![]()
શહેરમાં ગઈકાલે હનુમાનજી જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હતી ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતાં તણાવનો માહોલ સર્જાયો હતો.
નવાયાર્ડ – છાણી રોડ પર રામેશ્વરની ચાલ ખાતે આવેલ વેસ્ટર્ન રેલવે વ્યાયામ શાળા (અખાડા)માં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન અસામાજિક તત્વ પ્રવેશ દ્વાર પાસે પશુનું કાપેલું માથું મૂકી જતાં ભક્તો રોષે ભરાયાં હતાં.
સ્થાનિકોએ રેલવે અને સ્થાનિક પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી. આજે વિસ્તારના રહીશોએ એકત્ર થઈ ડીઆરએમને લેખિત રજૂઆત કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ જ સ્થળ નજીક હાડકા નાખવા તેમજ ધજાને નુકસાન પહોંચાડવાના બનાવો બની ચૂક્યા છે. જેથી આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવા વ્યાયામ શાળા પરિસરને સુરક્ષિત કરવા માગ કરી છે.















