• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

Load More


Gir Forest Lion Deaths: ગીરના જંગલોમાં સિંહોમાં ફેલાયેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને ‘બબેસિઓસિસ’ (Babesiosis) જેવા જીવલેણ રોગોના કારણે થયેલા મોતના મામલે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાના દાવા અને ખુદ વન વિભાગના ઉચ્ચ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. વનમંત્રી એકતરફ વાઈરસ ન હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન અધિકારીની એક પોસ્ટે વન વિભાગની પોલ ખોલી નાખી છે.

વનમંત્રીનો દાવો: પરિસ્થિતિ અંકુશમાં, 17માંથી 12 સિંહો મુક્ત

વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના મોત અંગે પ્રતિક્રિયા આપતા સ્વીકાર્યું હતું કે ટૂંકા ગાળામાં 8 જેટલા સિંહબાળોના મોત થવા તે ચિંતાનો વિષય હતો. જોકે, તેમણે દાવો કર્યો કે, ‘અગાઉના સિંહોમાં ચિંતા કરી શકાય તેવો એકપણ પ્રકારનો વાઈરસ જોવા મળ્યો નથી.’

બીમાર સિંહો અંગે અર્જુન મોઢવાડિયાએ જમાવ્યું હતું કે, ‘ગંભીર હાલતમાં મળેલા 17 જેટલા બીમાર સિંહોને ક્વોરેન્ટાઇન કરીને સઘન સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 12 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ફરી જંગલમાં મુક્ત કરાયા છે, જ્યારે બાકીના 5 સિંહો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ ઉપરાંત, આખો વિસ્તાર જંતુમુક્ત કરવા 600 જેટલા સિંહોનું ડીવોર્મિંગ પણ કરાયું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં બીમારીથી કોઈ મોત થયું નથી.’

ગર્ભવતી સિંહણના મોતનું રહસ્ય અને ફોરેસ્ટરની બદલી

ગીર પૂર્વના લુવારીયા વિસ્તારમાં તાજેતરમાં જ એક ગર્ભવતી સિંહણનું મોત નીપજ્યું હતું. વનમંત્રીના જણાવ્યાનુસાર, સિંહણના શરીરમાંથી કોઈ વાઈરસ મળ્યા નથી અને તેનું મોત પ્રેગ્નન્સીના અન્ય કોઈ કોમ્પ્લિકેશનના કારણે થયું હોવાની સંભાવના છે. જોકે, સવાલ ત્યાં ઊભો થાય છે કે જો સિંહણનું મોત માત્ર શારીરિક કોમ્પ્લિકેશનના કારણે જ થયું હતું, તો પછી ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટરની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કેમ કરી દેવાઈ? આ આકરી કાર્યવાહી પાછળનું સાચું કારણ વનમંત્રી તરફથી હજુ અસ્પષ્ટ છે.

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની 'વાઈરસ'વાળી પોસ્ટે પોલ ખોલી! 2 - image

DCF વિકાસ યાદવની ફેસબુક પોસ્ટે ભાંડો ફોડ્યો!

સિંહોના મોતના આ વિવાદ વચ્ચે ધારી ગીર પૂર્વના વન અધિકારી (DCF) વિકાસ યાદવના સત્તાવાર ફેસબુક પેજ પરથી કરવામાં આવેલી એક પોસ્ટથી મોટો ખળભળાટ મચી ગયો છે. આ સત્તાવાર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ગીરમાં વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન, ખાપટ ગામ નજીક તંદુરસ્ત પાંચ સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ.’ 

એક તરફ સરકાર સિંહોના મોત પાછળ વાઈરસ હોવાનો ઇનકાર કરે છે, ત્યારે જવાબદાર DCFની પોસ્ટમાં જ ‘વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન’ તેવો ખુલ્લો સ્વીકાર કરવામાં આવતા વન વિભાગ બેકફૂટ પર આવી ગયું છે.

નિવૃત્ત જજ જયદેવ ધાધલની એન્ટ્રી અને વિવાદ

આ વિવાદે ત્યારે વધુ પકડ પકડી જ્યારે પર્યાવરણ નિષ્ણાંત અને જાણીતા સિંહપ્રેમી નિવૃત જજ જયદેવ ધાધલે આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને આકરી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે, ‘મતલબ કે ગીરમાં ‘વાઈરસ’ તો હતો જ… આપણે સૌ જાણીએ જ છીએ કે બેબેસિયા એ વાઈરસ નથી.’

નિવૃત જજની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આખરે DCF વિકાસ યાદવે પોતાની એ ફેસબુક પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરવી પડી હતી (અથવા દબાણ હેઠળ ડિલીટ કરાવી દેવાઈ હતી).

રિપોર્ટ હજુ ગુપ્ત, પણ તંત્રની આડોડાઈ ખુલ્લી પડી

ઉલ્લેખનીય છે કે હજુ સુધી રાજ્ય સરકાર કે વન વિભાગે સિંહોના મોતના ચોક્કસ કારણો કે લેબોરેટરી રિપોર્ટ જાહેર કર્યા નથી. વનમંત્રી વાઈરસની વાત નકારતા રહ્યા, સ્થાનિક ફોરેસ્ટરની બદલી કરી દેવાઈ, અને હવે ઉચ્ચ અધિકારીએ ભૂલથી સોશિયલ મીડિયા પર સાચી વિગત પોસ્ટ કરીને ડિલીટ કરી નાખી. આ તમામ ઘટનાક્રમ સાબિત કરે છે કે ગીરમાં સિંહોના મોત પાછળ કંઈક એવું રહસ્ય ચોક્કસ છે જેને વન વિભાગ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.



Next Post
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Recent News

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…
GUJARAT

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

Bitcoin dips below $60,000 as investors shift: હમણા સુધી જે બિટકોઈન રોકાણકારોનો સૌથી લાડકો એસેટ હતો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની...

Read more

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In