• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બનાસકાંઠા: ઉણ ગામે બે સમાજ આમને-સામને, ગાડીઓમાં તોડફોડ, પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છો…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બનાસકાંઠા: ઉણ ગામે બે સમાજ આમને-સામને, ગાડીઓમાં તોડફોડ, પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

Load More


Banaskantha News: બનાસકાંઠાના ઉણ ગામે આજે જાણે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે! રુણી ગામે ચૌધરી સમાજની બેઠક પૂરી થતા જ ઉણ ગામમાં હિંસક અથડામણ ફાટી નીકળી હતી. કિંજલ રબારીના કેસ બાદ એક વર્ષ જૂના પ્રેમ લગ્નના વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ચૌધરી અને રબારી સમાજના લોકો લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવી ગયા છે, જેમાં 20થી 25 જેટલી કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે!

ઉણ ગામમાં  ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ઘટનાની ગંભીરતા જોતા વાવ, થરાદ અને બનાસકાંઠા પોલીસનો મોટો કાફલો ઉણ ગામે દોડી ગયો છે. દીકરીને પરત લાવવાની માંગ સાથે આજે ચૌધરી સમાજે રુણીમાં જે આક્રોશ વ્યક્ત કરાયો હતો, તેની સીધી અસર આજે ઉણ ગામમાં જોવા મળી છે. હાલમાં સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને પોલીસ છાવણીમાં ફેરવાયેલું ઉણ ગામ અત્યારે અંજપાભરી શાંતિ છે.

પોલીસનું શું કહેવું છે?

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે ‘પ્રેમ લગ્ન મુદ્દે ભાભરમાં બેઠક યોજાઇ હતી, જે પછી 60 થી 70 ટકા લોકો ત્યાંથી જતાં રહ્યા હતા પરંતુ 30 ટકા લોકો જેઓ આગેવાન નથી તેઓ સીધા ગાડીઓ લઈને ઊણ ગામ પહોંચી ગયા હતા. ત્યાં કોઈ છોકરી કે છોકરો રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી. માત્ર તેની અંપગ માતા રહે છે, ત્યાં જઈને કહ્યું હતું કે છોકરી પરત આપો’,

લાઠીચાર્જ બાદ પોલીસે ટીયર ગેસ છોડ્યા

મહત્વનું છે કે આ ઘટના બાદ સ્થિતિ વણસી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં લાકડીઓને લઈને ભેગા થયા છે અમુક દ્રશ્યોમાં કારમાં તોડફોડ પણ દેખાઈ રહી છે. જે બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, સ્થિતિને કાબૂમાં લેવા માટે ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા. બીજી તરફ મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જનો સહારો પણ લીધો હતો. જે બાદ લોકોએ થરા-ભાભર હાઇવે બ્લોક કર્યો હતો જેથી લાંબો ટ્રાફિક જામ થતાં પોલીસે ત્યાં પણ મામલો થાળે પાડવા આગેવાનો સાથે ચર્ચાઓ શરૂ કરી હતી.

આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું

મહત્વનું છે કે રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ હવે ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે આજે (18 માર્ચ) એક મહા સંમેલન યોજાયું  હતું. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ આ તકે જાહેરાત કરી હતી કે, આગામી એક અઠવાડિયામાં દીકરીને પરત લાવવાની જવાબદારી લેવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં દીકરી પરત નહીં આવે, તો સમાજ દ્વારા આગળની આક્રમક વ્યૂહનીતિ નક્કી કરવામાં આવશે.

કિંજલ રબારીના લગ્ન બાદ શરૂ થયો છે વિવાદ

આ સમગ્ર વિવાદ પાછળની ઘટના જોઈએ તો, અગાઉ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે રબારી અને ચૌધરી બંને સમાજના આગેવાનોએ પરસ્પર સહમતિ સાધીને રબારી સમાજની દીકરીને પરત સોંપી દીધી હતી. 

અમારી દીકરી પરત આપો: ચૌધરી સમાજ

જો કે, આ ઘટના બાદ ભાભરના રુણી ગામની વિધાતા (નામ બદલ્યું છે) ચૌધરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધાતા (નામ બદલ્યું છે) ચૌધરીએ આશરે દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક બાળક પણ છે. હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવાની માંગ સાથે એકજૂટ થયો છે. ચૌધરી સમાજ રબારી સમાજ પાસે અપેક્ષા રાખે છે કે અમારી દીકરી પરત આપો.

સમાજના સન્માન અને સ્મિતાનો વિષય

સમાજના આગેવાનોનું કહેવું છે કે આ મામલો સમાજના સન્માન અને અસ્મિતા સાથે સંકળાયેલો છે, તેથી સર્વસંમતિથી દીકરીને પરત લાવવાનો નિર્ણય લેવો અનિવાર્ય છે. બીજી તરફ, વિધાતા ((નામ બદલ્યું છે)) ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન સર્જાય તેવી ભાવુક અપીલ કરી હતી. હાલમાં આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી એક સપ્તાહ સમાજની વ્યૂહનીતિ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.



Next Post
BIG BREAKING: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી, લગ્નથી લઈને લિવ-ઇન સુધીના નિયમો બદલાશ…

BIG BREAKING: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી, લગ્નથી લઈને લિવ-ઇન સુધીના નિયમો બદલાશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

Recent News

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…
GUJARAT

ખેડૂતો પર આફતના વાદળ! અમરેલી અને જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગાહી ‘ભારે’ | Gujarat Rain Foreca…

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજ 18 માર્ચથી ત્રણ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી...

Read more

અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હ…

25 વર્ષનો વનવાસ પૂરો!: 2001ના ભૂકંપમાં ધ્વસ્ત થયેલો જામનગરનો ‘ભુજિયો કોઠો’ ફરી બેઠો થયો, જાણો ક્યારથ…

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’ | S…

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In