• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતાના ગઢમાં ગાબડુંઃ તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ! 16 સાંસદના ફોન બંધ, શુભેન્દુ દિલ્હી પહોંચ્યા | TM…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મમતાના ગઢમાં ગાબડુંઃ તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ! 16 સાંસદના ફોન બંધ, શુભેન્દુ દિલ્હી પહોંચ્યા | TM…
2
VIEWS
Share on FacebookShare on Twitter



Mamata Banerjee TMC Split: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળ વિધાનસભાની સત્તા ગુમાવી ચૂકી છે અને 58 ધારાસભ્યોના બળવા બાદ હવે પક્ષના અસ્તિત્વ સામે જ ગંભીર સંકટ ઊભું થયું છે. આ દરમિયાન દિલ્હીમાં ટીએમસીના સંસદીય દળના મોટા વિભાજનના મંડાણ થઈ ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહની શરૂઆતમાં જ્યારે મમતા બેનરજી અને અભિષેક બેનરજી વિપક્ષી ઇન્ડિયા (INDIA) ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચશે, ઠીક એ જ સમયે પક્ષના ઓછામાં ઓછા 22 સાંસદો બળવો પોકારીને પોતાનું જૂથ જ અસલી ટીએમસી હોવાનો દાવો કરી શકે છે. સંસદમાં આકાર લઈ રહેલા આ સંભવિત રાજકીય તખ્તાપલટ અને બાગી જૂથની કમાન બારાસાતના લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હાથમાં હોવાનું સામે આવ્યું છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સાંસદો જોડાઈ રહ્યા છે.

ભાજપના નેતાઓ દિલ્હીમાં સક્રિય, ટીએમસી હવે ‘ઇતિહાસ’ બનશે?

બંગાળના આ મોટા રાજકીય ગરમાવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અત્યારે દિલ્હીમાં જ ડેરા જમાવીને બેઠા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સતત તેમના સંપર્કમાં છે અને તેમના પર સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. ટીએમસી હવે વીતેલા જમાનાની વાત બની ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તે ઇતિહાસના એક નાના પ્રકરણ પૂરતી જ સીમિત રહી જશે. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ લોકેટ ચેટર્જીએ પણ સ્મિત સાથે જણાવ્યું હતું કે, 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદથી જ ટીએમસીના ઘણા સાંસદો ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અને કોલ્સ દ્વારા સતત ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ બદલવા માટે તૈયાર બેઠા છે.

પક્ષપલટા કાયદાથી બચવા માટે આંકડાની માયાજાળ

સંસદમાં સત્તાવાર રીતે વિભાજનને માન્યતા અપાવવા અને પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ લોકસભામાં ટીએમસીના 28 સભ્યો છે, જ્યારે રાજ્યસભામાં તેના 13 સભ્યો છે. કોલકાતાની તર્જ પર દિલ્હીમાં ખેલ કરવા માટે બાગીઓને ઓછામાં ઓછા 19 લોકસભા અને 9 રાજ્યસભા સાંસદોના સમર્થનની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી છાવણીમાં અત્યારે બંને ગૃહોના મળીને કુલ 22 સાંસદોનો આંકડો તૈયાર થઈ ચૂક્યો છે.

મમતા-અભિષેકની હાજરીમાં જ દિલ્હીમાં થશે મોટો ધડાકો

બાગી જૂથના એક મુખ્ય સૂત્રે જણાવ્યું છે કે, આ તમામ સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળીને પોતાને જ અસલી તૃણમૂલ જાહેર કરવાના છે. મમતા બેનરજી માટે આ બાબત અત્યંત પીડાદાયક હશે, કારણ કે જ્યારે ફઈ-ભત્રીજો (મમતા અને અભિષેક) દિલ્હીમાં હાજર હશે, બરાબર ત્યારે જ આ મોટો રાજકીય ધડાકો જોવા મળશે. ટીએમસીના વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ આ સંભવિત ભંગાણને સમર્થન આપતા કહ્યું છે કે સંસદીય દળનું વિખરાઈ જવું હવે અનિવાર્ય છે, તે બસ થોડા જ સમયની વાત છે.

આ પણ વાંચો: પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા

ટીએમસી સાંસદોના ફોન સ્વિચ ઓફ, સોશિયલ મીડિયા પર આર-પારની જંગ

શુક્રવારે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે પક્ષના 16માંથી 15 સાંસદોના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આ સાંસદોમાં મનોરંજન જગતના સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન અને પહેલીવાર ચૂંટણી જીતીને આવેલા સાંસદોનો સમાવેશ થાય છે. આ આખા બળવાના મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સનનું કથન અને ચાર્લ્સ મેકેની કવિતાઓ શેર કરીને પોતાની 4 દાયકા લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પક્ષ સામે આર-પારની જંગનું એલાન કરતાં ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું છે કે- ‘મધમાખીના પૂડામાં હાથ નાખશો નહીં.’

બીજી તરફ, કોલકાતામાં બાગી જૂથના નેતા અને નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીએ આ સમગ્ર સ્થિતિ પર તંજ કસતા કહ્યું કે, ‘આજે મારે કંઈક કામ હોવાથી મેં 5 સાંસદોને ફોન કર્યો હતો, પણ બધાના ફોન એકસાથે બંધ આવતા હતા. હવે આનો જે મતલબ કાઢવો હોય તે કાઢી લો. ડર ચેપી હોય છે, પરંતુ સાહસ પણ ચેપી હોય છે.’



Mamata Banerjee TMC Split: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળ વિધાનસભાની સત્તા ગુમાવી ચૂકી છે અને 58 ધારાસભ્યોના બળવા બાદ હવે પક્ષના અસ્તિત્વ સામે જ ગંભીર સંકટ ઊભું થયું છે. આ દરમિયાન દિલ્હીમાં ટીએમસીના સંસદીય દળના મોટા વિભાજનના મંડાણ થઈ ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહની શરૂઆતમાં જ્યારે મમતા બેનરજી અને અભિષેક બેનરજી વિપક્ષી ઇન્ડિયા (INDIA) ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચશે, ઠીક એ જ સમયે પક્ષના ઓછામાં ઓછા 22 સાંસદો બળવો પોકારીને પોતાનું જૂથ જ અસલી ટીએમસી હોવાનો દાવો કરી શકે છે. સંસદમાં આકાર લઈ રહેલા આ સંભવિત રાજકીય તખ્તાપલટ અને બાગી જૂથની કમાન બારાસાતના લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હાથમાં હોવાનું સામે આવ્યું છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સાંસદો જોડાઈ રહ્યા છે.

ભાજપના નેતાઓ દિલ્હીમાં સક્રિય, ટીએમસી હવે ‘ઇતિહાસ’ બનશે?

બંગાળના આ મોટા રાજકીય ગરમાવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અત્યારે દિલ્હીમાં જ ડેરા જમાવીને બેઠા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સતત તેમના સંપર્કમાં છે અને તેમના પર સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. ટીએમસી હવે વીતેલા જમાનાની વાત બની ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તે ઇતિહાસના એક નાના પ્રકરણ પૂરતી જ સીમિત રહી જશે. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ લોકેટ ચેટર્જીએ પણ સ્મિત સાથે જણાવ્યું હતું કે, 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદથી જ ટીએમસીના ઘણા સાંસદો ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અને કોલ્સ દ્વારા સતત ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ બદલવા માટે તૈયાર બેઠા છે.

પક્ષપલટા કાયદાથી બચવા માટે આંકડાની માયાજાળ

સંસદમાં સત્તાવાર રીતે વિભાજનને માન્યતા અપાવવા અને પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ લોકસભામાં ટીએમસીના 28 સભ્યો છે, જ્યારે રાજ્યસભામાં તેના 13 સભ્યો છે. કોલકાતાની તર્જ પર દિલ્હીમાં ખેલ કરવા માટે બાગીઓને ઓછામાં ઓછા 19 લોકસભા અને 9 રાજ્યસભા સાંસદોના સમર્થનની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી છાવણીમાં અત્યારે બંને ગૃહોના મળીને કુલ 22 સાંસદોનો આંકડો તૈયાર થઈ ચૂક્યો છે.

મમતા-અભિષેકની હાજરીમાં જ દિલ્હીમાં થશે મોટો ધડાકો

બાગી જૂથના એક મુખ્ય સૂત્રે જણાવ્યું છે કે, આ તમામ સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળીને પોતાને જ અસલી તૃણમૂલ જાહેર કરવાના છે. મમતા બેનરજી માટે આ બાબત અત્યંત પીડાદાયક હશે, કારણ કે જ્યારે ફઈ-ભત્રીજો (મમતા અને અભિષેક) દિલ્હીમાં હાજર હશે, બરાબર ત્યારે જ આ મોટો રાજકીય ધડાકો જોવા મળશે. ટીએમસીના વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ આ સંભવિત ભંગાણને સમર્થન આપતા કહ્યું છે કે સંસદીય દળનું વિખરાઈ જવું હવે અનિવાર્ય છે, તે બસ થોડા જ સમયની વાત છે.

આ પણ વાંચો: પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા

ટીએમસી સાંસદોના ફોન સ્વિચ ઓફ, સોશિયલ મીડિયા પર આર-પારની જંગ

શુક્રવારે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે પક્ષના 16માંથી 15 સાંસદોના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આ સાંસદોમાં મનોરંજન જગતના સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન અને પહેલીવાર ચૂંટણી જીતીને આવેલા સાંસદોનો સમાવેશ થાય છે. આ આખા બળવાના મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સનનું કથન અને ચાર્લ્સ મેકેની કવિતાઓ શેર કરીને પોતાની 4 દાયકા લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પક્ષ સામે આર-પારની જંગનું એલાન કરતાં ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું છે કે- ‘મધમાખીના પૂડામાં હાથ નાખશો નહીં.’

બીજી તરફ, કોલકાતામાં બાગી જૂથના નેતા અને નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીએ આ સમગ્ર સ્થિતિ પર તંજ કસતા કહ્યું કે, ‘આજે મારે કંઈક કામ હોવાથી મેં 5 સાંસદોને ફોન કર્યો હતો, પણ બધાના ફોન એકસાથે બંધ આવતા હતા. હવે આનો જે મતલબ કાઢવો હોય તે કાઢી લો. ડર ચેપી હોય છે, પરંતુ સાહસ પણ ચેપી હોય છે.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More



Mamata Banerjee TMC Split: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળ વિધાનસભાની સત્તા ગુમાવી ચૂકી છે અને 58 ધારાસભ્યોના બળવા બાદ હવે પક્ષના અસ્તિત્વ સામે જ ગંભીર સંકટ ઊભું થયું છે. આ દરમિયાન દિલ્હીમાં ટીએમસીના સંસદીય દળના મોટા વિભાજનના મંડાણ થઈ ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહની શરૂઆતમાં જ્યારે મમતા બેનરજી અને અભિષેક બેનરજી વિપક્ષી ઇન્ડિયા (INDIA) ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચશે, ઠીક એ જ સમયે પક્ષના ઓછામાં ઓછા 22 સાંસદો બળવો પોકારીને પોતાનું જૂથ જ અસલી ટીએમસી હોવાનો દાવો કરી શકે છે. સંસદમાં આકાર લઈ રહેલા આ સંભવિત રાજકીય તખ્તાપલટ અને બાગી જૂથની કમાન બારાસાતના લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હાથમાં હોવાનું સામે આવ્યું છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સાંસદો જોડાઈ રહ્યા છે.

ભાજપના નેતાઓ દિલ્હીમાં સક્રિય, ટીએમસી હવે ‘ઇતિહાસ’ બનશે?

બંગાળના આ મોટા રાજકીય ગરમાવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અત્યારે દિલ્હીમાં જ ડેરા જમાવીને બેઠા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સતત તેમના સંપર્કમાં છે અને તેમના પર સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. ટીએમસી હવે વીતેલા જમાનાની વાત બની ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તે ઇતિહાસના એક નાના પ્રકરણ પૂરતી જ સીમિત રહી જશે. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ લોકેટ ચેટર્જીએ પણ સ્મિત સાથે જણાવ્યું હતું કે, 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદથી જ ટીએમસીના ઘણા સાંસદો ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અને કોલ્સ દ્વારા સતત ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ બદલવા માટે તૈયાર બેઠા છે.

પક્ષપલટા કાયદાથી બચવા માટે આંકડાની માયાજાળ

સંસદમાં સત્તાવાર રીતે વિભાજનને માન્યતા અપાવવા અને પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ લોકસભામાં ટીએમસીના 28 સભ્યો છે, જ્યારે રાજ્યસભામાં તેના 13 સભ્યો છે. કોલકાતાની તર્જ પર દિલ્હીમાં ખેલ કરવા માટે બાગીઓને ઓછામાં ઓછા 19 લોકસભા અને 9 રાજ્યસભા સાંસદોના સમર્થનની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી છાવણીમાં અત્યારે બંને ગૃહોના મળીને કુલ 22 સાંસદોનો આંકડો તૈયાર થઈ ચૂક્યો છે.

મમતા-અભિષેકની હાજરીમાં જ દિલ્હીમાં થશે મોટો ધડાકો

બાગી જૂથના એક મુખ્ય સૂત્રે જણાવ્યું છે કે, આ તમામ સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળીને પોતાને જ અસલી તૃણમૂલ જાહેર કરવાના છે. મમતા બેનરજી માટે આ બાબત અત્યંત પીડાદાયક હશે, કારણ કે જ્યારે ફઈ-ભત્રીજો (મમતા અને અભિષેક) દિલ્હીમાં હાજર હશે, બરાબર ત્યારે જ આ મોટો રાજકીય ધડાકો જોવા મળશે. ટીએમસીના વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ આ સંભવિત ભંગાણને સમર્થન આપતા કહ્યું છે કે સંસદીય દળનું વિખરાઈ જવું હવે અનિવાર્ય છે, તે બસ થોડા જ સમયની વાત છે.

આ પણ વાંચો: પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા

ટીએમસી સાંસદોના ફોન સ્વિચ ઓફ, સોશિયલ મીડિયા પર આર-પારની જંગ

શુક્રવારે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે પક્ષના 16માંથી 15 સાંસદોના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આ સાંસદોમાં મનોરંજન જગતના સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન અને પહેલીવાર ચૂંટણી જીતીને આવેલા સાંસદોનો સમાવેશ થાય છે. આ આખા બળવાના મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સનનું કથન અને ચાર્લ્સ મેકેની કવિતાઓ શેર કરીને પોતાની 4 દાયકા લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પક્ષ સામે આર-પારની જંગનું એલાન કરતાં ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું છે કે- ‘મધમાખીના પૂડામાં હાથ નાખશો નહીં.’

બીજી તરફ, કોલકાતામાં બાગી જૂથના નેતા અને નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીએ આ સમગ્ર સ્થિતિ પર તંજ કસતા કહ્યું કે, ‘આજે મારે કંઈક કામ હોવાથી મેં 5 સાંસદોને ફોન કર્યો હતો, પણ બધાના ફોન એકસાથે બંધ આવતા હતા. હવે આનો જે મતલબ કાઢવો હોય તે કાઢી લો. ડર ચેપી હોય છે, પરંતુ સાહસ પણ ચેપી હોય છે.’



Mamata Banerjee TMC Split: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળ વિધાનસભાની સત્તા ગુમાવી ચૂકી છે અને 58 ધારાસભ્યોના બળવા બાદ હવે પક્ષના અસ્તિત્વ સામે જ ગંભીર સંકટ ઊભું થયું છે. આ દરમિયાન દિલ્હીમાં ટીએમસીના સંસદીય દળના મોટા વિભાજનના મંડાણ થઈ ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહની શરૂઆતમાં જ્યારે મમતા બેનરજી અને અભિષેક બેનરજી વિપક્ષી ઇન્ડિયા (INDIA) ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચશે, ઠીક એ જ સમયે પક્ષના ઓછામાં ઓછા 22 સાંસદો બળવો પોકારીને પોતાનું જૂથ જ અસલી ટીએમસી હોવાનો દાવો કરી શકે છે. સંસદમાં આકાર લઈ રહેલા આ સંભવિત રાજકીય તખ્તાપલટ અને બાગી જૂથની કમાન બારાસાતના લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હાથમાં હોવાનું સામે આવ્યું છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સાંસદો જોડાઈ રહ્યા છે.

ભાજપના નેતાઓ દિલ્હીમાં સક્રિય, ટીએમસી હવે ‘ઇતિહાસ’ બનશે?

બંગાળના આ મોટા રાજકીય ગરમાવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અત્યારે દિલ્હીમાં જ ડેરા જમાવીને બેઠા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સતત તેમના સંપર્કમાં છે અને તેમના પર સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. ટીએમસી હવે વીતેલા જમાનાની વાત બની ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તે ઇતિહાસના એક નાના પ્રકરણ પૂરતી જ સીમિત રહી જશે. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ લોકેટ ચેટર્જીએ પણ સ્મિત સાથે જણાવ્યું હતું કે, 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદથી જ ટીએમસીના ઘણા સાંસદો ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અને કોલ્સ દ્વારા સતત ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ બદલવા માટે તૈયાર બેઠા છે.

પક્ષપલટા કાયદાથી બચવા માટે આંકડાની માયાજાળ

સંસદમાં સત્તાવાર રીતે વિભાજનને માન્યતા અપાવવા અને પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ લોકસભામાં ટીએમસીના 28 સભ્યો છે, જ્યારે રાજ્યસભામાં તેના 13 સભ્યો છે. કોલકાતાની તર્જ પર દિલ્હીમાં ખેલ કરવા માટે બાગીઓને ઓછામાં ઓછા 19 લોકસભા અને 9 રાજ્યસભા સાંસદોના સમર્થનની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી છાવણીમાં અત્યારે બંને ગૃહોના મળીને કુલ 22 સાંસદોનો આંકડો તૈયાર થઈ ચૂક્યો છે.

મમતા-અભિષેકની હાજરીમાં જ દિલ્હીમાં થશે મોટો ધડાકો

બાગી જૂથના એક મુખ્ય સૂત્રે જણાવ્યું છે કે, આ તમામ સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળીને પોતાને જ અસલી તૃણમૂલ જાહેર કરવાના છે. મમતા બેનરજી માટે આ બાબત અત્યંત પીડાદાયક હશે, કારણ કે જ્યારે ફઈ-ભત્રીજો (મમતા અને અભિષેક) દિલ્હીમાં હાજર હશે, બરાબર ત્યારે જ આ મોટો રાજકીય ધડાકો જોવા મળશે. ટીએમસીના વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ આ સંભવિત ભંગાણને સમર્થન આપતા કહ્યું છે કે સંસદીય દળનું વિખરાઈ જવું હવે અનિવાર્ય છે, તે બસ થોડા જ સમયની વાત છે.

આ પણ વાંચો: પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા

ટીએમસી સાંસદોના ફોન સ્વિચ ઓફ, સોશિયલ મીડિયા પર આર-પારની જંગ

શુક્રવારે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે પક્ષના 16માંથી 15 સાંસદોના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આ સાંસદોમાં મનોરંજન જગતના સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન અને પહેલીવાર ચૂંટણી જીતીને આવેલા સાંસદોનો સમાવેશ થાય છે. આ આખા બળવાના મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સનનું કથન અને ચાર્લ્સ મેકેની કવિતાઓ શેર કરીને પોતાની 4 દાયકા લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પક્ષ સામે આર-પારની જંગનું એલાન કરતાં ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું છે કે- ‘મધમાખીના પૂડામાં હાથ નાખશો નહીં.’

બીજી તરફ, કોલકાતામાં બાગી જૂથના નેતા અને નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીએ આ સમગ્ર સ્થિતિ પર તંજ કસતા કહ્યું કે, ‘આજે મારે કંઈક કામ હોવાથી મેં 5 સાંસદોને ફોન કર્યો હતો, પણ બધાના ફોન એકસાથે બંધ આવતા હતા. હવે આનો જે મતલબ કાઢવો હોય તે કાઢી લો. ડર ચેપી હોય છે, પરંતુ સાહસ પણ ચેપી હોય છે.’

Next Post
સુવર્ણ મંદિરમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રોચ્ચારથી હોબાળો, ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવાયા | Operat…

સુવર્ણ મંદિરમાં 'ખાલિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચારથી હોબાળો, ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવાયા | Operat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In