• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: AIની દોડમાં મજબૂત સ્થાન હાંસલ કરવા ભારતનું 1 લાખ GPUનું સપનું, જાણો કેવી છે તૈયારી | Indi…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Explainer: AIની દોડમાં મજબૂત સ્થાન હાંસલ કરવા ભારતનું 1 લાખ GPUનું સપનું, જાણો કેવી છે તૈયારી | Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

Load More


India AI Impact Summit 2026 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આખી દુનિયાનું આર્થિક અને સામાજિક બદલાવનું મહત્ત્વપૂર્ણ અંગ બની રહ્યું છે. હાલમાં જ વિવિધ દેશના વડા અને ટેક લીડર્સે નવી દિલ્હીમાં ‘AI સમિટ’ (India AI Impact Summit 2026)માં ભેગા થયા હતા. ત્યારે જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, ભારત હવે માત્ર AIનું ગ્રાહક ન રહેતા, તેના વૈશ્વિક સ્તરના સ્થપતિ (Architect) તરીકે ઉભરી રહ્યું છે. આ સમિટમાં સરકારે AI માટે ભારતનું વિઝન રજૂ કર્યું, જે નૈતિકતા, જવાબદારી, રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુલભતા અને કાયદેસરતા પર આધારિત છે. જો કે પ્રતિભા, સંશોધન, સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ અને નીતિઓના મોટા ભાગના માપદંડોમાં ભારત, અમેરિકા અને ચીનથી પાછળ છે. આ સ્થાન જાળવી રાખવા અને વધુ મજબૂત બનાવવા માટે ભારતે વ્યાપક વ્યૂહ રચનાની જરૂર છે. 

ચાલો, સમજીએ કે AI ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માટે ભારતે કેવા પગલાં લેવા પડશે.

1. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જરૂર

AIનો પાયો મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. AI મોડેલોને તાલીમ આપવા અને તેનો ઉપયોગ કરવા અત્યાધુનિક ચિપ્સ અથવા GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ)ની જરૂર પડે. ભારત સરકારે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. હાલમાં દેશમાં 38,000 GPU છે. આ જ મહિનામાં 20,000 ઉચ્ચ-સ્તરીય GPU ઉમેરવાની જાહેરાત કરાઈ છે. ભારતનો લાંબા ગાળાનો લક્ષ્યાંક 100,000 GPU સુધી પહોંચવાનો છે.

ખાનગી ભાગીદારીઃ આ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી પણ નોંધપાત્ર છે. ચિપ ઉત્પાદક કંપની Nvidia, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સાથે મળીને ગીગા વૉટ-સ્કેલનું AI ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરી રહી છે. ક્લાઉડ સેવા પ્રદાતા Yotta એ નવી મુંબઈ અને ગ્રેટર નોઈડામાં તેના શક્તિ ક્લાઉડમાં 20,000 Nvidia Blackwell Ultra GPU તહેનાત કર્યા છે.

આ પણ વાંચો : ‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર

ઊર્જાની આપૂર્તિ પણ મહત્ત્વપૂર્ણઃ GPU ની સંખ્યા સાથે તેને ચલાવવા માટે જોઈતી ઊર્જા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ડેટા સેન્ટરો ખૂબ ઊર્જા માંગી લેતા હોય છે. ભારતે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે, નિર્ધારિત સમયથી પાંચ વર્ષ પહેલાં 50% બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ ઊર્જા-સઘન ડેટા સેન્ટરોને ટકાઉ રીતે પાવર આપવામાં મદદરૂપ થશે.

ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેટાની જરૂરઃ AI મોડેલોને તાલીમ આપવા ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેટાની જરૂર છે. સરકારનું AIKosh પ્લેટફોર્મ હવે 9,500 થી વધુ ડેટાસેટ્સ અને 273 સેક્ટરલ મોડેલો ધરાવે છે, જે સ્વદેશી AI વિકાસ માટે ‘કાચો માલ’ પૂરો પાડે છે.

2. વિશેષ પ્રતિભા અને કૌશલ્ય ધરાવતી યુવા શક્તિનો ઉપયોગ

ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે; 65% નાગરિકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે. આ વસ્તી-વિષયક લાભને AI કૌશલ્યમાં પરિવર્તિત કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) હેઠળ ધોરણ 3 થી જ AI કોન્સેપ્ટને અભ્યાસક્રમમાં સામેલ કરાઈ રહ્યા છે.

લાખો AI વ્યાવસાયિકોની માંગઃ વર્ષ 2027 સુધીમાં ભારતમાં 12.5 લાખ AI-કુશળ વ્યવસાયિકોની માંગ રહેશે. આ માંગને પહોંચી વળવા માટે IndiaAI FutureSkills અને FutureSkills PRIME જેવી પહેલ હજારો PhD, અનુસ્નાતક અને અન્ડર ગ્રેજ્યુએટને ટેકો આપી રહી છે. આંકડા પ્રમાણે, 500 PhD, 5,000 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 8,000 અન્ડર ગ્રેજ્યુએટને AI ક્ષેત્રમાં ફેલોશિપ અપાઈ રહી છે.

ટિયર-2 અને 3 શહેરોની ભાગીદારીઃ દેશમાં છેક નીચલા સ્તરે AI કૌશલ્ય પહોંચાડવા ટિયર 2-3 શહેરોમાં 570 AI ડેટા લેબ્સનું નેટવર્ક તૈયાર કરાયું છે. આ લેબ્સ ડેટા એનોટેશન, ક્યુરેશન અને એપ્લાઇડ AI સ્કિલ્સમાં તાલીમ આપી રહી છે. ઉદ્યોગ જગત પણ પાછળ નથી. માઈક્રોસોફ્ટના ADVANTA(I)GE India પ્રોગ્રામે એક જ વર્ષમાં 2.4 લાખ લોકોને AI કૌશલ્યમાં તાલીમ આપી છે.

3. સેમિ કન્ડક્ટરથી સ્ટાર્ટઅપ સુધી વ્યૂહાત્મક રોકાણની જરૂર

AI ઇકો સિસ્ટમના વિકાસ માટે મોટા પાયે રોકાણની જરૂર છે. ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ₹22.5 લાખ કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને ₹1.8 લાખ કરોડથી વધુ ડીપ-ટેક વેન્ચર કેપિટલની પ્રતિબદ્ધતા સુરક્ષિત કરાઈ હતી. આ ઉપરાંત વૈશ્વિક ટેક જાયન્ટ્સે પણ મોટા રોકાણની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટે ચાર વર્ષમાં ₹1.575 લાખ કરોડ, ગૂગલે પાંચ વર્ષમાં ₹1.35 લાખ કરોડ અને એમેઝોને 2030 સુધીમાં ₹3.15 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે.

સેમિ કન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતાઃ ભારત સરકારે સેમિ કન્ડક્ટર મિશન 2.0 હેઠળ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં ₹1,000 કરોડની ફાળવણી કરી છે, જે સ્થાનિક ચિપ ડિઝાઇન અને ફેબ્રિકેશનને ટેકો આપશે. આનાથી વૈશ્વિક સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઘટશે.

AI ટેક્નોલોજીનો અનેક ક્ષેત્રોમાં ઉપયોગઃ ભારતની AI વ્યૂહરચના ‘એપ્લિકેશન-નેતૃત્વ ધરાવતી’ છે. એટલે કે, ફક્ત ટેક્નોલોજી વિકસાવવી નહીં, પરંતુ તેનો ઉપયોગ કૃષિ, આરોગ્ય સંભાળ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કરીને આર્થિક લાભ મેળવવો. સમિટમાં 6 સેક્ટરલ AI ઇમ્પેક્ટ કેસબુક્સ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય, ઊર્જા, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે 170 થી વધુ AI નવીનતાઓનું દસ્તાવેજીકરણ કરાયું છે.

આ પણ વાંચો : હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર

4. AIની શક્તિ જવાબદારીપૂર્વક વાપરવી પડે 

AIની શક્તિ અસીમ છે, તો સાથે એની જવાબદારી પણ મોટી છે. ફેબ્રુઆરી, 2026માં સરકારે ‘ઇન્ડિયા AI ગવર્નન્સ ગાઇડલાઇન્સ’ રજૂ કરી છે, જે સાત સૂત્રો પર આધારિત છે: વિશ્વાસ, લોક-કેન્દ્રિતતા, નવીનતા, નિષ્પક્ષતા, જવાબદારી, સમજી શકાય તેવી ડિઝાઇન અને સલામતી. આ દિશાનિર્દેશ હેઠળ એક નવી સંસ્થાકીય રચના પણ પ્રસ્તાવિત કરાઈ છે, જેમાં AI ગવર્નન્સ ગ્રૂપ, ટેક્નોલોજી એન્ડ પોલિસી એક્સપર્ટ કમિટી અને AI સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે.

M.A.N.A.V. વિઝનઃ AI સમિટમાં સરકારે M.A.N.A.V. વિઝન રજૂ કર્યું, જે નીચેના સિદ્ધાંતો પર આધારિત છે.

M – Moral and Ethical Systems: AI નૈતિક માર્ગદર્શિકા પર આધારિત હોવું જોઈએ.

A – Accountable Governance: નિયમો પારદર્શક, સરળ અને જાહેર હોવા જોઈએ. તથા તેમની અમલ પર મજબૂત અને સ્વતંત્ર દેખરેખ રહેવી જોઈએ.

N – National Sovereignty: ડેટા પરનો મૂળ અધિકાર તે વ્યક્તિ, સંસ્થા અથવા દેશનો છે, જેણે તેને ઉત્પન્ન કર્યો છે.

A – Accessible and Inclusive: AI એવી શક્તિ બનવી જોઈએ કે જે સત્તા અને સંપત્તિ થોડા હાથોમાં કેન્દ્રિત ન કરે, પરંતુ સમગ્ર અર્થતંત્ર અને સમાજની ક્ષમતાને વધારે.

V – Valid and Legitimate: AI કાયદેસર અને ચકાસી શકાય તેવું હોવું જોઈએ.

ડીપ ફેકના જોખમઃ ડીપફેક અને ખોટી માહિતીના જોખમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ AI જનરેટેડ કન્ટેન્ટ પર વોટરમાર્કિંગ અને સ્ત્રોતના સ્પષ્ટ ધોરણોની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે જેમ ખોરાક પર પોષણ લેબલ હોય છે, તેમ ડિજિટલ સામગ્રી પર પણ પ્રમાણિકતા લેબલ હોવું જોઈએ.

આ પણ વાંચો : લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM

 5. વૈશ્વિક ભાગીદારી અને ડિજિટલ સાર્વભૌમત્વ

ભારત AI ક્ષેત્રે માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ નેતૃત્વ ભજવી રહ્યું છે. આ સમિટમાં 100 થી વધુ દેશોના પ્રતિનિધિ, 20 થી વધુ દેશના વડા અને 500 થી વધુ વૈશ્વિક AI લીડર્સે ભાગ લીધો હતો. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ, OpenAI સીઈઓ સેમ ઓલ્ટમેન જેવા અગ્રણીઓએ આ સમિટને સંબોધી હતી.

AI લોકતાંત્રિક હોવું જોઈએઃ યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસે AIને લોકતાંત્રિક બનાવવા પર ભાર મૂક્યો અને ગરીબ દેશો માટે ₹27,000 કરોડના AI ભંડોળની હિમાયત કરી. OpenAIના સેમ ઓલ્ટમેને ટાટા ગ્રૂપ સાથે ભારતમાં AI ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જાહેરાત કરી.

AI ટેક્નોલોજી ગુપ્ત ન રાખોઃ આ સમિટમાં ડિજિટલ સાર્વભૌમત્વના પ્રશ્ને ચિંતા પણ વ્યક્ત કરાઈ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક દેશો અને કંપનીઓ AI ‘ગુપ્ત રીતે’ વિકસાવવા માંગે છે, પરંતુ ભારત માને છે કે AIનો લાભ વિશ્વ સાથે વહેંચવો જોઈએ. આ માટે ભારતે ‘ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા, ડિલિવર ટુ ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો.

6. ભારતે ભાષાકીય વિવિધતાનો AI ક્ષેત્રે મહત્ત્મ ઉપયોગ કરવો જોઈએ

ભારતે જે રીતે UPIએ ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ કરી, તેમ AI ક્ષેત્રે પણ ભારત દુનિયાનું માર્ગદર્શક બની શકે એમ છે. ભારતની ભાષાકીય, સાંસ્કૃતિક અને વહીવટી વિવિધતા AI વિકાસ માટે વ્યૂહાત્મક સંપત્તિ બની શકે છે, કારણ કે ડઝનેક ભાષા અને બોલી પર તાલીમ લીધેલા મોડેલો વધુ સચોટ અનુવાદ, વૉઇસ ઓળખ અને ડિજિટલ સેવા પૂરી પાડી શકે છે; વિવિધ ઉચ્ચારોને સમજતી સ્પીચ ટેક્નોલોજી ગ્રામ્ય-શહેરી અંતર ઘટાડે છે; પંચાયતથી મહા નગર સુધીના વિવિધ શાસકીય અને સામાજિક સંદર્ભો AI ઉકેલોને વાસ્તવિક જીવનમાં ઉપયોગી બનાવે છે; અને વિશાળ વસ્તી સાથે ઓછા ખર્ચે મોટા પાયે પરીક્ષણ શક્ય હોવાથી ભારત સમાવેશક, સસ્તું અને સ્કેલેબલ AI મોડેલ વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે.

Next Post
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોઈ પુરાવા વિના આરોપી બના…

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું- કોઈ પુરાવા વિના આરોપી બના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

Recent News

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …
GUJARAT

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

Delhi BJP ‘Poster War’ On Arvind Kejriwal : રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી,...

Read more

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

ચંદ્રગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, હોળી એક દિવસ વહેલી પ્રગટાવાશે | Ambaji …

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In