![]()
Vadodara Water Shortage : મધ્ય ગુજરાત વીજ નિગમ દ્વારા શટ ડાઉનના કારણે તરસાલી ટાંકીથી પાણી મેળવતા વિસ્તારમાં આવતીકાલે તા. 14, ફેબ્રુઆરીએ પાણી આપવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વીજ નિગમના શટ ડાઉનના કારણે પાલિકાની પાણી પુરવઠા શાખાના તરસાલી ટાંકીથી સવારે 5.30થી 6.30 અને 7.10થી 8.10 સુધી પાણી મેળવતા વિસ્તારોમાં સવારે 5થી 6 સુધી શરદ નગર શાંતિનગર અને વિશાલ નગર વિસ્તાર, તથા સવારે 6.10થી 7.10 તરસાલી રીંગરોડ વિજયનગર ચંદ્રનગર મારુતિ ધામ સોસાયટી સહિતના વિસ્તારમાં વીજ નિગમનો વીજ પુરવઠો રાબેતા મુજબ થયેલથી બાકી રહેલ આકાશવાણી અને એરફોર્સ તરફના વિસ્તારમાં તેમજ તરસાલી રિંગ રોડ અને દંતેશ્વર ઘાઘરેટીયા તરફના વિસ્તારને પાણી આપવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું હતું.















