![]()
Vadodara : એક બહેન 181 અભયમમાં મદદ માંગવા આવ્યા હતા. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ તેમની પત્ની સાથે છેલ્લા ૩ વર્ષથી કોઈ વાતચીત કરતા નથી અને પત્નીએ બનાવેલી રસોઈ પણ જમતા નથી. પરિણામે અભયમ ટીમે મહિલાએ જણાવેલ સરનામે પહોંચી હતી. જ્યાં ટીમે પહોંચતા પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું.
જેમાં પરિણીતાએ જણાવ્યું કે તેમના લગ્ન 12 વર્ષ અગાઉ થયેલા છે. દાંપત્ય જીવનમાં હાલ એક દીકરી છે. પતિ-પત્ની-દીકરી વચ્ચે સારો મનમેળાપ હતો. પરંતું પરિણીતાએ સ્વખર્ચ માટે નાણા માંગ્યા અને જરૂરી ચીજ-વસ્તુની ખરીદી માટે જણાવ્યુ હતું. પરિણામે નજીવી બાબતે દંપત્તિ વચ્ચે તકરાર થઈ હતી. જેની અદાવતમાં ત્યાર બાદ પતિ તેની પત્ની સાથે કોઈ વાતચીત કરતો નથી. છેલ્લા થોડાક દિવસથી હવે પોતાની દીકરીએ પણ માતા સાથે વાતચીત બંધ કરી દીધી. તેથી અભયમની ટીમે પરિણીતાના પતિ સાથે વાતચીત કરી સમાધાનના પ્રયત્નો કરવા માંડ્યા હતા. જેમાં પરિણીતાના પતિએ જણાવ્યું કે, પોતાની પત્નીની જરૂરિયાતો ખૂબ વધી ગઇ છે. આ જરૂરિયાતોને સંતોષવા માટે વારંવાર પૈસા માંગે છે અને તેનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિણામે મર્યાદિત આવક અને ખાનગી કંપનીમાં ખાસ પગાર વધતા નથી. જેથી જરૂરિયાતો મુજબ પરિણીતાની માંગણી નહીં સંતોષાતી નથી. જેના કારણે દંપત્તિ વચ્ચે અવારનવાર ઝગડા થાય છે. પરિણામે કંટાળીને તેની સાથે બોલાવાનું બંધ કરી દીધું હોવાનું તેના પતિએ જણાવ્યું હતું.
જેથી અભયમની ટીમે સમજાવટના અંતે પરિણીતાને તેમના સ્વખર્ચ માટે નોકરી કરવા સલાહ આપી હતી. જેથી પરિણીતાએ નોકરી કરવાનું શરૂ કર્યું હતું. આમ આ પરિવારમાં આર્થિક આવક પણ શરૂ થઈ હતી. પરિણીતાને પોતાના ખર્ચ માટે આર્થિક મદદ પણ મળવા માંડી હતી. આમ અભયમ 181ની ટીમે બંને પક્ષને સમજાવેલ છે કે, લગ્ન બાદ પત્નીની તમામ જવાબદારી પતિની હોય છે. પત્નીનું તેની સાસરીમાં માન-સન્માન જળવાઈ રહે તેની જવાબદારી પણ તેના પતિની હોય છે. સાસરીમાં પરિણિતાને ઘરના એક્ સભ્ય ગણવામાં આવે છે. આને પરિણીતાનું માન સન્માન વધે તેની તમામ જવાબદારી તેના પતિની હોય છે. આમ અભયમ 181ની ટીમના સફળતાપૂર્વક પ્રયત્નોના કારણે દંપતીના દાંપત્યજીવનમાં પુનઃ સંસારી સુખ શરૂ થયું હતું. આમ પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે અબોલાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી. દંપત્તિ વચ્ચે કાયમી ધોરણે એક બીજા પ્રત્યેની ફરજ અભયમ 181ની ટીમે સમજાવીને દંપત્તિ વચ્ચેની 3 વર્ષની નારાજગી દૂર કરી અને ફરીથી બંનેનું લગ્નજીવન પાટે ચડાવી એકબીજા સાથે વાતચીત કરાવીને અબોલા દૂર કરાવવાની મહેનતમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને સફળતા મળી હતી.















