Surendranagar 96 Deputy Mamlatdars Transfer: સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા એક સામટો આદેશ બહાર પાડીને જિલ્લાના 96 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની બદલી અને નવી નિમણૂંક કરવામાં આવી છે.
આ આદેશ અનુસાર તમામ કર્મચારીઓને કોઈપણ પ્રકારનો જોઇનિંગ ટાઇમ ભોગવ્યા વિના તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આ બદલીઓમાં ખાસ કરીને મહેસૂલ, જમીન, લેન્ડ ગ્રેબિંગ અને પુરવઠા શાખાના અધિકારીઓનો સમાવેશ થાય છે.





















