• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

Load More


Canada Team Vice Captain Harsh Thaker Exclusive Interview: અમદાવાદમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો ફાઈનલ રમાશે. ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે મૂળ ગુજરાતી અને આ વર્લ્ડ કપમાં કેનેડાની ટીમમાં વાઈસ કેપ્ટન હર્ષ ઠાકર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જીત અંગે એનાલિસિસ કર્યું છે. મહત્ત્વનું છે કે, હર્ષ ઠાકરે T20 વર્લ્ડ કપમાં ભારતને જીતવા માટે મેસિવ ફેવરિટ હોવાનું કહ્યું છે. આ સાથે અમદાવાદની લાલ માટીની પિચમાં 180+ રનના સ્કોરનો ટાર્ગેટ કેમ જરુરી છે તેનું મહત્ત્વ પણ જણાવ્યું છે. આ ઉપરાંત ફાઈનલ મેચમાં વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓના રોલ વિશે ખાસ વાતચીત કરી છે. 

ગુજરાત સાથે જોડાયેલા છે હર્ષના મૂળ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ ફાઈનલ અંગે હર્ષ ઠાકરે જણાવ્યું કે, ‘હું કેનેડિયન ક્રિકેટ ટીમ માટે રમું છું. મારું પહેલું સિલેક્શન 2018માં થયું હતું અને ત્યારથી હું ટીમનો સતત ભાગ રહ્યો છું. આ વર્લ્ડ કપમાં મને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી મળી હતી. મારો જન્મ ગુજરાતમાં થયો હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવું મારા માટે બહુ ગર્વની વાત હતી. જ્યારે હું અહીં મેચ રમ્યો ત્યારે મારો પરિવાર, મિત્રો અને મારી બહેન પણ સ્ટેડિયમમાં હાજર હતા, જે મારા માટે ખૂબ ભાવુક ક્ષણ હતી.’

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

T20 વર્લ્ડ કપને લઈને તેમણે જણાવ્યું કે, ‘વ્યક્તિગત રીતે આ ટુર્નામેન્ટ મારા માટે શાનદાર રહી કારણ કે મેં વર્લ્ડ કપમાં એક ફિફ્ટી પણ ફટકારી હતી. જ્યારે પણ હું નિવૃત્ત થઈશ ત્યારે પાછા વળીને જોઈશ તો આ ક્ષણ મને ગર્વ અપાવશે. અમદાવાદમાં રમીને મને જે કોન્ફિડન્સ મળ્યો છે, તેનાથી મને અહેસાસ થયો કે હું આ આંતરરાષ્ટ્રીય લેવલ પર રમવા માટે સક્ષમ છું. વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો સામે રમીને મારું ક્રિકેટનું સ્તર એક લેવલ ઉપર ગયું છે. આટલા વર્ષોના અનુભવ પછી હું શીખ્યો છું કે મેદાન પર તમારું માનસિક સ્તર ગમે તેવું હોય પણ પોઝિટિવિટી સાથે બેટિંગ કરવા જવું જોઈએ. અમારી ટીમ ગ્રુપ ઓફ ડેથમાં હતી, જેમાં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી મજબૂત ટીમો હતી. આટલી મોટી ટીમો સામે રમીને મારું પ્રદર્શન સારું રહ્યું તે મારા માટે મોટી વાત છે.’

ભારતની જીતની 70% શક્યતા

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ફાઈનલ મેચ અંગે તેમણે જણાવ્યું કે, ‘આજની મેચ માટે ભારત મેસિવ ફેવરિટ છે. ભારત પોતાના હોમ સ્ટેડિયમમાં રમી રહ્યું છે એટલે જીતવાની શક્યતા 70% અને ન્યુઝીલેન્ડની 30% કહી શકાય. જોકે, ન્યુઝીલેન્ડની ટીમ અંડરરેટેડ છે પણ તેમનું પ્લાનિંગ અને એક્ઝીક્યુશન ખૂબ જ ચોક્કસ હોય છે. ભારતે પોતાની સ્કિલથી ન્યુઝીલેન્ડના પ્લાનને હરાવવો પડશે. ટી20 ક્રિકેટ હંમેશા અનિશ્ચિત હોય છે, એકાદ-બે બોલ પણ ગેમ બદલી શકે છે.’

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા પર ભરોસો

હર્ષ ઠાકરે વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્માના અત્યાર સુધીના પર્ફોમન્સ વિશે જણાવ્યું કે, ‘ફેન્સની અપેક્ષાઓ હંમેશા ઊંચી હોય છે, પણ વરુણ ચક્રવર્તી દુનિયાનો નંબર વન બોલર છે અને અભિષેક શર્મા નંબર વન બેટર છે. અભિષેકને પહેલેથી જ આક્રમક રમવાની સૂચના હોય છે. જો આવા ખેલાડીઓ ચાર મેચમાં નિષ્ફળ જાય અને તમે તેમને ફાઈનલ જેવી મેચમાંથી બહાર કાઢો, તો તે આખી ટીમને ખોટો મેસેજ આપે છે. મને વિશ્વાસ છે કે આ બંને ખેલાડીઓ આજે રમશે અને સારું પ્રદર્શન કરશે.’

અમદાવાદની પીચ વિશે અને ફાઈનલ મેચ જીતવા કેટલો સ્કોર જરૂરી છે તેના વિશે જણાવ્યું કે, ‘અમદાવાદમાં મોટે ભાગે રેડ સોઈલની પિચ હોય છે, જેમાં બાઉન્સ સારો મળે છે અને તે બેટરો માટે સાનુકૂળ હોય છે. જોકે, અહીં સ્પિનર્સને પણ થોડી મદદ મળી શકે છે. ફાઈનલ મેચમાં સ્કોરબોર્ડનું પ્રેશર ઘણું હોય છે, એટલે જે ટીમ પહેલા બેટિંગ કરીને 180થી વધુ રન બનાવશે, તેને જીતવાનો મોટો ફાયદો થશે.’

IPLમાં રમવાનું સપનું

તેમના ફેવરિટ ખેલાડી વિશે વાત કરતા જણાવ્યું કે, ‘ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ મારા ફેવરેટ છે. મેં દિલ્હીમાં પ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવ સાથે વાત પણ કરી હતી કે સ્લોઅર બોલને કેવી રીતે ટેકલ કરવા. મારું સપનું એકવાર IPLમાં રમવાનું છે. હું માનું છું કે જો હું સતત સારું પરફોર્મન્સ કરતો રહીશ, તો એક દિવસ ચોક્કસ ઓક્શનમાં મારું નામ આવશે અને મને તક મળશે.’

અંતમાં તેમણે જણાવ્યું કે, ‘કેનેડામાં અત્યારે ક્રિકેટ સૌથી ઝડપથી વિકસતી રમત છે. હું ચાહકોને વિનંતી કરીશ કે અમને અને એસોસિએટ ટીમોને સપોર્ટ કરતા રહો. જો લોકલ સપોર્ટ મળશે તો આઈસીસી અને ગવર્મેન્ટ પણ અમને વધુ મદદ કરશે.’



Next Post
છોટા ઉદેપુર: બોડેલી પોલીસે સંખાંદ્રા ગામની સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર | Chhota…

છોટા ઉદેપુર: બોડેલી પોલીસે સંખાંદ્રા ગામની સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર | Chhota...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

Recent News

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…
GUJARAT

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

Gujarat Government Appoints Administrators: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની 71 નગરપાલિકાઓ માટે મહત્ત્વનો આદેશ...

Read more

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In