• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર | Drinking water Cris…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર | Drinking water Cris…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Water Crisis in Chhota Udepur : છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં આજે(22 જાન્યુઆરી, 2026) પણ પીવાના પાણીની સમસ્યા યથાવત છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના લોકો પાણી માટે વલખાં મારવા મજબૂર છે. પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે, કે એક પરિવારને માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા સ્મશાન પાસે ખાડો ખોદવો પડ્યો હતો.

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર 2 - image

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી વણસેલી છે.ઉનાળો હોય કે શિયાળો, અહીંના રહીશો માટે શુદ્ધ પીવાનું પાણી આજે પણ મુશ્કેલીથી મેળવવું પડે છે. ડુંગર વિસ્તારોમાં આવેલા કેટલાક ગામોમાં આજે પણ “નળ સે જળ યોજના” તેમના માટે સ્વપ્ન સમાન જોવાઈ રહી છે. હા કુદરતી જે ખીણ આવેલા છે, તેના પથ્થરો માંથી ટપકતુ પાણી તેમના માટે આશીર્વાદ સમાન છે. પણ ખીણમાં બે બેડા પાણી મેળવવું કેટલું જોખમ છે, તે દ્રશ્ય પરથી ખ્યાલ આવી જશે. 

ડુંગરના ઢોળાવો પરથી બેડા લઈને ઉતરતી અને ચડતી મહિલાઓને જુઓ, જરા પણ ચૂક થાય તો ખીણમાં પડવાનો ભય રહે છે. પરંતુ જીવનને ટકાવી રાખવા મહિલાઓને જીવનું જોખમ પણ ખેડૂવું જ પડે છે.

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર 3 - image

માતાના અંતિમ સંસ્કાર વખતે પાણી માટે વલખાં

નસવાડી તાલુકાના ગનીયાબારી ગામની એક માતાના અવસાન બાદ પુત્રને અંતિમ સંસ્કાર માટે સ્મશાન નજીક ખાડો ખોદી પાણી મેળવવું પડ્યું હતું. આ પાણીથી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી અને હાજર મહેમાનોને પણ એ જ પાણી પીવડાવવું પડ્યું. મૃતકના પુત્રનું કહેવું છે કે, “મારી માતાના મરણ બાદ મારા ઘરે માતાની અંતિમ ક્રિયા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પણ મારા ઘરમાં પાણી ન હતું. ખાસ ચિંતાએ હતી કે સ્મશાનમાં માતાની અર્થી મૂકી તેને મોઢામાં પાણી નાખવાનું હોય છે. આવેલા લોકોને પાણી પીવડાવવાનું હોય છે, આ એક આદિવાસીઓની પરંપરા છે. આ પરંપરા નિભાવવા માટે પાણી કયાથી લવાશે? આખરે પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે અહીં પોચી જમીનમાં ખાડો ખોદીશું. પરિવારના સભ્યોએ ખાડો ખોદ્યો અને નવાઈની વાત એ છે, કે ખોદેલા ખાડા માંથી પાણી નીકળ્યું. જે પાણી વડે અંતિમ ક્રિયાના કામમાં લેવાયું અને સ્મશાનમાં આવેલા લોકોને પાણી પીવડાવ્યું.”

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર 4 - image

આ પણ વાંચો: VIDEO | નર્મદા: દેડિયાપાડાના TDO સામે પત્નીએ રાજસ્થાનમાં નોંધાવી ફરિયાદ, જગદીશ સોનીના પણ પત્ની પર ગંભીર આક્ષેપ

73 ગામોને શુદ્ધ પાણી પહોચાડવાની યોજના આજે પણ અધૂરી

ગામના સરપંચે જણાવ્યું કે, વિસ્તારમાં 92 કરોડોનો ખર્ચ કરીને કુપ્પા પાણી પુરવઠા બનાવવામાં આવી છે. તે યોજના થકી આજે પણ કેટલાય ગામોમાં પાણી નથી પહોંચ્યું. આ યોજના કુપ્પા ગામ પાસે બનાવવામાં આવી છે. 73 ગામોને શુદ્ધ પાણી પહોચાડવાની આ યોજના છે. યોજના 2022ની સાલથી શરૂ કરવામાં આવી છે. કામ પૂર્ણ કરવા માટે 24 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પણ આજે પણ આ યોજના અધૂરી છે. 

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર 5 - image

કેટલાય ગામોમાં નથી નળ પહોંચ્યા કે ના પાણી: સરપંચ

73 ગામો પૈકી 40 ગામો સુધી જ પાણી પહોંચ્યું છે. તો કેટલીક જગ્યાએ આજે મોટા સંપ બનાવવામાં આવ્યા છે, જે શોભાના ગાંઠિયા સમાન જોવાઈ રહ્યા છે.  જેના દ્વારા પાઇપ લાઇનો નાખીને લોકોના ધર સુધી નળ સે જળ યોજના દ્વારા નળ લગાવી પાણી આપવાનું હતું. પણ કેટલાય ગામોમાં નથી નળ પહોંચ્યા કે ના પાણી. જેથી ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર 6 - image

સ્થાનિક લોકોનું કહેવું છે કે, પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ મંજૂર થઈ, પરંતુ જમીન પર તેનો કોઈ અસરકારક અમલ થયો નથી. આઝાદીના અનેક વર્ષો વીતી ગયા છતાં ડુંગર વિસ્તારના લોકો આજે પણ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO | છોટા ઉદેપુર: પાવી જેતપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનારો બુટલેગર આખરે ઝડપાયો, જુઓ CCTV

નિર્ધારિત સમયમાં યોજના પૂર્ણ ન થતાં સ્થાનિકોને હાલાકી

સ્થાનિક યુવાને કહ્યું કે, “હાલમાંજ પાણી પુરવઠા મંત્રી જિલ્લાની સૌથી મોટી યોજનાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. પરંતુ યોજના નિર્ધારિત સમય મર્યાદામાં કેમ પૂર્ણ નથી થતી તે દિશામાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. યોજના પ્રગતિમાં છે તેમ કહી સંતોષ માની રહ્યા છે.”

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર 7 - image

પ્રશ્ન એ છે, કે જ્યાં અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા ખાડો ખોદવો પડે, ત્યાં વિકાસના દાવાઓ કેટલા સાચા કહી શકાય?  હાલ તો યોજના કાગળ પર પ્રગતિમાં છે. ત્યારે પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે કે પછી ડુંગર વિસ્તારના લોકોનો સંઘર્ષ યથાવત રહેશે? નર્મદા કિનારે વસેલા આ વિસ્તારના લોકો આજે પણ જાણે નદી કિનારે તરસ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Next Post
નવાપુરામાં ગેસ બિલ બાકીદારો પર વીજીએલની કાર્યવાહી | VGL takes action against gas bill defaulters in …

નવાપુરામાં ગેસ બિલ બાકીદારો પર વીજીએલની કાર્યવાહી | VGL takes action against gas bill defaulters in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

Recent News

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…
GUJARAT

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

Stock Market Trading Time Change : શેરબજારના બંધ થવાના સમયમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર ફ્યુચર એન્ડ ઓપ્શન...

Read more

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In