![]()
ચિત્રામાં સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
ઘોઘાના અવાણિયા નજીક ભાઈની હત્યાનો બદલો લેવા શખ્સે એક્ટિવા પર જઈ રહેલા
યુવકો પર કાર ચડાવી દીધી, એકનું મોત, બેને ઈજા
ભાવનગર – ભાવનગર શહેર અને
જિલ્લા માટે ગુરૃવારનો દિવસ લોહિયાળ રહ્યો હતો, એક જ દિવસમાં
હત્યાના બે બનાવથી ચકચાર મચી છે. એકાદ વર્ષ પૂર્વે ઘોઘામાં થયેલી ભાઈની હત્યાનો
બદલો લેવા શખ્સે એક્ટિવા પર જઈ રહેલા ત્રણ યુવકો પર કાર ચડાવી દઈ અકસ્માત સર્જ્યો
હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવકોની ઈજા પહોંચી છે. બનાવ અંગે
ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ શહેરના ચિત્રા બેંક કોલોનીમાં
કૌટુંબિક ઝઘડામાં સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ સામે બોરતળવા પોલીસ મથકમાં
ગુનો નોંધાયો છે.
ભાવનગરમાં થયેલા હત્યાના પ્રથમ બનાવની મળતી વિગતો પ્રમાણે ઘોઘા તાલુકાના
ભુતેશ્વર ગામના બસ સ્ટેન્ડ પાસે નોનવેજ લૉજ ચલાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની ગત
જુલાઈ-૨૦૨૫માં સુનિલ ઘેલાભાઈ કંટારીયા અને તેનો મિત્ર હાદક બટુકભાઈ કંટારીયા (રહે.
બન્ને ભૂતેશ્વર, તા.ઘોઘા)એ હત્યા કરી હતી અને બન્નેને પોલીસે ઝડપી જિલ્લા
જેલ હવાલે કર્યાં હતા અને આ બનાવનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય, જેમાં હાર્દિક કંટારિયા છેલ્લા પાંચ મહિનાથી જામીન પર બહાર હતા. બીજી તરફ
મૃતક પિયુષભાઈના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાએ પોતાના ભાઈની હત્યાનો
બદલો લેવા ગત રોજ બપોરે હાર્દિક કંટારિયા, શાંતિભાઈ ઘેલાભાઈ
કંટારિયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારિયા જીજે-૦૪-ડીજી-૩૭૦૨ નંબરની એક્ટિવા લઈને ભાવનગરથી
ભુતેશ્વર જઈ રહ્યાં હતા ત્યારે અવાણીયા ગામની સીમ જત વિસ્તારમાં પીપળીયા પુલ રોડ
પર જીજે-૦૪-ડીએન-૯૩૩૭ નંબરની ઈકો કાર ઈરાદાપૂર્વક તેમની સાથે ભટકાડી ૧૦૦ ફુટ સુધી
તેમને રોડ પર ઢસડયા હતા. જેમાં શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયાનું મોત નિપજ્યું હતું.
જ્યારે હાર્દિક કંટારિયા અને રોનક કંટારિયાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે હાદક
બટુકભાઈ કંટારીયાએ ઘોઘા પોલીસ મથકમાં હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ચિત્રા બેંક
કોલોનીમા જમાઈએ સસરાની હત્યા કર્યાંના બનાવમાં સંદીપભાઈ ગોરધનભાઈ દલસાણીયાએ
બોરતળાવ પોલીસ મથકમાં તેમના જમાઈ રાકેશ વનાભાઈ કુકવાવા, પારૃલબેન
ભાવેશભાઈ સોલંકી અને હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં
તેમના બેન રસીલાબેનને પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ હીરા ઘસવાના કામ પર
નહોતા જતાં તેથી તેમના બનેવી માર મારતા હોવાથી તેમના પિતા જમાઈને સમજાવવા જતાં
તેની દાઝ રાખી ગત રોજ સાંજના ૫.૩૦ કલાકના અરસામાં ઉક્ત લોકો તેમની ઘરે આવી
ગોરધનભાઈને લાકડાની શેટીના પાયા અને બ્લોકનો ઘા મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી
હત્યા કરી તથા તેમના પત્નિ હેતલબેને મારમાર્યો હતો. બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.















