બજેટ બાદ શું સસ્તું થશે?
વિદેશ યાત્રાના પેકેજ
કપડાં
ચામડાની વસ્તુઓ
સિન્થેટિક પગરખાં
કેન્સર-શુગરની દવાઓ
લિથિયમ આયર્ન બેટરી/મોબાઈલ બેટરી
સોલાર ગ્લાસ
મિક્સ CNG
માઈક્રોવેવ ઓવન
વિમાનોનું ઈંધણ વગેરે…
ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
ઈન્કમ ટેક્સ પર કોઈ પણ પ્રકારની છૂટની જાહેરાત નથી કરાઈ. વર્તમાન ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાણામંત્રીની બજેટ સ્પીચ પુરી થયા બાદ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. એક સમયે તો સેન્સેક્સ 2300 પોઈન્ટ ગબડ્યો અને નિફ્ટી 600થી વધારે પોઈન્ટ ગબડ્યો હતો. જો કે બાદમાં ધીમે ધીમે શેરમાર્કેટ રિકવરી તરફ આગળ વધ્યું પરંતુ એ સ્પષ્ટ છે કે આ બજેટથી રોકાણકારો થોડા નિરાશ થયા છે.
કસ્ટમ ડ્યૂટીમાં રાહત
– 17 કેન્સર વિરોધી દવાઓની કસ્ટમ ડ્યૂટીમાં રાહત
– SEZ – સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં બનેલા સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત
– સંરક્ષણ ક્ષેત્રમાં અને વિમાનના રિપેરિંગ માટેના કાચા માલ પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત
– મહત્ત્વની ખનીજો અને ઉદ્યોગને પ્રોત્સાહન આપતા કાચા માલ પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત
સરકાર આગામી સમયમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા તરફ પગલાં લેશે. આ માટે 5 સેન્ટર બનાવવામાં આવશે જેમાં રાજ્યોને સરકાર મદદ કરશે. આ સિવાય લોથલ અને હસ્તિનાપુર જેવા દેશનો વૈવિધ્યસભર વારસો ધરાવતા 15 સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
માનસિક સ્વાસ્થ્યને મહત્ત્વ
બદલાતા સમય અને યુગમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જે બાબતે સરકાર પણ પગલાં લેશે. NIMHANS 2.0 પ્રોગ્રામ હેઠળ ઉત્તર ભારતમાં બે સંસ્થાઓ શરૂ થશે.
ટેક્સટાઇલ ક્ષેત્ર માટે જાહેરાતો
– રાષ્ટ્રીય ફાઈબર યોજના
– વસ્ત્ર વિસ્તાર અને રોજગાર યોજના
– રાષ્ટ્રીય હસ્તકલા કાર્યક્રમ
– ટેક્સ્ટ-ઇકોન પહેલ
– સમર્થ 2.0
ટેક્સ પેયર્સ અને વિદેશી રોકાણકારો માટે મહત્વના ફેરફાર
વિદેશી રોકાણકારો માટે માટે જાહેરાત
નાણામંત્રીએ બાયબેક કેપિટલ ટેક્સનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. વિદેશી રોકાણને આકર્ષવા માટે બોન્ડેડ ઝોનમાં મેન્યુફેક્ચરર્સને કેપિટલ ગુડ્સ અને સાધનો પૂરા પાડતા બિન-નિવાસીઓને 5 વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ આપવાની મોટી જાહેરાત થઈ.
સ્કૂલ-કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ બનશે
બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની 15,000 ઉચ્ચતર માધ્યમિક અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી’ (IICT)ના સહયોગથી શરૂ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.
5 વર્ષમાં 20 નવા જળમાર્ગનો પ્રસ્તાવ
1 એપ્રિલથી ઈનકમ ટેક્સ એક્ટ 2025 લાગુ થશે
ઈનકમ ટેક્સ એક્ટ 2025 આગામી 1 એપ્રિલથી લાગુ થઇ જશે. જેને લગતા નવા નિયમ અને ફોર્મ જલદી જ જાહેર કરાશે.
ખેડૂતો માટે ‘ભારત વિસ્તાર’ AI ટૂલ
બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ‘ભારત વિસ્તાર’ AI ટૂલની કરી જાહેરાત.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ 2026માં ખેતી ક્ષેત્રને આધુનિક બનાવવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. સરકાર દ્વારા ‘ભારત વિસ્તાર’ (Bharat Vistar) નામનું એક બહુભાષી AI-આધારિત પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂલનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક આયોજન, હવામાનની આગાહી, જંતુ વ્યવસ્થાપન અને બજારની કિંમતો અંગે સચોટ સલાહ આપીને તેમના જોખમો ઘટાડવાનો છે.
આ AI ટૂલ દેશના ‘એગ્રી-સ્ટેક’ (Agri-stack) સાથે સંકલિત કરવામાં આવશે, જેનાથી ખેડૂતોને તેમની પોતાની ભાષામાં માર્ગદર્શન મળશે.
સુરત-ડંકુની ફ્રેઇટ કોરિડોરની જાહેરાત
સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે. આ ખાસ રેલવે ટ્રેક માત્ર માલગાડીઓ માટે હશે. જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ સીધું પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે. ટ્રક કરતાં ટ્રેન દ્વારા માલ મોકલવો સસ્તો અને ઝડપી થતાં સુરતના વેપારીઓને ફાયદો થશે.
7 નવી હાઇ સ્પીડ રેલ કોરિડોર
1. મુંબઈ-પૂણે
2. પૂણે-હૈદરાબાદ
3. હૈદરાબાદ-ચેન્નઈ
4.હૈદરાબાદ-બેંગલુરુ
5.ચેન્નઈ-બેંગલુરુ
6.દિલ્હી-વારાણસી
7.વારાણસી-સિલિગુડી
દેશમાં ત્રણ નવા ઓલ ઈન્ડિયા આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. આયુષ ફાર્મસી અને ઔષધિઓના ટેસ્ટિંગ માટેની લેબ્સને આધુનિક બનાવવામાં આવશે. યોગને દુનિયાભરમાં સ્વીકૃતિ મળી છે. તેના પ્રચાર પ્રસાર માટે પગલાં લેવાશે.
મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના
નાણામંત્રીએ ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ’ યોજના દ્વારા ભારતીય હસ્તકલા અને ખાદી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવાનો રોડમેપ રજૂ કર્યો છે. આ યોજના ગ્રામીણ અર્થતંત્રના પરંપરાગત સ્તંભોને આધુનિક વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.
એક જિલ્લો એક ઉત્પાદન
ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન 2.0 ની શરૂઆત થશે
આધુનિક ભારતના રોડમેપમાં સેમિકંડકટર ભવિષ્યમાં મોટો ભાગ ભજવશે. જે માટે સરકાર નવા રોકાણ અને સાહસોને પ્રોત્સાહન આપશે. જે માટે ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન 2.0ની જાહેરાત કરાઇ છે.
ભારતીય દવાઓની દુનિયાભરમાં માંગ છે. સરકાર આ ક્ષેત્રમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વધુ બજેટ ફાળવશે. ક્લિનિકલ ટ્રાયલ્સથી લઇને એક્સપોર્ટ સુધીની સુવિધાઓ વધારવા પર ધ્યાન અપાશે.
મહિલાઓ માટે SHE માર્ટની જાહેરાત
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે SHE માર્ટની જાહેરાત કરતાં કહ્યું કે આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ કેપ્ટન તરીકે કામ સંભાળશે. SHE નો અર્થ સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે. લખપતિ દીદીની જેમ સરકારે મહિલાઓને ક્રેડિટ લિંક્સ માર્ટ્સની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના માધ્યમથી ગામડાની મહિલાઓ આજીવિકા રળી શકશે.

















