• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુવર્ણ મંદિરમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રોચ્ચારથી હોબાળો, ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવાયા | Operat…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુવર્ણ મંદિરમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રોચ્ચારથી હોબાળો, ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવાયા | Operat…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Operation Blue Star 42nd Anniversary: પંજાબના ઇતિહાસમાં 6 જૂનની તારીખ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આ એ જ દિવસ છે જેણે દેશની રાજનીતિ, શીખ સમાજ અને સુરક્ષા વ્યવસ્થાને એક નવો વળાંક આપ્યો હતો. ઓપરેશન બ્લુ સ્ટારની 42મી વરસી નિમિત્તે અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં ફરી એકવાર જૂની યાદો તાજી થતી જોવા મળી હતી. અહીં શ્રી અકાલ તખ્ત સાહિબ નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમાંથી કેટલાક લોકોના હાથમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટરો હતા અને વાતાવરણમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ સંભળાયા હતા. 

આ મુદ્દો આજે પણ લોકોની ધાર્મિક લાગણીઓ અને રાજકારણ સાથે જોડાયેલો હોવાથી અહીંનો માહોલ ઘણો નાજુક બની ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સુવર્ણ મંદિરની આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે, આ દરમિયાન વાતાવરણમાં થોડો તણાવ જરૂર જોવા મળ્યો હતો, પરંતુ સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં રહી હતી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

Load More

ઇતિહાસનો એવો અધ્યાય જેના પર આજે પણ વિવાદ ચાલુ છે

ઓપરેશન બ્લુ સ્ટાર ભારતીય ઇતિહાસનું એક એવું પ્રકરણ છે, જેના પર આજે 42 વર્ષ પછી પણ ચર્ચા કે વિવાદો શાંત થયા નથી. દેશનો એક પક્ષ તેને આતંકવાદ અને અલગતાવાદ વિરુદ્ધ લેવાયેલું એક જરૂરી સૈન્ય પગલું માને છે, જ્યારે બીજો પક્ષ તેને શીખ સમુદાયની ધાર્મિક ભાવનાઓ પર આઘાત તરીકે જુએ છે. આ જ કારણે દર વર્ષે 6 જૂને અમૃતસરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને ભિંડરાનવાલેને યાદ કરે છે. આ વખતે પણ કેટલાય સંગઠનો દ્વારા વિશેષ અરદાસ (પ્રાર્થના) કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે 1984ની સૈન્ય કાર્યવાહીએ આખા શીખ સમાજને ઊંડી પીડા આપી હતી. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના નારેબાજી અને પોસ્ટરોવાળા વીડિયો ભારે વાઇરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા, પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક

42 વર્ષ પછી પણ કેમ તાજો છે આ જખમ?

વાસ્તવમાં ઓપરેશન બ્લુ સ્ટાર 1 જૂનથી 8 જૂન 1984 દરમિયાન ચલાવવામાં આવ્યું હતું. તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીના આદેશ પર ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પરિસરમાં આ મોટી કાર્યવાહી કરી હતી. સેનાનો મુખ્ય હેતુ જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને તેના હથિયારધારી સમર્થકોને મંદિરની બહાર કાઢવાનો કે પકડવાનો હતો. આ ઓપરેશન દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો અને 6 જૂન 1984ના રોજ ભિંડરાનવાલે માર્યો ગયો હતો. બરાબર આ જ કારણે દર વર્ષે 6 જૂને તેની વરસી નિમિત્તે પ્રાર્થના કરવામાં આવે છે.

આ સૈન્ય અભિયાન દરમિયાન શીખ ધર્મના સર્વોચ્ચ સ્થાન ગણાતા ‘અકાલ તખ્ત’ને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેને શીખ સમુદાય પોતાના પવિત્ર ધાર્મિક સ્થળનો અનાદર માને છે. આ ઓપરેશન બાદ દેશભરમાં તણાવ વ્યાપી ગયો હતો અને ત્યારબાદ તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી, જેના પગલે દેશમાં ભયાનક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

કોણ હતો જરનૈલ સિંહ ભિંડરાનવાલે?

જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો જન્મ પંજાબના મોગા જિલ્લાના રોડે ગામમાં થયો હતો. તે શીખ ધાર્મિક સંસ્થા ‘દમદમી ટકસાલ’નો વડો બન્યો અને ધીમે ધીમે શીખ રાજકારણનો એક મોટો ચહેરો બની ગયો. શરૂઆતમાં તેણે એક ધાર્મિક પ્રચારક તરીકે કામ કર્યું અને શીખ યુવાનોને નશાથી દૂર રહેવા તથા ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની સલાહ આપતો હતો.

જોકે, વર્ષ 1978 પછી તેનો પ્રભાવ ખૂબ ઝડપથી વધ્યો. તેણે ‘આનંદપુર સાહિબ પ્રસ્તાવ’નું સમર્થન કરીને પંજાબ માટે વધુ સ્વાયત્તતા અને અધિકારોની માંગણી ઉઠાવી. સમય જતાં તેના સમર્થકો પર અનેક હિંસક ઘટનાઓમાં સામેલ હોવાના આરોપો લાગ્યા. ત્યારબાદ તેણે સુવર્ણ મંદિર પરિસરને જ પોતાનું મુખ્ય મથક અને આશ્રયસ્થાન બનાવી લીધું હતું, જેના કારણે આખરે ભારતીય સેનાએ ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવું પડ્યું હતું.

આ પણ વાંચો: મમતાના ગઢમાં ગાબડુંઃ તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ! 16 સાંસદના ફોન બંધ, શુભેન્દુ દિલ્હી પહોંચ્યા

આજે પણ કેમ આટલો સંવેદનશીલ છે આ મુદ્દો?

પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર માત્ર ઇતિહાસનું પાનું નથી, પરંતુ એક અત્યંત નાજુક ભાવનાત્મક અને રાજકીય વિષય છે. અલગતાવાદી સંગઠનો માટે ભિંડરાનવાલે આજે પણ એક પ્રતીક સમાન છે, જ્યારે ભારત સરકાર અને તમામ સુરક્ષા એજન્સીઓ આ બાબતને દેશની અખંડિતતા, એકતા અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મામલો માને છે. આ જ કારણ છે કે દર વર્ષે 6 જૂન આવતા જ અમૃતસરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ઇન્ટરનેટથી લઈને જમીની સ્તર સુધીની તમામ ગતિવિધિઓ પર કડક નજર રાખવામાં આવે છે.

Next Post
FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા, પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક | Khan Sir Surrenders at …

FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા, પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક | Khan Sir Surrenders at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

Recent News

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Karim Sipai Matrimonial Fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઇલ બનાવી અનેક મહિલાઓને...

Read more

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In