![]()
છ માસ સુધી નિર્માણ કાર્યના કારણે સાબરમતી સ્ટેશન નહીં જાય
ટ્રેનનું સંચાલન ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે થશે
ભાવનગર – ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી છ
માસ સુધી આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ ટ્રેન
ગાંધીગ્રામ સ્ટેશન સુધી જ જશે.
સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલ નિર્માણ કાર્ય અને બ્લોક લેવાતા હોવાના કારણે
ભાવનગર-સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવા રેલવે
પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી આવતીકાલ તા.૧૬-૬થી તા.૧૫-૧૨ સુધી ભાવનગર-સાબરમતી
ટ્રેન ગાંધીગ્રામ-સાબરમતી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ છ માસ દરમિયાન ટ્રેનનું
સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે તેમ ભાવનગર
રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.















