![]()
અમદાવાદ,શનિવાર, 21 માર્ચ,2026
અમદાવાદમા હવાનુ પ્રદૂષણ ઘટાડવા શહેરના વિવિધ વિસ્તારમાં
ચાલતી બાંધકામ સાઈટ ઉપર ધૂળ ઉડે તે સમયે પાણીનો છંટકાવ કરાવવા એલિસબ્રિજના ધારાસભ્યે
સંકલન સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ
કમિશનરને રજૂઆત કરી હતી. ઉપરાંત કયા વિસ્તારમાં એર કવોલીટી ઈન્ડેકસ કેટલો છે તે
લોકો જોઈ શકે એ માટે ચાર રસ્તા ઉપર ઈન્ડીકેટર રાખવા સુચન કર્યુ હતુ.
કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં કોર્પોરેશન જયારે
બાંધકામ કરવા રજાચિઠ્ઠી આપે એ સમયે જ પ્રદૂષણમાં ઘટાડો કરવા અંગેની જોગવાઈ રાખવા
સુચન કરાયુ હતુ.શહેરના જગન્નાથ મંદિર આસપાસ ગેરકાયદે સ્લોટરીંગ કરીને નોનવેજ
ચીજોનુ વેચાણ કરવામા આવે છે તે બંધ કરાવવા મ્યુનિસિપલ કમિશનરને કહયુ હોવાનુ
એલિસબ્રિજના ધારાસભ્યે બેઠક પછી કહયુ હતુ.કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ ઉપર કચરો
વીણવાવાળાઓએ કોર્પોરેશનના કર્મચારીને માર મારવાની ઘટનાને લઈ મ્યુનિસિપલ કમિશનરને આ
પ્રકારની ઘટના રોકવા અને કોર્પોરેશનના કર્મચારીઓનુ મોરલ ટકાવી રાખવા રજૂઆત કરવામા આવી
હતી.ે ંકાલુપુર શાકમાર્કેટ,
જમાલપુર બજાર અને પાલિકા બજારની મિલકત જર્જરીત હોઈ કાર્યવાહી કરવા સુચન કરાયુ
હતુ.દરિયાપુરના ધારાસભ્યે પ્રેમ દરવાજાથી શંકરભુવન સુધી બ્રિજ બનાવવા બે વર્ષથી
રજૂઆત કરતા હોવાનુ કહી મ્યુનિસિપલ કમિશનરને બ્રિજ બનાવવા ઝડપથી ડીપીઆર બનાવવા
રજૂઆત કરી હતી.
એ.એમ.ટી.એસ.ની બસો મુકી રખાઈ હોવાનો આક્ષેપ
એલિસબ્રિજના ધારાસભ્યે એ.એમ.ટી.એસ.માટે બસો આવી ગઈ હોવા
છતાં ઓનરોડ મુકવામા આવતી નહીં હોવાથી લોકોને બસ મેળવવા મુશ્કેલી પડતી હોવાની
કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. એ.એમ.ટી.એસ.ના ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેએ કહયુ, ૨૮ બસ ઓનરોડ
મુકાયેલી જ છે.જયારે વધુ ૨૮ બસ હાલમા આર.ટી.ઓ.અને બીજી ટેકનિકલ પ્રોસીજર હેઠળ છે.આ
પ્રક્રીયા પુરી થયા પછી ૨૮ વધુ બસ ઓનરોડ મુકવામા આવશે.















