતિ વધુ ગંભીર બનતા અમદાવાદની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નરેન્દ્રસિંહનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે આરતીબેને કાર ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.















