• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign i…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

Load More


– સરકારે જાહેરનામું બહાર પાડયું, ફેમામાં સુધારો કર્યો

– વિદેશી કંપની માટે ભારતીય રહેવાસી નાગરિકની ચેરમેન, એમડી અથવા સીઈઓ તરીકે નિમણૂક કરવી ફરજિયાત

– સરકારી વીમા કંપની એલઆઈસી પર વિદેશી નિયંત્રણ રોકવા માટે કેન્દ્ર સરકારે 20 ટકાની મર્યાદા નાંખી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શનિવારે ભારતના વીમા ક્ષેત્રમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડયું છે. એટલે કે હવે કોઈપણ વિદેશી કંપની ભારતના વીમા ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કર્યા વિના ૧૦૦ ટકા રોકાણ કરી શકશે. કેન્દ્ર સરકારની સુધારેલી નીતિ હેઠળ વિદેશી રોકાણકારો હવે ઓટોમેટિક રીતે ભારતીય વીમા કંપનીઓમાં ૧૦૦ ટકા સુધીની ખરીદી કરી શકશે. જોકે, સરકારી વીમા કંપની એલઆઈસી માટે કેન્દ્ર સરકારે અલગ નિયમો રાખ્યા છે. આ સાથે સરકારે ફેમા કાયદામાં પણ ફેરફાર કર્યા છે. 

નાણામંત્રાલયે શનિવારે વીમા સેક્ટરમાં ઓટોમેટિક માર્ગ હેઠળ ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડયું હતું. આ પહેલાં સંસદમાં સબ કા બીમા સબ કી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બીલ ૨૦૨૫ ડિસેમ્બર ૨૦૨૫માં પસાર કરાયું હતું, જેના હેઠળ વીમા ક્ષેત્રમાં ઓટોમેટિક માર્ગે વિદેશી રોકાણની મર્યાદા ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરી દેવાઈ હતી. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળતા તે કાયદો બની ગયો હતો. ત્યાર પછી ડીપીઆઈઆઈટીએ ફેબુ્રઆરી ૨૦૨૬માં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને નોટીફાઈ કર્યું હતું.

ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ કહ્યું કે, પોર્ટફોલિયો રોકાણ સહિત વિદેશી રોકાણ ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઈરડાઈ)ની નિયામક મંજૂરી હેઠળ આપમેળે જ મંજૂર થઈ જશે. જોકે સરકારી વીમા કંપની એલઆઈસી માટે સરકારે ૨૦ ટકાની મર્યાદા મૂકી છે. એટલે કે કોઈપણ વિદેશી કંપની એલઆઈસીમાં ૨૦ ટકાથી વધુનું રોકાણ કરી શકશે નહીં. એલઆઈસીનું નિયંત્રણ અન્ય કોઈ દેશ અથવા કંપનીઓ પાસે ના જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

આ નીતિગત પરિવર્તન વીમા કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ હેઠળ કરાયું છે, જેનો આશય વીમા કવરેજ વધારવા અને ક્ષેત્રના મૂડી આધારને મજબૂત કરવાનો છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓના પ્રવેશ સંબંધીત અવરોધો હટી જશે અને મૂડીમાં વધારો થશે. જોકે, વિદેશી કંપનીઓએ સરકારના કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, જેમાં નિયામક નિરીક્ષણ અને ઘરેલુ નિયંત્રણ નિશ્ચિત કરવા માટે વિદેશી રોકાણવાળી વીમા કંપનીઓએ ઓછામાં ઓછા એક ભારતીય રહેવાસી નાગરિકને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અથવા સીઈઓ તરીકે નિમણૂક કરવા ફરજિયાત છે. 

આ સિવાય વિદેશી શેરધારકોમાં કોઈપણ વધારાને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ફેમાના નિયમો હેઠળ દિશા-નિર્દેશોનું પાલન કરવું પડશે. ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની મર્યાદા બ્રોકર, પુનર્વીમા બ્રોકર, કોર્પોરેટ એજન્ટ, થર્ડ પાર્ટી, મહા એજન્ટ અને વીમા ભંડાર પર પણ લાગુ પડે છે. જોકે, તેઓ ઈરડાઈના માપદંડોનું પાલન કરતા હોવા જોઈએ તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Next Post
ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government’s return gift …

ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government's return gift ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

Recent News

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …
GUJARAT

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (UBT)ને બહુ મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના 9માંથી 6 લોકસભા સાંસદોએ બળવો કરીને...

Read more

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In