વડોદરાઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઇની ખરીદી માટેની પોલિસી એકાએક બદલાતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરાતાં ખેડૂતો દ્વારા પાકની નોંધણી કરાવવામાં આવી હતી.પરંતુ હવે ખરીદીનો સમય આવ્યો છે ત્યારે સરકારે ખરીદી પર મર્યાદા લાદી દેતાં ખેડૂતોને મોટો ફટકો પડયો છે.
ડભોઇ અને કરજણના ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી નારાજગી વ્યક્ત કરી એકાદ બે દિવસમાં જ આંદોલનની ચીમકી આપી છે.તેમણે કહ્યું છે કે,સરકાર દ્વારા જેટલો પાક ઉતરશે તેટલી ખરીદીની વાતો કરવામાં આવી હતી અને હવે બાજરીમાં ખેતર દીઠ ૨૦૦૦ કિલો,જુવારમાં ૧૦૦૦ કિલો અને મકાઇમાં ૧૫૦૦ કિલોની મર્યાદા મૂકી દીધી છે.
<a href=
<p>The post જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક… first appeared on gandhinagarmetro.com.</p>















