![]()
Mamata Banerjee Refuses To Resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ 100 મતવિસ્તારોમાં મત “લૂંટાયા” છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ‘અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નથી, પરંતુ અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું હતું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાતીભર્યું હતું અને લોકશાહીની હત્યા કરવામાં આવી છે.’ મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં.’
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ.’
તેમણે કહ્યું કે, ‘ઈલેક્શન બાદ EVM મશીનો પર ચાર્જ લગાવવામાં આવ્યો. બે ફેઝમાં ઈલેક્શન થયા બાદ તેઓએ અમારા લોકોની અટકાયત કરવાનું શરૂ કરી દીધુ અને અધિકારીઓના ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.’
INDIA ગઠબંધનના નેતા અમારી સાથે
ઇન્ડિયા ગઠબંધનની વાત કરતાં મમતાએ કહ્યું, ‘મેં આ પહેલાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મેં 2004માં પણ આવા અત્યાચાર જોયા નહોતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેનથી લઈને વ્યાપક INDIA ગઠબંધનના સભ્યો સુધીના નેતાઓએ મારી સાથે વાત કરી છે. અખિલેશ યાદવ કાલે આવી રહ્યા છે.’
બુથ પર થયેલા તેમની પરના વ્યવહાર પર તેમણે કહ્યું કે, ‘મને બુથ પરથી ધક્કા મારીને કાઢવામાં આવી. હું એક મહિલા છું, મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરી શકતા હોય તો અન્ય લોકો સાથે કેવુ વર્તન કરાશે.’















