![]()
અમદાવાદ, 2 મે,શનિવાર,2026
અમદાવાદના પૂર્વ અને દક્ષિણના વિસ્તારોને શેઢી કેનાલમાંથી
મળતા પાણીમાંથી પાણી પુરવઠો આપવામા આવે છે. શેઢી કેનાલમાં સમારકામની કામગીરી કરવા
નિર્ણય કરાયો છે. આ કારણથી આજે રવિવારે શહેરના રામોલ-હાથીજણ ઉપરાંત દક્ષિણ ઝોનના
તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી
આપવામા આવશે.સિંચાઈ વિભાગ દ્વારા પાણીનુ લેવલ સામાન્ય કરી કરવાની કાર્યવાહી હાથ
ધરવામા આવી છે.
શેઢી કેનાલમાં સમારકામની કામગીરી હાથ ધરવામા આવી હોવાથી
કેનાલમાં પાણીના લેવલમાં ઘટાડો નોંધાયો છે.જેના કારણે રાસ્કા વોટર ટ્રીટમેન્ટ
પ્લાન્ટ ખાતે પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ
થતુ નથી. આ કારણથી પૂર્વ ઝોનના બે વોર્ડ તેમજ દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં
રવિવારે સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામા આવશે.ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે
આવી પડેલા પાણી કાપને લઈ લોકોની મુશ્કેલીમા પણ વધારો થશે.















