• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશ…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશ…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More


Bhadra Patharnawala High Court Verdict : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં વર્ષોથી રોજીરોટી મેળવતા પાથરણાવાળા માટે ગુજરાત હાઈકોર્ટનો હાલમાં આપેલો ચુકાદો ખુશહાલી લઈને આવ્યો છે. છેલ્લા 13 વર્ષથી ચાલતી કાનૂની લડત બાદ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપતા કહ્યું હતું કે, આ તમામ 844 ફેરિયાને સત્વરે પુનઃસ્થાપિત કરો અને વેન્ડિંગ કાર્ડ ધરાવતા લોકોને 15 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરો. હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે ભદ્રમાં પાથરણાવાળા અને ત્યાં આવનારા લોકો સાથે વાત કરી હતી. અહીં ધંધો-વેપાર કરતા લોકોએ કબૂલ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનની નીતિના કારણે અહીંના આર્થિક સંકડામણ, દેવું અને બેરોજગારીનો સામનો કરતા હતા, પરંતુ હવે આ પરિવારોમાં ખુશીનો માહોલ છે. આ ચુકાદાથી અનેક પરિવારોનું ગુજરાન સારી રીતે ચાલશે. એટલું જ નહીં, ભદ્રના ધમધમતા બજારની જૂની ઓળખ પણ પરત ફરશે, જેનાથી સામાન્ય નાગરિકોને પણ ફરી વાજબી ભાવે ખરીદીની તક મળશે.

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશહાલી 2 - image

ભદ્રમાં પાથરણાવાળાના એસોસિએશનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 13 વર્ષથી ચાલતા કેસમાં ગરીબોને આખરે ન્યાય મળ્યો છે. જો કે 2019માં કોર્ટે ઓર્ડર કર્યો હોવા છતાં 2025માં કોર્પોરેશને ફેરિયાઓને હટાવી દીધા હતા, પણ હવે કોર્ટે ફરીથી 844 ફેરિયાને પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે પહેલા વેન્ડિંગ કાર્ડવાળાને બેસાડવા અને બાકીના લોકોની 15 દિવસમાં પ્રક્રિયા પૂરી કરીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે. અમે કોર્પોરેશનને તમામ વિગતો આપીને સંપૂર્ણ સહકાર આપીએ છીએ, પરંતુ તેમની તરફથી હજુ અમને પૂરો સાથ-સહકાર નથી મળતો. આ ચુકાદાથી ગરીબ પરિવારોની સ્થિતિ સુધરશે, જે દેવામાં ડૂબેલા હતા અને ખાવાના ફાંફા હતા, તેઓ રોજના 200-500 કમાઈ શકશે. તેમાંથી તેમના બાળકોનું ભણતર સહિતનો ખર્ચ નીકળી જશે.  

‘ધંધો ફરી સેટ થઈ જશે, ઉછીના પાછા આપી દઈશું’

અહીં વેપાર કરતા મંગુબેન ચુનારાએ જણાવ્યું કે, અમે અહીં વર્ષોથી કટલરીનો ધંધો કરીએ છીએ, પરંતુ છેલ્લા 12 મહિનાથી અહીં વેપાર નહોતો કરવા દેવાતો. જેના કારણે છ મહિના સુધી અમારે બાળકોના ખાવા-પીવા અને ભણતર માટે ખૂબ તકલીફો વેઠવી પડી અને ઉછીના પૈસા લઈને ઘર ચલાવવું પડ્યું. અમારે મહિનાની કોઈ નક્કી આવક નથી હોતી. પરંતુ હવે રોજના 200-400 કમાઈ લઈશું. હાઈકોર્ટના આદેશ પછી ધંધો ફરી સેટ થઈ જશે, તો ઉછીના પૈસા પાછા આપી શકીશું. જો કે અત્યારે કોર્પોરેશનવાળા અમને અહીંથી ઊભા થવાનું કહી રહ્યા છે, પણ અમને વિશ્વાસ છે કે કોર્ટના આદેશ મુજબ અમને અમારી જગ્યાએ બેસવા દેવાશે. 

‘હાઈકોર્ટના આદેશથી માનસિક શાંતિ મળી’

ભદ્રમાં વર્ષોથી વેપાર કરતા ગોવિંદભાઈ નટવરલાલે જણાવ્યું કે હું છેલ્લા 6થી 12 મહિનાથી અમે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. કોર્પોરેશને બીજી જગ્યાએ ધકેલી દેતા અમારો ધંધો ઠપ થઈ ગયો હતો. એ કપરા સમયમાં ઘરનું ભાડું અને છોકરાઓની સ્કૂલ ફી ભરવા પણ વ્યાજે પૈસા લીધા હતા. દાગીના વેચવા કે ગિરવે મૂકવા પડ્યા હતા. હવે હાઈકોર્ટના આદેશને પગલે ભદ્રમાં બેસીને વેપાર કરવાની ફરી તક મળી છે, જેથી મને માનસિક શાંતિ મળી છે. ભદ્રકાળી માતાની અસીમ કૃપાથી હવે અમે સૌ બજારવાળા અહીં હસતા-ખેલતા ધંધો કરી શકશે. 

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશહાલી 3 - image

‘ચુકાદા પછી મેં આજે 500-600નો વેપાર કર્યો છે’

અહીં વેપાર કરતા શાંતાબેને જણાવ્યું કે, આજે હું ખૂબ જ રાહત અને શાંતિ અનુભવી રહી છું. આ પહેલાના છ મહિના અમારી સ્થિતિ બહુ ખરાબ હતી. મારે ઘરનું ભાડું ખર્ચીને અહીં આવવું પડતું અને ધંધો થતો નહીં. અમને શાંતિથી બેસવા પણ નહોતા દેવાતા. હાઈકોર્ટના આદેશ પહેલા અમારે ભાગવું-દોડવું પડતું પણ મારામાં હવે એવી દોડવાની તાકાત નથી, તેથી હું ઘણીવાર ખાલી બેસીને જ ઘરે જતી રહેતી. હવે ચુકાદા પછી સ્થિતિ સારી છે અને આજે મેં 500-600 રૂપિયાનું વેચાણ કર્યું છે, જેનાથી મારા ઘરનો ખર્ચ આરામથી નીકળી જાય છે.

આ પણ વાંચો: ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઇકોર્ટનો AMCને આદેશ

અહીં સામાન્ય માણસને પરવડે એવા બજેટમાં બધું મળે છેઃ દર્શનાર્થી 

ભદ્રકાળી માના દર્શન કરવા આવેલા રવિભાઈ રબારીએ જણાવ્યું કે, હું ભદ્રકાળી માતાના દર્શનાર્થે આવ્યો હતો. અહીંનું બજાર ઘણાં સમયથી બંધ હતું, જે હવે હાઈકોર્ટના ચુકાદા બાદ ફરી શરૂ થયું છે, જેના કારણે જે લોકોની રોજીરોટી અને રોજગાર છીનવાઈ ગયા હતા તે પાછા મળ્યા છે. લોકો પોતાની સગવડ મુજબ ફરી બેઠા છે. આ એક ખૂબ જ ઐતિહાસિક અને જૂનું બજાર છે, જ્યાં નાની વસ્તુથી માંડીને મોટી દરેક વસ્તુ મળી રહે છે અને તે પણ સામાન્ય માણસને પરવડે તેવા બજેટમાં. હું પોતે અને મારો પરિવાર, જેમાં મારા ઘરના સ્ત્રી સભ્યો અને બાળકો પણ સામેલ છે, અમે અહીંથી જ ખરીદી કરીએ છીએ. મારી અપેક્ષા છે કે આ બજાર સારી રીતે સ્થાયી થાય અને ભગવાન દરેકને રોજીરોટી આપે.

‘બજારમાં ગ્રાહકોની અવરજવર વધશે, તો દેવું ચૂકવી દઈશું’

અહીં વેપાર કરતા મારું રમીલાબેન પટણીએ જણાવ્યું કે, હાઈકોર્ટના ચુકાદા પછી અમને અમારી કાયદેસરની જગ્યા પાછી મળી છે. આ માટે અમે છ મહિના સુધી લડત લડ્યા કારણ કે, આ છ મહિના દરમિયાન અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. અમે ફરીથી ધંધો શરૂ કરીને ધીમે ધીમે અમારા ઘર-સંસારની સ્થિતિ સુધારીશું. અત્યારે અમે વ્યાજે પૈસા લઈને કામ કરી રહ્યા છીએ, પણ જેમ જેમ બજારમાં ગ્રાહકોની અવરજવર વધશે તેમ અમારી આવક પણ વધશે. જો અમને રોજની 400-500 રૂપિયાની આવક થાય, તો તેમાંથી 200-300 રૂપિયા અમે ઘરના વપરાશ માટે કાઢીશું અને બાકીના 100-200 રૂપિયા અલગ બચાવીને, જે કંઈ દેવું કર્યું છે તે ચૂકવી દઈશું. 

ભદ્રની સાચી ઓળખ જ પાથરણાવાળા છેઃ ગ્રાહક 

અહીં ખરીદી કરવા આવેલા મધુબેને જણાવ્યું કે, હાઈકોર્ટે 13 વર્ષ પછી ગરીબોની વાત સાંભળીને આપેલા ચુકાદાથી મને સારું લાગ્યું. આ આદેશ પછી અહીં પાથરણાવાળા દેખાવા લાગ્યા છે. જે લોકો અહીં રોજ ખરીદી કરવા આવતા હતા, તેઓ પણ ખુશ છે. આવી બીજી કોઈ જગ્યા મળી શકે તેમ નથી. ભદ્રની સાચી ઓળખ જ આ પાથરણાવાળા છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી માર્કેટ બંધ હતું ત્યારે અહીં ચકલુંય ફરકતું નહોતું, પરંતુ હવે ફરી લાખોની સંખ્યામાં લોકો વ્યાજબી ભાવે ખરીદી કરવા આવી રહ્યા છે અને બજાર ધમધમતું થયું છે. હાઈકોર્ટે જે કર્યું છે તે ઘણું સારું કર્યું છે.



Next Post
અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ | Gan…

અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ | Gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In