• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

Load More


Petrol-Diesel Price Hike: આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘જો મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનો તણાવ લાંબો સમય ચાલ્યો, તો ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે. તેનું કારણ એ છે કે, ક્રૂડની વધતી કિંમતો મોંઘવારી, ક્રૂડની આયાત અને અર્થતંત્ર પર સતત દબાણ વધારી રહી છે. જો વર્તમાન વૈશ્વિક ઊર્જા સંકટ વધુ વણસશે, તો સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ અનિશ્ચિત સમય સુધી યથાવત્ રાખી શકશે નહીં.’

હોર્મુઝ સ્ટ્રેટ સંકટથી ભારતની ઊર્જા આયાત પર અસર

સ્વિટ્ઝર્લેન્ડમાં ‘સ્વિસ નેશનલ બેન્ક’ અને ‘ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ’ (IMF) દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં મલ્હોત્રાએ કહ્યું હતું કે, ‘જો પશ્ચિમ એશિયાનો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર વધતી કિંમતોનો અમુક ટકા બોજ ગ્રાહકો પર નાખી શકે છે.’ વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર ભારત પર ‘હોર્મુઝ સ્ટ્રેટ’ની આસપાસના તણાવને કારણે ઊર્જા પુરવઠો ખોરવાયો છે. આ એક મહત્ત્વનો શિપિંગ રૂટ છે, જેમાં ખલેલ પડવાથી ભારતની સપ્લાય-ચેઈન પણ ખોરવાઈ છે, જે મોંઘવારી અને દેશના સતત વધી રહેલા ક્રૂડ ઈમ્પોર્ટ બિલની મુશ્કેલીઓને વિકરાળ બનાવી શકે છે. 

ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે દેશ તેની ક્રૂડની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. વધતા ભાવથી પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધે છે, જે રૂપિયા પર દબાણ લાવે છે અને મોંઘવારીને અસર કરે છે.

સરકાર અને ઓઈલ કંપનીઓ અત્યારે ખર્ચ સહન કરી રહી છે

હાલમાં, સરકાર અને સરકારી તેલ કંપનીઓ ક્રૂડ ઓઈલના વધતા ભાવનો મોટો હિસ્સો પોતે સહન કરી રહી છે. ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પહેલાથી જ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વધતી ખોટ છતાં પેટ્રોલ અને ડીઝલ બજાર-લિંક્ડ કિંમતો કરતા ઓછી કિંમતે વેચવાનું ચાલુ રાખે છે. જોકે, કેટલીક ફ્યૂઅલ પેદાશોના ભાવમાં પહેલેથી જ વધારો થયો છે. 

સરકારી ક્રૂડ કંપનીઓએ નીચેનાના ભાવ વધાર્યા છે. જેમ કે… કોમર્શિયલ LPG સિલિન્ડર, ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ, 5 કિલોના LPG સિલિન્ડર અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને સપ્લાય કરવામાં આવતું જેટ ફ્યૂઅલ. આ ઉપરાંત 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ રૂ. 993નો વધારો કરાઈ ચૂક્યો છે. જો કે, રિટેલ પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGના ભાવ યથાવત્ છે.

વડાપ્રધાન મોદીની પણ લોકોને ફ્યૂઅલ બચાવવા અપીલ 

આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને સ્વૈચ્છિક રીતે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે સોનાની બિનજરૂરી ખરીદી ટાળવાની અપીલ કરી હતી. આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે ઓઈલ કંપનીઓ ક્યાં સુધી કિંમતો વધાર્યા વિના ખોટ સહન કરી શકશે. તેમણે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘ઓઈલ કંપનીઓ આ કેટલા સમય સુધી સહન કરી શકશે? સ્પષ્ટપણે, તે મને ચિંતિત કરે છે.’

આ પણ વાંચો: PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ

ક્રૂડના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવા IMFનું પણ સમર્થન 

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ક્રૂડના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવાનું સમર્થન કરતા કહ્યું છે કે ભારત પાસે હજુ પણ વર્તમાન ઊર્જા સંકટમાંથી બહાર આવવાની ક્ષમતા છે. ભારતનું ફ્યૂઅલ બજાર મોટે ભાગે સરકારી રિફાઈનરીઓ દ્વારા નિયંત્રિત છે, જે દેશભરના રિટેલ આઉટલેટ્સના લગભગ 90% હિસ્સો ધરાવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવને કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક રીતે મંજૂરી અપાય છે. જો કે રાજ્યના વેરા અલગ-અલગ હોય છે.

ભારતનો છૂટક ફુગાવો માર્ચમાં 3.40% થી વધીને એપ્રિલમાં 3.48% થયો હતો. જો કે તે અપેક્ષા કરતા ઓછો હતો કારણ કે સરકારે ક્રૂડના ભાવ વધારાનો અમુક હિસ્સાનો ખર્ચ પોતે કર્યો હતો. 

ક્રૂડના ભાવ અંગે અર્થશાસ્ત્રીઓ પણ ચિંતિત

જો કે, અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે કે જો ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો મુશ્કેલી સર્જી શકે છે. જેમ કે, તેના કારણે મોંઘવારી વધી શકે છે. આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે અને રૂપિયો પણ નબળો પડી શકે છે. આ સ્થિતિમાં દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (ચાલુ ખાતાની ખાધ) વધી શકે છે.

નોંધનીય છે કે, RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે 6.9% આર્થિક વૃદ્ધિ અને 4.6% સરેરાશ ફુગાવાનો અંદાજ મૂક્યો છે. કેન્દ્રીય બેંકે એપ્રિલમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો. મલ્હોત્રાએ કહ્યું કે RBI ડેટા-આધારિત અભિગમ અપનાવી રહી છે અને જો મોંઘવારીનું દબાણ લાંબું ચાલશે તો પગલાં લેવા માટે તૈયાર છે.

Next Post
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

Recent News

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
GUJARAT

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

Prateek Yadav Post Mortem Report: સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધન અંગે પોસ્ટમોર્ટમ...

Read more

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In