![]()
– લોન મળી રહે તે માટે બેંકનો અધિકારીઓને હાજર રખાયા
– વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના અને અંતિમ પગલું ન ભરે તે માટે તકેદારી રખાશે : એએસપી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં આજે છ પોલીસ સ્ટેશનમાં અરજી મેળોમાં કુલ ૧૦૦થી વધુ અરજદારો દ્વારા વિવિધ પ્રકારની અરજીઓ કરવામાં અવા હતી. વ્યાજખોરોના ત્રાસને નાથવા, તાત્કાલિક લોન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સહિતની પગલાં લેવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર ડિવિઝનના લખતર, વઢવાણ, એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન,જોરાવરનગર, મૂળ પોલીસ સ્ટેશનનો અરજી મેળો આજે સુરેન્દ્રનગરમાં એએસપી, બેકોના અધિકારીઓ સહિતની હાજરીમાં યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર ડિવિઝન વિસ્તારના ૧૦૦થી વધુ અરજદારોએ અલગ અલગ અરજીઓ કરી હતી. વ્યાજખોરોની ત્રાસની અરજીઓ લેવામાં આવી હતી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકામાં ઔધોગિક એકમોને ૧૦થી ૧૫ હજાર સુધીની લોન આપાવમાં આવી રહી છે. તેની પણ તાત્કાલિક વ્યવસ્થા કરી અને કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એએસપી વેદિકા બિહાનીએ જણાવ્યુ કે, વ્યાજની વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાશે અને આર્થિક સંકળામણના કાણે કોઇ અંતિમ પગલું ભરે તેને તકેદારી પણ હવે પોલીસ વિભાગ રાખી રહ્યું છે. તાત્કાલિક લોન મળી તે માટે બેંકનો મેનેજરો પણ અરજી મેળામાં હાજર રાખવામાં આવ્યા હતા.















