• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

Load More


Private Power Companies In Gujarat: ગુજરાત રાજ્ય વીજળીમાં સ્વાવલંબી છે અને અહીં કોઈ અછત નથી એવું એક દાયકા જેટલા સમયથી સત્તાધીશો ઢોલ પીટી પ્રજાને જણાવી રહ્યા છે. પરંતુ સ્વાવલંબી રાજ્ય વીજળી માટે સરકારી પ્લાન્ટ ઉપર નહીં પણ ખાનગી કંપનીઓ ઉપર આધારિત છે. એટલું જ નહીં નિયમો, વીજ ખરીદીના કરારોમાં ખાનગી રાહે ફેરફાર કરી રાજ્યની પ્રજા ઉપર તોતિંગ બોજ લાદી રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે કે રાજ્યે અદાણી જૂથ પાસેથી બે વર્ષમાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુની વીજળી ખરીદી છે.

વીજ ખરીદીના કરારોમાં ખાનગી રાહે ફેરફારથી પ્રજા પર બોજ

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી છે કે અદાણી પાવર લિ. સાથે થયેલા કરાર હેઠળ 2024માં 15491 મિલિયન યુનિટ વીજળી સરેરાશ 4.84 પ્રતિ યુનિટના દરથી માંડી 7.22 પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવી હતી. જ્યારે 2025માં 13221 મિલિયન યુનિટ વીજળી સરેરાશ 4.73 પ્રતિ યુનિટના દરથી માંડી 6.86 પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવી છે.

આમ, છેલ્લા બે વર્ષમાં 28712 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી છે. એટલે કે 14086 કરોડ રૂપિયાથી વધુની વીજળી ખરીદાઈ છે. અગાઉના વર્ષોમાં અપાયેલા દર કરતા ઓછા દરે સરકારે વીજળી ખરીદી છે. પરંતુ વીજવપરાશ વધવા સાથે ખરીદાયેલા મિલિયન યુનિટ ખૂબ જ વધી ગયા છે. પાંચ વર્ષ પહેલા એટલે કે 2020 અને 2021 એમ બે વર્ષમાં 12534 મિ.યુ. વીજળી ખરીદાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઇનો લાગી, વાહન ચાલકો પરેશાન

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઓછું કરી અને ખાનગી કંપનીઓને લાભ કરાયો

ગુજરાતમાં વર્ષો અગાઉ વીજળી પૂરી પાડવા માટે સરકાર જ પોતાના પ્લાન્ટમાં ઉત્પાદન કરતી હતી તેના બદલે હવે ખાનગી કંપનીઓને આ કામ આપી દેવાયું છે. ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ 31-1-2026ની સ્થિતિએ સરકાર હસ્તકના વીજ મથકોમાં 10704 મેગાવોટ અને ખાનગી માલિકી-PPP હસ્તકના વીજ મથકોમાં 16749 મેગાવોટની ક્ષમતા છે. આ મથકોમાંથી જીયુવીએનએલ દ્વારા વીજ ઉત્પાદન મેળવવામાં આવે છે.

સરકાર દ્વારા 2024 અને 2025માં સરકાર હસ્તકના વીજ મથકોમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં થયેલ વધારાની વિગતો રજૂ કરાઈ ન હતી. પરંતુ ખાનગી-PPP હસ્તકના વીજ મથકોમાં 2024માં પરંપરાગત સ્ત્રોતમાં 293, પવન ઉર્જામાં 179, સૌર ઉર્જામાં 2096 અને અન્યમાં 37 મેગાવોટનો વધારો થયો હતો. જ્યારે 2025માં પવન ઉર્જામાં 517, સૌર ઉર્જામાં 2248 અને અન્યમાં 70નો વધારો થયો છે. આમ 2024માં 2605 અને 2025માં 2835 મેગાવોટ ક્ષમતાનો વધારો થયો છે.

ગુજરાતમાં એક વર્ષમાં 1250 મિલિયન યુનિટ વીજ વપરાશ વધ્યો

ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારના ઉર્જા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 31-12-2025ની સ્થિતિએ રાજ્યની વીજ કંપનીઓનો વીજ વપરાશ વર્ષ  2024માં 126968 મિલિયન યુનિટ હતો અને 2025માં 12218 મિલિયન યુનિટ હતો. આમ 2024ની સરખામણીએ 2025માં 1250 મિલિયન યુનિટ વપરાશ રાજ્યમાં વધ્યો છે.

છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારની વીજ કંપની જીયુવીએનએલ દ્વારા મેળવવામાં આવેલ કુલ વીજ ઉત્પાદન બાબતે સરકારે રજૂ કરેલી માહિતી મુજબ 2024માં 121776 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન અને વર્ષ 2025માં 119466 (પ્રોવિઝનલ) મિલિયન યુનિટ વીજ ઉત્પાદન છે. સરકારના જણાવ્યા મુજબ વીજ સરપ્લસને લીધે 2024માં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જને 127 મિલિયન યુનિટ 9.76 રૂપિયાના દરે, હિન્દુસ્તાન પાવર એક્સચેન્જને 1129 મિ.યુ. 9.09 રૂપિયાના દરે અને પાવર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિ.ને 36 મિ.યુ. 6.98 રૂપિયાના દરે વીજળી વેચાઈ હતી. 2025માં અનુક્રમે આ કંપનીઓને 70 મિ.યુ. 9.68 રૂપિયાના દરે, 6 મિ.યુ. 9.98 રૂપિયાના દરે અને 39 મિ.યુ. 9.83 રૂપિયાના દરે વેચાઈ હતી.

Next Post
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

Recent News

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
GUJARAT

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

Ethanol Blending : દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Security) મજબૂત...

Read more

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In