• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…
13
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More


ડેપ્યુટી કમિશનરના ખુલાસા સામે કોંગ્રેસના આક્ષેપો

ડે. કમિ.નો લૂલો બચાવ : કર્મીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરાઈ નહોતી, તેથી ભ્રષ્ટાચાર કહી શકાય નહીં

નડિયાદ: નડિયાદ પાલિકામાં વર્ષ ૨૦૧૧થી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ જમા ન કરાવવાના મામલે ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢયા હતા, જેની સામે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આકરા પ્રહારો કર્યા છે. પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો છે કે, અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ જૂઠું બોલી રહ્યાં છે અને આ આખું પ્રકરણ ૧૭ કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો કરે છે.

નડિયાદ નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા બનેલા આ તંત્રમાં કર્મચારીઓના હક્કના નાણાં બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણીએ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી હતી કે, ભૂતકાળમાં કર્મચારીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરવામાં આવી નહોતી, તેથી આને ભ્રષ્ટાચાર કહી શકાય નહીં. તેમણે ઉમર્યું હતું કે, હાલમાં ૨૦૧૧થી જે કર્મચારીઓના પી.એફ. ભરવાના બાકી છે તેની ગણતરી અને વહીવટી પ્રક્રિયા ચાલુ છે. સરકારની ૨૦૧૭થી ૨૦૨૫ સુધીની યોજનાનો લાભ લેવા માટે પણ તંત્ર પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, કેટલા કર્મચારીઓનું કેટલું પી.એફ. બાકી છે તેના ચોક્કસ આંકડા આપવાનું તેમણે ટાળ્યું હતું.

બીજી તરફ, કોંગ્રેસ નેતા હાદક ભટ્ટે આ ખુલાસાને પાયાવિહોણો ગણાવતા જણાવ્યું હતું કે, અધિકારીએ પોતે જ સ્વીકાર્યું છે કે પી.એફ. ભરાયું નથી, જે સૌથી મોટો પુરાવો છે. તેમજ સરકારના નોટિફિકેશન બતાવીને આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૧માં જ્યારે પી.એફ. નંબર લાગ્યો ત્યારે ૪૫થી ૫૫ કર્મચારીઓ હતા, જે આજે ચોપડે માત્ર ૧૩ જ બતાવાય છે. સિક્યુરિટી, સફાઈ અને રોડ કોન્ટ્રાક્ટના શ્રમિકોને લઘુત્તમ વેતન પણ મળતું નથી અને તેમના પી.એફ.માં પણ મોટાપાયે ગોલમાલ થઈ છે. તેમણે ચીમકી આપી હતી કે, જો તંત્ર આ અંગે શ્વેતપત્ર જાહેર નહીં કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં ભરે તો આ લડત હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુ કે, ડે. કમિશ્નર રાજકીય દબાણવશ થઈ અને લૂલો બચાવ કરી રહ્યાં છે અને સત્યથી વિપરીત વાત કરી રહ્યા છે. ડે. કમિશનરે આ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વગર જે હકીકત છે તે સ્વીકારી અને કર્મચારીઓના હિતમાં કામગીરી કરવી જોઈએ અને જો તે સાચા હોય તો સંતરામ ચોકમાં જાહેરમાં હિસાબ લઈને આવી જાય અમે સામે પુરાવા રજૂ કરીશું. 

– નિવૃત્ત કર્મચારીઓનું ભાવિ અદ્ધરતાલ

તંત્ર પાસે નિવૃત્ત થયેલા કે મૃત્યુ પામેલા કર્મચારીઓના પી.એફ. ચૂકવવા અંગે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી. ડેપ્યુટી કમિશનરે માત્ર એટલું જ કહ્યું કે, ઈપીએફઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે, પરંતુ વર્ષોેથી રાહ જોતા નિવૃત્તોને ક્યારે ન્યાય મળશે તે પ્રશ્ન અનુત્તર છે.

– કોન્ટ્રાક્ટ પ્રથામાં શોષણનો ગંભીર આક્ષેપ

આક્ષેપ કરાયો છે કે, નડિયાદમાં સત્તાધારી પક્ષના મળતિયાઓ જ મોટાભાગના કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને પગારની સ્લિપ આપવામાં આવતી નથી કે બેંકમાં પગાર જમા કરાવાતો નથી. ૧૭ કરોડ જેટલી માતબર રકમ પી.એફ. પેટે બાકી નીકળે તેમ છે.

Next Post
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In