![]()
હોળી અને ધુળેટી પર્વને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરાયું હતું.
વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, ગોધરા અને ડાકોર તરફ કુલ ૩૨૫ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જતા મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી હતી.
આ સમયગાળા દરમિયાન વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હોળી અને ધુળેટીનો પર્વ એસટી વિભાગ માટે ફળદાયી સાબિત થયો છે. આ પાંચ દિવસ દરમિયાન વડોદરા વિભાગને રૂ. ૧૫ લાખની આવક થવા પામી છે.















