Trade Union Strike News : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળની જાહેરાતને પગલેે ઇલેક્ટ્રિસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડશે.
12 ફેબ્રુઆરીની હડતાળમાં વિવિધ સેકટરના 30 કરોડ કર્મચારીઓ ભાગ લે તેવી શક્યતા છે તેમ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમે દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનનાં એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી, દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓનાં વિરોધમાં 9 જાન્યુઆરી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી.
ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અમરજિત કૌરે પત્રકારોને જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળને કારણે વીજળી, બેકિંગ, વીમા, પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગેસ અને પાણી પુરવઠાની સેવાઓ પર અસર પડશે.
તેમણે જણાવ્યું હતું કે આવતીકાલની હડતાળમાં તમામ બેંક યુનિયનો જોડાશે નહીં કારણકે તેઓ અગાઉ 27 જાન્યુઆરીએ હડતાળ પર ગયા હતાં. જો કે બેંક કર્મચારીઓના સંગઠનો જેવા કે એઆઇબીઇએ, એઆઇબીઓએ અને બીઇએફઆઇ હડતાળમાં જોડાશે.
કૌરે વધુમાં જણાવ્યું હતું કે હડતાળનેી અસર માઇનિંગ અને ગેસ પાઇપલાઇન સેક્ટર ઉપર પણ જોવા મળશે. વીમા સેક્ટરનાં કર્મચારીઓ આ સેક્ટરમાં 100 ટકા એફડીઆઇ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને મંજૂરી આપવાનાં નિર્ણયનો વિરોધ કરશે.
ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીઓનાં કર્મચારીઓ પણ આ હડતાળમાં ભાગ લેશે. તેમણે દાવો કર્યો હતો કે હડતાળમાં ૩૦ કરોડ કર્મચારીઓ ભાગ લેશે અને આ હડતાળની અસર દેશનાં 600 જિલ્લાઓમાં જોવા મળશે.
તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે 9 જુલાઇએ પાડવામાં આવેલી હડતાળમાં 25 કરોડ કર્મચારીઓએ ભાગ લીધો હતો જેના કારણે આ હડતાળની અસર 550 જિલ્લાઓમાં જોવા મળી હતી.
બૈેકિંગ સેવાઓ પર આશિંક અસર જોવા મળશે કારણકે બેકિંગ કર્મચારીઓનાં 9 સંગઠનો પૈકી 3 યુનિયનો હડતાળમાં જોડાવાના છ.ે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઇબીઓસી) અને અન્ય પાંચ બેંક યુનિયનો આ હડતાળમાં જોડાવાના નથી.
કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. હડતાળના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને જાણ કરી છે કે 12 ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મહાગુજરાત બૅંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન (MGBEA) દ્વારા બૅંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બૅંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.
ચાર લેબર કોડ(શ્રમ કાયદા)નો વિરોધ
5 દિવસની બૅંકિંગ કામકાજની માગ ઉપરાંત બૅંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ(શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્યો છે. યુનિયનોના આક્ષેપ પ્રમાણે આ લેબર કોડ હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવ્યા છે. તેનાથી કર્મચારીઓનો હડતાળનો અને સામૂહિક એકતાનો અધિકાર છીનવાઈ જશે. નવા નિયમોથી કામદારોને મળતી સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી જોખમમાં મૂકાશે. યુનિયન શરુ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરું પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી છે.
4 લેબર કોડ પાછા ખેંચવા ઉપરાંત અન્ય મુખ્ય માંગણીઓ
-જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવી અને NPS નાબૂદ કરવી.
-જાહેર ક્ષેત્રની બૅંકોનું ખાનગીકરણ અટકાવવું અને તેમને વધુ મજબૂત બનાવવી.
-બૅંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પૂરતી ભરતી કરવી.
-આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ નોકરીઓ બંધ કરો
-મોટા બાકી લેણાં (બેડ લોન) વસૂલવા માટે કડક પગલાં લેવા.
-સામાન્ય ગ્રાહકો માટે બૅંકોમા સેવા ચાર્જ ઘટાડો.
-વીમા કંપનીઓમાં 100% FDIના નિર્ણયને પાછો ખેંચવો.
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો હડતાળમાં જોડાશે
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો જેવા કે INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ હડતાળનું આયોજન કર્યું છે. જેનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ લાગુ કરવા સૂચના આપી છે જેના વિરોધમાં દેશ વ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં MGBEAએ પણ સાથ પૂર્યો છે.
15,000 કરોડ રૂપિયાના વ્યવહારો
12 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યે એલિસબ્રિજ(ટાઉનહોલ સામે)થી નહેરુ બ્રિજ સુધી તમામ ટ્રેડ યુનિયનો દ્વારા રેલી કાઢવામાં આવશે, જે બાદમાં ‘માનવ સાંકળ’ રચી વિરોધ કરવામાં આવશે. આ હડતાળને કારણે ગુજરાતમાં બૅંકિંગ સેવાઓને મોટો ફટકો પડશે કારણ કે કુલ 25,000 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ શકે, જેથી રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બૅંકોની અંદાજે 3,678 શાખાઓનું કામકાજ પ્રભાવિત થશે. રાષ્ટ્રીયકૃત બૅંકો ઉપરાંત ફેડરલ બૅંક, કરુર વૈશ્ય બૅંક, કર્ણાટક બૅંક અને IDBIના કર્મચારીઓ પણ જોડાઈ શકે છે. એક જ દિવસમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના વ્યવહારો ખોરવાય તેવી સ્થિતિ ઉભી થશે.
કઈ-કઈ સેવાઓ ચાલુ રહેશે?
બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તો UPI અને ડિજિટલ પેમેન્ટ દ્વારા લેવડ દેવડ કરી શકાશે. તમારી મોબાઈલ એપ અથવા કમ્પ્યુટરથી પૈસા ટ્રાન્સફર (IMPS/NEFT/RTGS) કરી શકશો. બેલેન્સ ચેક કરવું અથવા બિલ પેમેન્ટ જેવા કામ યથાવત રહેશે. HDFC, ICICI, અને Axis જેવી મોટી ખાનગી બેંકો ચાલુ રહેશે. જો એટીએમમાં રોકડ ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ યથાવત રહેશે.
















