![]()
RBI adds precious metals to inflation monitoring framework with onions, tomatoes : ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે બેઠક બાદ મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં કોઈ જ ફેરબદલ ન કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી તમારી લોનના હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. આ સિવાય MSME બિઝનેસ માટે લોનની રકમ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. સોના-ચાંદીને લઈને પણ મોટો નિર્ણય લેવામમાં આવ્યો છે.
સોના-ચાંદી અંગે RBIનો મોટો નિર્ણય
રિઝર્વ બેન્કે કહ્યું છે કે ઈન્ફ્લેશન મોનિટરી ફ્રેમવર્કમાં જે વસ્તુઓ પર નજર રાખવામાં આવે છે તે લિસ્ટમાં સોના-ચાંદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે અત્યાર સુધી આ ફ્રેમવર્કમાં ડુંગળી અને ટામેટાં જેવી વસ્તુઓની કિંમત પર નજર રાખવામાં આવતી હતી. હવે સોના-ચાંદીની કિંમતો પર પણ નજર રાખવામાં આવશે. જોકે વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય સોના-ચાંદીની કિંમતોમાં અચાનક જ વધારા-ઘટાડાને જોતાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સોના-ચાંદીની કિંમતો પર કોઈ અસર નહીં થાય.
નોંધનીય છે કે અમેરિકન ડોલર નબળો થવાના કારણે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમતમાં છેલ્લા 4 મહિનાથી ભારે તેજી જોવા મળી રહી છે. જોકે વચ્ચે અચાનક જ બંને કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો પણ થયો હતો. સોના-ચાંદીની કિંમત મોટા ભાગે સ્થિર માનવામાં આવતી અને તેમાં ધીમે ધીમે વધારો થતો હતો. પણ હાલના દિવસોમાં ભારે તેજીના કારણે ચાંદી તો એક સમયે 4 લાખ રૂપિયાને પાર જતી રહી હતી. જે બાદ કિંમતો ક્રેશ પણ થઈ.
RBI અનુસાર ભારતમાં મોંઘવારી કાબૂમાં છે. સોનું-ચાંદી છોડીને ભારતમાં મોંઘવારી દર 2.6 ટકા હતો. જોકે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે વૈશ્વિક ઉથલપાથલ, ઉર્જા બજારોમાં અસ્થિરતા, મોસમમાં બદલાવના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે.
















