![]()
Jamnagar Hanuman Jayanti : જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પર્વ તા.2 એપ્રિલ, ગુરુવારના રોજ ઉજવાશે.
આ પ્રસંગે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત મુજબ સવારે 09:00 વાગ્યે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે 05:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી શકે છે. તે ઉપરાંત રાત્રે 08:30 વાગ્યે નગારાવાદન, ઝાલર અને ઘંટનાદ સાથે 108 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. આ પાવન પ્રસંગે પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવમાં ભાગ લઈ ધર્મલાભ મેળવવા માટે શહેરના તમામ સનાતન ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજન મહાદેવ હર મિત્ર મંડળ, જામનગર દ્વારા કરવામાં આવ્યું છે.















