![]()
વડોદરા,સરદાર એસ્ટેટની કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ હજી પકડાયો નથી. પોલીસ તેને પકડવા માટે તેના સંભવિત આશ્રયસ્થાનો પર તપાસ કરી રહી છે.
વાસણા ગોત્રી રોડ શ્રી મોતી બંગ્લોમાં રહેતા કલ્પેશભાઇ અશોકભાઇ પટેલની આજવારોડ સરદાર એસ્ટેટમાં શ્રી ઉમિયાજી મસાલા મિલ છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારી ફેક્ટરીમાં છેલ્લા ૧૨ વર્ષની એકાઉન્ટન્ટ તરીકે રાકેશ પ્રભાતસિંહ પરમાર (રહે. માધવ રેસિકોમ પ્લાઝા, ખોડિયારનગર) નોકરી કરતો હતો. તે મારા ફેકટરીના કર્મચારીને એક ચિઠ્ઠી આપીને જતો રહ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારાથી શેરબજારમાં ૮ કરોડનો લોસ થઇ ગયો છે. કંપનીના હિસાબો ચેક કરતા રાકેશે તા. ૦૧-૧૨- ૨૦૨૨ થી તા.૨૫-૦૨-૨૦૨૬ દરમિયાન ૧૪.૦ ૯ કરોડ રૃપિયાની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.બાપોદ પોલીસ તેને શોધી રહી છે. પરંતુ, તે મળી આવતો નથી.















