• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

Load More


Elder Abuse in Ahmedabad: બુઢાપાની લાઠી જ્યારે સહારો બનવાના બદલે ફટકા મારે… પેટે પાટા બાંધી જેમને મોટા કર્યા તે જ સંતાનો સામે જ્યારે બે ટંકના ભોજન માટે હાથ ફેલાવવા પડે! તેવા સમયે કેટલાક વડીલ માતા-પિતાને આખરે કોર્ટ-કચેરીના દરવાજા ખખડાવવાનો વારો આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સંતાનો દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી છૂટકારો મેળવવા તેમજ ભરણપોષણ માટે અમદાવાદ શહેરના 452 વડીલોએ સિટી ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અરજી કરી મદદની ગુહાર લગાવી છે.

2007નો કાયદો અને વડીલોનું રક્ષણ

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ હેઠળ વર્ષ 2007થી વડીલોને તેમના સંતાનો અથવા પરિવારના સભ્યો દ્વારા કરાતા અન્યાય સામે રક્ષણ આપવાનું શરૂ કરાયું હતું. જે અંતર્ગત વડીલો દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી શકાય છે. કેટલાક વર્ષો સુધી તો આવી ફરિયાદોની સંખ્યા નજીવી હતી. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષમાં તેમાં મોટો ઉછાળો આવ્યો છે. 

અમદાવાદમાં ફરિયાદોનો 4 ગણો ઉછાળો

આ અંગે મળતી માહિતી મુજબ, વર્ષ 2021માં પશ્ચિમ અમદાવાદમાં 23 માતા-પિતા દ્વારા સંતાનો સામે અરજી કરાઈ હતી. જે સંખ્યા વર્ષ 2025માં વધીને 85 એટલે ચારેક ગણી થઈ ગઈ હતી. જ્યારે પૂર્વ અમદાવાદમાં વર્ષ 2021માં કરાયેલી 33 ફરિયાદો વર્ષ 2025માં દોઢેક ગણી વધીને 52એ પહોંચી ગઈ હતી. જેના પાછળ સંયુક્તના બદલે વિભક્ત કુટુંબનો આગ્રહ અને બદલાઈ રહેલા સામાજિક અને પારિવારિક મૂલ્યો જવાબદાર હોવાનું મનાય છે. વાલીઓની અરજી બાદ બંને પક્ષોને સાંભળી એસડીએમ દ્વારા માતા-પિતાની સારસંભાળ રાખવા તથા મહિને 5,000થી 10,000 હજાર ભરણપોષણ ચૂકવવા સંતાનોને હુકમ કરાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું

મહિને એક લાખ પગાર છતાં માતા-પિતાને જમવાનું ન આપતા હોવાના પણ કિસ્સા

ફરિયાદોના નિકાલમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી જાય છે. ત્યારે આ પ્રક્રિયા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, માતા-પિતાને ત્રાસ અપાતો હોય તેવા કિસ્સા શહેરી વિસ્તારમાંથી વધુ સામે આવે છે. વાલીઓએ આખી ઉંમર મહેનત કરી બાળકોને ભણાવીને વિદેશ મોકલ્યા બાદ ત્યાં જઈને કેટલાક સંતાનો માતા-પિતા સાથે સંપર્ક તોડી દેતા હોય છે. બીજી બાજુ મહિને 1,00,000 પગાર હોવા છતાં માતા-પિતાને જમવાનું ન આપતા હોવાના કિસ્સા પણ સામે છે. મોટાભાગે બે કે ત્રણ સંતાનો હોય તેવા સંજોગોમાં વાલીઓની સારસંભાળ કોણ રાખશે? તે મુદ્દે વિવાદ થતો હોય છે.


અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ વધ્યાં 2 - image

Next Post
ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું |…

ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

Recent News

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

Ahmedabad RTO Evacuated After Bomb Threat: રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે...

Read more

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

સુરતમાં પાંચ વર્ષમાં મોટા ભાગનો સમય મિસ્ટર ઈન્ડિયા બનેલા નેતાઓ અચાનક પોતાના વિસ્તારમાં ફુલ એક્ટિવ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In